Connect with us

Editor's Choice

2002ની હિંસાનો મુદ્દો જીવંત રાખવામાં ભાજપને પણ રસ?

Published

on

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે ગુજરાતનાં 2002નાં રમખાણો પરની બીબીસી ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયા: ધ મોદી ક્વેશ્ર્ચન’ને ભારતમાં ફેલાતી રોકવા માટે આ ડોક્યુમેન્ટરી શેર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મોદી સરકારે આ ડોક્યુમેન્ટરી શેર કરનારી ટ્વિટ્સને બ્લોક કરવા ફરમાન કર્યું છે. બીબીસીએ ભારતમાં આ ડોક્યુમેન્ટરી રીલીઝ નથી કરી પણ ઈન્ટરનેટને કોઈ સીમા નથી નડતી. આ કારણે કેટલીક યુટ્યુબ ચેનલે આ ડોક્યુમેન્ટરીને અપલોડ કરી છે. કેટલાક લોકો તેની લિંક શેર કરી રહ્યા છે.
ભારત સરકારના ફરમાન પછી વીડિયો પ્લેટફોર્મ યુટ્યુબે વીડિયોને ફરીથી પ્લેટફોર્મ પર અપલોડ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ટ્વિટરને પણ અન્ય પ્લેટફોર્મ પરથી વીડિયોની લિંક શેર કરનારા ટ્વિટ્સને બ્લોક કરવાનો આદેશ આપી દેવાયો છે. કેન્દ્રના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ફરમાન કર્યું છે કે, બીબીસીના ડોક્યુમેન્ટરીના પહેલા એપિસોડને યૂટ્યુબ પર શેર કરનારા તમામ વીડિયોને બ્લોક કરવામાં આવે. ટ્વિટરને પણ 50થી વધુ ટ્વિટ્સ બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બીબીસીના ડોક્યુમેન્ટરીમાં ગુજરાતનાં રમખાણો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ઈશારે થયેલા એ પ્રકારના દાવા કરતા ઈન્ટરવ્યૂઝની ભરમાર છે. મોદીને સુપ્રીમ કોર્ટે ક્લીન ચીટ આપી દીધી છે ત્યારે વારંવાર એકની એક વાત કરાય તેનો અર્થ એ થાય કે, આ વાત કરવા પાછળ બદઈરાદા છે. મોદીવિરોધીઓ ગુજરાતનાં રમખાણોના મુદ્દાને બદઈરાદાથી સળગતો રાખે છે. તેમનો ઈરાદો આ દેશના મુસ્લિમોના માનસમાં ઝેર ભરવાનો છે. દેશમાં શાંતિ રહે એ તેમને પસંદ નથી તેથી કોમી તણાવ પેદા કરવા આ બધા ધમપછાડા છે. આ ધમપછાડાને સફળ ન થવા દેવાય એ જોતાં બીબીસીની ડોક્યુમેન્ટરી ભારતમાં જોવા પર પ્રતિબંધ મુકાય તેમાં કશું ખોટું નથી. મોદી સરકારનું પગલું એ રીતે દેશના હિતમાં છે ને દરેક નાગરિકે તેને સમર્થન આપવુ જોઈએ. જો કે 2002નાં રમખાણોનો મુદ્દો સળગતો રહે છે તેમાં ભાજપનું પણ યોગદાન છે જ. 2002નાં રમખાણોમાં નરેન્દ્ર મોદીના ઈશારે મુસ્લિમોની કત્લેઆમ થયેલી એવો મોટો આરોપ કોઈ પણ પ્રકારના પુરાવા વિના કરનારાંના પોતાનાં હિતો છે ને એ કારણે એ લોકો આ મુદ્દો સળગતો રાખે છે. બીજી તરફ ભાજપ પણ રાજકીય ફાયદા માટે આ મુદ્દાને સમયાંતરે ચગાવે છે ને આડકતરી રીતે એ જ વાતો કરે છે કે જે મોદીવિરોધીઓ સીધા આક્ષેપોના રૂૂપમાં કરે છે. ભાજપે હમણાં જ પૂરી થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ મુદ્દો ગજવ્યો જ હતો. ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં શરૂૂઆતમાં વિકાસની ને બીજી ડાહી ડાહી વાતો કરી હતી પણ છેલ્લે વાત 2002નાં રમખાણો પર જ આવીને ઊભી રહી ગઈ હતી. ગુજરાતમાં ભાજપના પ્રચારની કમાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હાથમાં હતી. ઉમેદવારો નક્કી કરવાથી માંડીને ચૂંટણીપ્રચારની વ્યૂહરચના સુધીનું બધું જ અમિત શાહે જ ફાઈનલ કરેલું. અમિત શાહના ચૂંટણીપ્રચારમાં ગુજરાતનાં રમખાણોનો મુદ્દો જ કેન્દ્રસ્થાને હતો ને શાહે ચૂંટણી જીતવા આ મુદ્દાનો ભરપૂર ઉપયોગ કરેલો. અમિત શાહ દરેક સભામાં એક જ વાત કરતા કે, છેલ્લે 2002માં આ લોકોએ છમકલું કરવાની હિંમત કરી હતી પણ 2002માં એવો પાઠ ભણાવ્યો કે હવે નામ નથી લેતા.
2002માં એક વાર નરેન્દ્રભાઈ વખતે અડપલું કરવાની કોશિશ કરી તો એવા સીધા કરી નાખ્યા કે, 2002 પછી 22 વર્ષ થયા પણ હજુ સુધી કોઈ ડોકું ઊંચું નથી કરતું.
અમિત શાહ કહેતા કે, 2002માં એવો પાઠ ભણાવ્યો છે કે, એ લોકો ખો ભૂલી ગયા છે. એ વખતે વીણી વિણીને સીધા કર્યા ને જેલમાં નાખ્યા એટલે 22 વર્ષ પછી હજુ સુધી ગુજરાતમાં કફર્યૂ નથી નાખવો પડ્યો. ભાજપે ગુજરાતમાં કાયમની શાંતિ કરી દીધી છે. કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં ઈજજુ શેખ, પીરજાદા, લતિફ જેવા દાદા હતા. હવે ગુજરાતના ગામેગામ દાદા છે તો એક જ દાદા છે અને એ દાદા હનુમાન દાદા છે. ગુજરાતમાં વારંવાર હિંસા કરતાં પરિબળોને કોંગ્રેસ છાવરતી હતી. કોંગ્રેસે વર્ષો સુધી સમાજના એક મોટા વર્ગ સાથે વારંવાર અન્યાય કર્યો હતો.
અમિત શાહે 2002નાં રમખાણોનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો ને મુસ્લિમો એવો શબ્દ નહોતો વાપર્યો. એ વાપરવાની જરૂૂર પણ નહોતી કેમ કે શાહ સવાલ કરતા કે, એ લોકો એટલે કોણ તેની સ્પષ્ટતા કરવાની જરૂૂર છે ખરી ? સ્પષ્ટતા કરવાની જરૂૂર જ નહોતી કેમ કે લોકો સમજી જ જતા કે, શાહ એ લોકો કહે ત્યારે મુસલમાનોની વાત કરે છે. ભાજપે ગુજરાતમાં આ પ્રચારના જોરે 182માંથી 156 બેઠકો જીતીને ભવ્ય દેખાવ કર્યો છે એ જોતાં ભાજપ માટે ગુજરાતનાં 2002નાં રમખાણોનો મુદ્દો ભાજપ માટે પણ રાજકીય રીતે ફાયદાકારક છે જ તેથી ભવિષ્યમાં પણ આ મુદ્દો ભાજપ ચગાવશે જ તેમાં શંકા નથી.
ભાજપની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજા કરે એ છિનાળું જેવી છે. ભાજપ પોતાના રાજકીય ફાયદા માટે રમખાણોનો મુદ્દો ચગાવે તો ચાલે પણ બીજાં ચગાવે તો તેને મરચાં લાગે છે. બીબીસીની ડોક્યુમેન્ટરીમાં મોદી સામે જ દુષ્પ્રચાર કરાયો છે એ ના જ કરાવો જોઈએ. મોદી આ દેશના વડા પ્રધાન છે ને તેમની ઈમેજને બગાડવા બહારના લોકો મથે તેની સામે આ દેશના લોકોએ એક થઈને બોલવું જ જોઈએ તેમાં શંકા નથી. સરકાર પણ પોતાને યોગ્ય લાગે એ પગલાં લે તેને લોકોએ સમર્થન આપવું જ જોઈએ પણ સાથે સાથે દેશની અંદર પણ આ મુદ્દાને બાજુ પર મૂકવો જોઈએ.
ગુજરાતનાં રમખાણો દેશ માટે ગૌરવની વાત છે જ નહીં. 1984નાં ઉત્તર ભારતમાં ફાટી નીકળેલાં સીખ વિરોધી રમખાણો હોય, 1989નાં બિહારના ભાગલપુરનાં રમખાણો હોય કે 2002નાં ગુજરાતનાં રમખાણો હોય, આ બધાં રમખાણો દેશ માટે કલંકરૂૂપ છે. સભ્ય સમાજમાં આ પ્રકારની હિંસા શરમજનક જ કહેવાય. જે થઈ ગયું તેને મિટાવી નથી શકાતું પણ તેને ભુલાવીને આગળ તો વધી જ શકાય. મોદીવિરોધીઓએ ને ભાજપે બંનેએ એ કરવું જોઈએ.

Advertisement
Continue Reading
Advertisement

Editor's Choice

કર્ણાટકની ચૂંટણી કોંગ્રેસ-રાહુલ માટે સંજીવની બની શકે છે

Published

on

અંતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઈ ને એ સાથે જ એક ઔપચારિકતા પૂરી કરી દેવાઈ. દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કરેલી જાહેરાત પ્રમાણે, કર્ણાટકમાં 10 મેએ એક જ તબક્કામાં મતદાન થશે અને 13 મેના દિવસે પરિણામ જાહેર થશે. કર્ણાટકમાં 5.21 કરોડ મતદારો છે અને 224 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.

કર્ણાટકમાં આ વખતે 9.17 લાખ મતદારો પહેલી વખત મતદાન કરવાના છે. જે યુવાનોને 1 એપ્રિલે 18 વર્ષ પૂરાં થશે એ બધા મતદાન કરી શકશે. કર્ણાટકની વર્તમાન ભાજપ સરકારનો કાર્યકાળ 24 મેના રોજ પૂરો થઈ રહ્યો છે તેથી 13 મેએ પરિણામ આવે પછીના દસ દિવસમાં સરકારની રચનાની ઔપચારિકતા પૂરી થઈ જ જશે.ગયા વરસના ડિસેમ્બરમાં ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પર મતદાન હતું ને 4.50 કરોડ જેટલા મતદારો હતા છતાં બે તબક્કામાં મતદાન કરાવાયું હતું જ્યારે કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે છતાં એક જ તબક્કામાં મતદાન રખાયું એ આશ્ર્ચર્યજનક છે પણ ચૂંટણીપંચને જે ગમ્યું એ ખરૂૂં. કર્ણાટકમાં ચૂંટણીની તારીખોની જાહેરાત એક ઔપચારિકતા જ છે કેમ કે કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ક્યારનોય શરૂ થઈ ગયો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ લાંબા સમયથી કર્ણાટકના આંટાફેરા કરીને પ્રચાર કરી રહ્યા છે. ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી માટે 150 બેઠકનો લક્ષ્યાંક રાખ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3 મહિનામાં 7 વખત કર્ણાટકની મુલાકાત લીધી છે તેના પરથી જ ભાજપે બહુ પહેલાં પ્રચાર શરૂ કરી દીધેલો એ સ્પષ્ટ છે. કોંગ્રેસ વતી રાહુલ ગાંધી પણ સભાઓ કરી રહ્યા છે જ એ જોતાં કર્ણાટકમાં બહુ પહેલાંથી ચૂંટણીનો રંગ જામી જ ગયેલો છે. કર્ણાટકમાં વરસોથી ત્રિપાંખિયો જંગ જામે છે ને આ વખતે પણ મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે થશે. આ મુકાબલામાં ભાજપ ને કોંગ્રેસ બેઉની પ્રતિષ્ઠા દાવ પર છે તેથી બરાબરનો જંગ જામેલો છે. આ જંગનાં મૂળિયાં 2018ની વિધાનસભા ચૂંટણીમાં નંખાયેલાં.કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠક છે ને 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી નહોતી મળી. ભાજપને 104, કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠક મળી હતી. કોઈ પક્ષને બહુમતી ના મળતાં રાજ્યપાલ વજુભાઈ વાળાએ ખેલ કરીને બીએસ યેદિયુરપ્પાને મુખ્યમંત્રીપદે બેસાડેલા. આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયેલો ને સુપ્રીમ કોર્ટે યેદુરપ્પાને તાત્કાલિક બહુમતી સાબિત કરવાનું કહેતાં 6 દિવસ પછી જ યેદુરપ્પાએ રાજીનામું આપી દેવું પડેલું. યેદુરપ્પા ગબડ્યા પછી કોંગ્રેસ અને જેડીએસની ખિચડી સરકાર બની હતી. કોંગ્રેસને ભાજપને સત્તાથી દૂર રાખવામાં રસ હતો તેથી ભૂતપૂર્વ વડા પ્રધાન એચ.ડી. દેવગૌડા તથા તેમના દીકરા કુમારસ્વામીની પાલખી ઉંચકીને ફરવું પડેલું. દેવ ગૌડાની પાર્ટી જેડીએસ પાસે ઓછા ધારાસભ્યો હોવા છતાં જોડાણ કરીને બનાવેલી સરકારમાં કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવા પડેલા.

જો કે આ જોડાણ લાંબું નહોતું ચાલ્યું. કોંગ્રેસ-જેડીએસની સરકારને તોડવાના પ્રયત્નો પહેલા દિવસથી શરૂૂ થઈ ગયેલા ને કોંગ્રેસના ધારાસભ્યોને તોડવામાં ભાજપ સફળ થયો હતો. ભાજપે તોડફોડ કરીને કુમારસ્વામીની સરકારને ગબડાવીને જૂના જોગી બી.એસ. યેદુરપ્પાને મુખ્યમંત્રી બનાવેલા.

Advertisement

Continue Reading

Editor's Choice

વિપક્ષના નેતાઓને ભ્રષ્ટાચારી સાબિત કરવાની ચાલ: મોદીને ફાયદો થશે કે વિપક્ષને?

Published

on

દિલ્હીથી લઈને બિહાર, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળથી લઈને તેલંગાણા સુધી કેન્દ્રીય તપાસ એજન્સીઓએ જે રીતે વિપક્ષી નેતાઓ પર સકંજો કસવો શરૂૂ કર્યો છે અને જે ઝડપથી કાર્યવાહી શરૂૂ કરી છે તેનાથી શું ભાજપને રાજકીય લાભ થશે કે પછી વિપક્ષો પ્રત્યે સામાન્ય માણસમાં સહાનુભૂતિ પેદા થશે? વિપક્ષો અને અનેક રાજકીય વિશ્ર્લેષકોનું તારણ છે કે કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહીથી વિરોધ પક્ષોને ફાયદો થશે, તેમના પ્રત્યે લોકોમાં સોફ્ટ કોર્નર પેદા થશે.લોકસભા ચૂંટણી આડે હવે માત્ર થોડા દિવસો જ બાકી રહ્યાં છે અને જ્યારથી વિરોધ પક્ષોએ પોતાના સ્વાર્થ છોડીને એક થવાની વાત શરૂૂ કરી છે ત્યારથી કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી અચાનક ઝડપી થઈ ગઈ છે. બિહારમાં લાલુપ્રસાદના પરિવાર સામે જમીનના બદલામાં નોકરીના મામલામાં તપાસ બંધ થઈ ગઈ હતી.

પણ ગત વર્ષે નીતિશકુમારે ભાજપથી અલગ થઈને આરજેડી સાથે સરકાર બનાવ્યા બાદ તપાસ ફરી શરૂૂ થઈ અને સીબીઆઈએ રેડ પાડી. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીમાં નંબર ટુ મનાતા મનિષ સિસોદિયાની પણ ધરપકડ થઈ ગઈ છે. દારૂૂ અંગેની નીતિમાં ફેરફારના કથિત કૌભાંડ અને દિલ્હીમાં રાજકીય લોકો અને અધિકારીઓની જાસૂસીના મામલામાં સીબીઆઈની તપાસ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તરફ પણ આગળ વધી રહી છે. દારૂૂના મામલે જ તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની દીકરી કવિતાની ઈડીએ 9 કલાક પૂછપરછ કરી હતી. આંધ્રપ્રદેશમાં સત્તાધારી વાય. એસ. આર. કોંગ્રેસના બે સાંસદોના પરિવારજનો પર પણ આ મામલે સકંજો કસાયો છે. મમતા બેનરજીના પક્ષના એક કદાવર નેતા અણબ્રત મંડલને ઈડી દિલ્હી લઈ આવી હતી તો અન્ય એક નેતા શાંતનુ બેનરજીની ઈડીએ ધરપકડ કરી લીધી હતી. શિવ સેનાના નેતા સદાનંદ કદમની બે અઠવાડિયા પહેલાં ઈડીએ ધરપકડ કરી હતી અને બીજા અનેક નેતાઓ પર તલવાર લટકી રહી છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનનો આખો પરિવાર કોઈને કોઈ મામલામાં કેન્દ્રીય તપાસ એજન્સીઓના નિશાન પર રહે છે. કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ ડી. કે. શિવકુમાર અને તેમના સાંસદ ભાઈ ડી.કે. સુરેશને સતત પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યાં છે.
આ ઉદાહરણો પરથી એવું માની શકાય તેમ નથી કે કેન્દ્રીય તપાસ એજન્સીઓની કાર્યવાહી રૂૂટિનમાં થઈ રહી છે અને રાજનીતિ સાથે તેને કોઈ લેવાદેવા નથી. અત્યાર સુધી એવું લાગી રહ્યું છે કે કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીથી સત્તાધારી ભાજપનો હેતુ પુરો થઈ રહ્યો છે. તેના ત્રણ ઈરાદાઓ સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે. પહેલો, વિરોધ પક્ષોના નેતાઓને ભ્રષ્ટ સાબિત કરવાના છે. જેટલા વધુ વિપક્ષી નેતાઓ ભ્રષ્ટ અને દાગદાર સાબિત થશે એટલી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબિ સ્વચ્છ, ચમકદાર અને બેદાગ દેખાશે. કહેવાની જરૂૂર નથી કે આનાથી જે નેરેટિવ તૈયાર થશે તે સામાન્ય માણસની ધારણાને કેટલો પ્રભાવિત કરશે. બીજો હેતુ વિપક્ષોની આવકના સ્ત્રોત બંધ કરવાનો છે.

જેટલા વિરોધ પક્ષો પર કાર્યવાહી થઈ રહી છે તેમાં એક વાત કોમન છે અને તે એ છે કે વિરોધ પક્ષોના પૈસાદાર નેતાઓ કે તેમની સાથે જોડાયેલા કારોબારીઓ પર પણ કાર્યવાહી થઈ રહી છે. બધાંને ખ્યાલ છે કે હવે ચૂંટણી લડવી કેટલી ખર્ચાળ થઈ ગઈ છે. ભાજપે ચૂંટણીને ખૂબ જ મોંઘી બનાવી દીધી છે. જો પૈસાનો સ્ત્રો જ બંધ થઈ જાય તો કોઈપણ પાર્ટી માટે ચૂંટણી લડવી મુશ્કેલ થઈ જશે. ત્રીજો હેતુ, વિપક્ષોની ચૂંટણી રણનીતિને પાટા પરથી ઉતારવાનો છે. વિચારો, જે પક્ષો પર કેન્દ્રીય એજન્સીઓની કાર્યવાહીઓ થશે અને મોટા નેતાઓની ધરપકડ થશે કે તપાસમાં જ અટવાયેલા રહેશે તેઓ શું ચૂંટણીની તૈયારીઓ કરશે?

Advertisement

Continue Reading

Editor's Choice

ગુજરાત-મહારાષ્ટ્રમાં કોરોના ફેલાઈ રહ્યો છે : લોકો સાવચેત રહે એ જ ઉપાય

Published

on

કોરોના સાવ જતો રહ્યો છે એમ માનીને ભારતમાં લોકો નિરાંતે જીવી રહ્યાં હતાં ત્યાં અચાનક જ કોરોનાના કેસોમાં ફરી ઉછાળો આવવા માંડતાં સાબદા થવાની વેળા પાછી આવી ગઈ હોય એવું લાગે છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહેલા કેસોના કારણે દેશમાં કોરોનાના એક્ટિવ મામલાઓની સંખ્યા 10 હજારને પાર પહોંચી ગઈ છે. થોડા દિવસ પહેલા લગી કોરોનાના નવા કેસો બે આંકડામાં આવતા હતા. મતલબ કે, 100ની અંદર રહેતા હતા. એ વધીને ત્રણ આંકડામાં થયા ને હવે ચાર આંકડામાં પહોંચ્યા છે. કોરોનાના નવા કેસો વધવાની સાથે સાથે મૃત્યુ આંક પણ વધવા માંડ્યો છે. સોમવાર સવાર સુધીમાં પૂરા થતા 24 કલાકમાં કોરોનાના 1,805 નવા દર્દીઓ નોંધાયા ને 6 લોકો મૃત્યુ પામ્યાં હતાં. આ પહેલાં રવિવારે સવાર સુધીમાં નવા 1,890 કોરોના કેસ મળ્યા હતા અને 7 લોકો મૃત્યુ પામ્યાં હતાં. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા વધી રહી છે એ જોતાં આ આંકડો હજુ વધ્યા જ કરશે.

ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય એ છે કે, કોરોનાના નવા સૌથી વધારે કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. સોમવાર સવાર સુધીના 24 કલાકમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં 397 અને ગુજરાતમાં 303 નોંધાયા હતા. કેરળ 299 કેસ, કર્ણાટક 209 કેસ અને દિલ્હી 153 કેસ સાથે પાછળ જ છે પણ છતાં ગુજરાત અને મહારાષ્ટ્ર બહુ આગળ છે. સૌથી વધારે એક્ટિવ કેસમાં પણ માત્ર કેરળ 2,471 કેસ સાથે આગળ છે જ્યારે મહારાષ્ટ્ર 2,117 કેસ સાથે બીજા અને ગુજરાત 1,697 કેસ સાથે ત્રીજા નંબરે છે. બાકીનાં રાજ્યોમાં એક્ટિવ કેસોની સંખ્યા હજારથી ઓછી છે. આ બંને રાજ્યોમાં ગુજરાતીઓની વસતી સૌથી વધારે છે તેથી ચિંતાનો વિષય કહેવાય. ગુજરાતમાં તો ગંભીર સ્થિતિ એટલા માટે છે કે, એક તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે તો બીજી તરફ રાજ્યમાં ફરી એક વાર કોરોના કેસો ધડાધડ વધી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસોમાં અંધાધૂંધ વધારો થતાં ચિંતા હતી જ તેમાં હવે કોરોના ઉમેરાયો છે. ગુજરાતમાં સ્થિતિ એ રીતે પણ ગંભીર છે કે કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 303 કેસ નોંધાયા છે. મતલબ કે, દેશમાં નોંધાતા 1800 જેટલા કોરોનાના નવા કેસોમાંથી છઠ્ઠા ભાગના તો ગુજરાતમાં જ છે. નવા 300 કરતાં વધારે કેસોની સામે 134 દર્દીઓ સાજા થયા છે તેથી અડધા કરતાં વધારે કેસો એક્ટિવ કેસોમાં ઉમેરાયા છે. આ પૈકી મોટા ભાગના કેસોમાં સ્થિતિ ગંભીર નથી ને હાલ માત્ર પાંચ દર્દીઓ વેન્ટિલેટર પર છે પણ આ આંકડો ક્યારે વધવા માંડે એ કહેવાય નહીં. આ આંકડા એટલા માટે આપ્યા છે કે જેથી ખ્યાલ આવે કે કોરોનામાં મૃત્યુનો જે સિલસિલો શરૂૂ થયો છે તેમાં નાનાં બાળકો અને વૃદ્ધો સૌથી વધારે ભોગ બની રહ્યાં છે. સ્થિતિ વધારે ગંભીર બને એ પહેલાં આપણે જાગવાની જરૂૂર છે. કેન્દ્ર સરકારે વધતા કેસોને ધ્યાનમાં લઈને તૈયારીઓ શરૂૂ કરી જ દીધી છે.

કેન્દ્ર સરકાર એ રીતે પોતાની તૈયારીમાં લાગેલી જ છે પણ વધારે સતર્કતા લોકોએ રાખવી જરૂૂરી છે. મેડિકલ એક્સપર્ટ્સ માને છે કે, કોરાનાના વધતા કેસો માટે નવો એક્સબીબીબી 1.16 વેરિએન્ટ જવાબદાર હોઈ શકે છે પણ કોવિડ પ્રોટોકોલનું પાલન કરો તો ગભરાવાની જરૂૂરિયાત નથી. કોરોના અને ઈન્ફ્લુએન્ઝાના કેસ વધવા પાછળનું એક કારણ વાતાવરણમાં ફેરફાર પણ ગણાય છે. આ સિઝનમાં દર વર્ષે ઇન્ફ્લૂએન્ઝાના કેસ વધે છે તેથી ગભરાવાની જરૂૂર નથી. માત્ર માસ્ક પહેરી રાખો તો પણ કોરોનાથી દૂર રહી શકાશે.

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ