Breaking News
10 બેન્કના મર્જરની કાલે જાહેરાત સંભવ
Published
4 years agoon
By
ગુજરાત મિરર
કોલકાતા તા,11
જાહેર ક્ષેત્રની10 બેન્કોને મર્જ કરીને ચાર મોટી બેન્કો બનાવવાનું કામકાજ પૂરું થઈ ચૂક્યું છે અને સરકાર આ સપ્તાહે (મોટા ભાગે12 ફેબ્રુઆરીએ) તેની જાહેરાત કરે તેવી શક્યતા બે પરિચિત વ્યક્તિએ વ્યક્ત કરી છે. ત્યાર બાદ જે-તે બેન્કના બોર્ડ દ્વારા કાર્યવાહી શરૂ થશે અને તેઓ અંતિમ મંજૂરી આપવા માટે તથા મર્જરનો સ્વેપ રેશિયો નક્કી કરવા સહિતની મહત્ત્વની બાબતોનો નિર્ણય લેવા માટે બેઠક બોલાવશે. બેન્કોએ આંશિક હિસ્સેધારકોનાં હિતનું રક્ષણ કરવા માટે નિયમનકારી ઔપચારિકતાનું પણ પાલન કરવાની જરૂર પડશે.
ચાલુ નાણાકીય વર્ષના છમાસિક પરિણામોના આધારે તેમજ ભવિષ્યના ગાઇડન્સના આધારે મર્જ થઈ રહેલી પ્રત્યેક બેન્કનું વેલ્યુએશન નક્કી થયું છે. એમ ઉપરોક્ત માહિતી આપનાર એક વ્યક્તિએ જણાવ્યું હતું. પ્રત્યેક બેન્કને તેનો પોતાનો વેલ્યુઅર હતો અને પછી મર્જિંગ ભાગીદારો માટે વેલ્યુએશનનું હાર્મોનાઇઝેશન કરવામાં આવ્યું હતું.
સરકારે 2019ની 30 ઓગસ્ટે બેન્કોના મેગા મર્જરની જાહેરાત કરી હતી. આ યોજના પ્રમાણે, પંજાબ નેશનલ બેન્ક (પીએનબી), ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ અને યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાને મર્જર કરીને દેશની બીજા ક્રમની (બિઝનેસ સાઇઝ અને બ્રાન્ચ નેટવર્કના સંદર્ભમાં) સૌથી મોટી બેન્ક અસ્તિત્વમાં આવશે. આ મર્જર માટે પીએનબી એન્કર બેન્ક છે. આવી જ રીતે, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયામાં આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કને ભેળવી દેવામાં આવશે જેમાં યુનિયન બેન્ક એન્કર બેન્ક છે. દ્વિ-પાંખી મર્જર્સમાં કેનરા બેન્ક અને સિન્ડિકેટ બેન્ક ભેગી કરીને એક બેન્ક બનાવવામાં આવશે જ્યારે ઇન્ડિયન બેન્ક અને અલ્હાબાદ
બેન્કને ક્લબ કરવામાં આવશે. આ તમામ મર્જર ચાલુ વર્ષના એપ્રિલથી અમલમાં આવવાની શક્યતા છે. અમને અપેક્ષા છે કે, સરકાર આ સપ્તાહે મર્જર નોટિફાઇ કરશે. એમ યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયાના એમડી અશોક કુમાર પ્રધાને કહ્યું હતું. મેગા-મર્જર કવાયતમાં નોન-એન્કર બેન્કોએ સરકારને અગાઉ વિનંતી કરીને નવું નામ અને લોગો આપવાની માંગણી કરી હતી. અગાઉ સરકારે બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કનું મર્જર કર્યું હતું અને ત્રણેય બેન્કોના લોગો યથાવત્ રાખવામાં આવ્યા છે.
અમે પણ બેન્કની રાષ્ટ્રીય ઓળખનો લાભ લેવા માટે સરકારને નામ અંગે વિનંતી કરી છે. ભવિષ્યમાં બ્રાન્ડને કારણે જ લોકો આવશે.8221; એમ પ્રધાને જણાવ્યું હતું. ઇન્ડિયન બેન્ક સમગ્ર દેશમાં હાજરી ધરાવે છે એટલે અલ્હાબાદ બેન્ક સાથે મર્જર બાદ તેનું નામ જાળવી રાખવામાં આવે તેવી શક્યતા છે. સરકાર યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા સાથેના મર્જરમાં પણ આવું કરે તેવી શક્યતા છે.
You may like
Breaking News
મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ
Published
4 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરશહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
Breaking News
લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ
Published
6 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Breaking News
ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત
Published
6 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરબોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં
ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.