Breaking News
રાજકોટ મહાનગરમાં 8.65 લાખ મતદાર
Published
4 years agoon
By
ગુજરાત મિરર
જિલ્લામાં કુલ 21.81 લાખ મતદારો : 11.34 લાખ પુરૂષ અને 10.46 લાખ મહિલા મતદારો નોંધાયા
મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં 41875 મતદારો ઉમેરાયા
રાજકોટ તા.7
ચૂંટણી પંચ દ્વારા આજે આખરી મતદાર યાદીની પ્રસિધ્ધિ કરવામાં આવી છે. તેમાં રાજકોટ મહાનગરપાલીકામાં 8.65 લાખ સહિત જીલ્લામાં કુલ 21.81 લાખ મતદારો નોંધાયા છે. તાજેતરમાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં રાજકોટના 8 ધારાસભા વિસ્તારમાં કુલ 41875 મતદારોનો વધારો થવા પામ્યો છે.
મહાનગરપાલીકા અને તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને અદ્યતન બનાવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલીકા વિસ્તારમાં 8,65,500 મતદારો નોંધાયા છે. તેમાં 4,46,912 પુરૂષ અને 41871 મહિલા, 17 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પૂર્વ રાજકોટમાં 1,46,942 પુરૂષ, 1,31,218 મહિલા, 6 થર્ડ જેન્ડર મળી કુલ 2,78,166 મતદારો નોંધાયા છે. પશ્ર્ચિમ રાજકોટમાં 1,71,203 પુરૂષ, 1,65,904 મહિલા, 7 થર્ડ જેન્ડર મળી કુલ 3,37,114 મતદારો નોંધાયા છે. દક્ષિણ રાજકોટમાં 1,28,767 પુરૂષ, 1,21,449 મહિલા, 4 થર્ડ જેન્ડર મળી કુલ 250220 મતદારો નોંધાયા છે. શહેરમાં નવા 17,447 મતદારો નોંધાયા છે. તેમાં 8571 પુરૂષ નોંધાયા છે. 8873 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 1,73,976 પુરૂષ, 1,57,080 સ્ત્રી, પાંચ થર્ડ જેન્ડર મળી 3,31,061 મતદારો, જસદણ બેઠકમાં 1,25,857 પુરૂષ, 1,13,595 મહિલા મળી 2,39,452 મતદારો, ગોંડલ બેઠકમાં 1,14,159, પુરૂષ 1,05,909 મહિલા, 7 થર્ડ જેન્ડર મળી કુલ 2,20,075, જેતપુર બેઠકમાં 1,38,517 પુરૂષ, 1,26,074 મહિલા, 1 થર્ડ જેન્ડર મળી 2,64,592 મતદારો, ધોરાજી બેઠકમાં 1,35,055 પુરૂષ, 1,25,671 મહિલા, 1 થર્ડ જેન્ડર મળી 2,60,227 મતદારો નોંધાયા છે. આમ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 6,87,564 પુરૂષ, 6,28,329 મહિલા અને 14 જેન્ડર મળી કુલ 13,15,907 મતદારો નોંધાયા છે. મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન પૂર્વ રાજકોટમાંથી 6939, પશ્ર્ચિમમાં 6359, દક્ષિણમાં 4149, રાજકોટ ગ્રામ્યમાં 12792, જસદણમાં 2827, ગોંડલમાં 2883, જેતપુરમાં 3032, ધોરાજીમાં 2994 નવા મતદારો નોંધાયા છે. રાજકોટ શહેરમાં કુલ 17447 અને ગ્રામ્ય વિસ્તારમાં 24428 નવા મતદારો ઉમેરાયા છે.
You may like
Breaking News
મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ
Published
4 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરશહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
Breaking News
લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ
Published
6 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Breaking News
ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત
Published
6 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરબોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં
ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.