Site icon Gujarat Mirror

મહારાષ્ટ્ર-ઉત્તરાખંડમાં અકસ્માતની બે ઘટનામાં 13નાં મોત, 33 ઘાયલ

મહારાષ્ટ્ર અને ઉતરાખંડના બે અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે. જયારે 33 લોકો ઘવાયાના અહેવાલ મળી રહ્યા છે.

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના દ્વારકા સર્કિલમાં રવિવારે એક ટેમ્પો અને ટ્રકની ટક્કરમાં આઠ લોકોના મોત થઈ ગયા અને ઘણાં લોકો ઘાયલ થયા છે. એક પોલીસ અધિકારીએ આ અંગે જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના સાંજે સાડા સાત વાગ્યે અયપ્પા મંદિર નજીક સર્જાઈ હતી. તેમણે જણાવ્યું કે, ટેમ્પોમાં 16 મુસાફરો સવાર હતા, જે સિડકો વિસ્તારમાં જઈ રહ્યાં હતા.તે નિફાડમાં એક ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યાં હતા.

પોલીસે જણાવ્યું કે, ટેમ્પો ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા આ લોખંડના સળિયા ભરી જતા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. દુર્ઘટનામાં કેટલાક લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે કેટલાકની હાલત ગંભીર છે. તેમણે જણાવ્યું કે, પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓએ ગીચતા વાળા વિસ્તારમાં લોકો સાથે મળીને તરત બચાવ કામગીરી શરૂૂ કરી હતી.

ઉત્તરાખંડમાં રવિવારે એક બસ ઊંડી ખીણમાં પડી જતાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને 17 અન્ય ઘાયલ થયા હતા. એસડીઆરએફની ટીમોએ સ્થાનિકો અને પોલીસ સાથે મળીને બચાવ કામગીરી હાથ ધરી હતી અને ઘણા લોકોની હાલત ગંભીર છે. કુલ 18 ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યારે આ ઘટનામાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમના મૃતદેહોને પણ જરૂૂરીયાત માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કાર્યવાહી, કમાન્ડર એસડીઆરએફ અર્પણ યદુવંશીએ કહ્યું જેણે પહેલની દેખરેખ રાખી હતી.

Exit mobile version