Connect with us

Breaking News

મોબાઈલ ટાવર કંપનીઓથી મનપાને 42 કરોડની નુકસાની

Published

on

શાસકો પર વેરાને લઈ આડેહાથ લેતા મહાપાલિકાના વિપક્ષીનેતા વશરામ સાગઠિયા

રાજકોટ તા,8
રાજકોટ મહાનગરપાલિકા ના બાકી વેરામાં મોબાઈલ ટાવર કંપનીઓ પાસે 42 કરોડ 6 લાખ રૂપિયા બાકી છે કોર્પોરેશન કોની શરમ લાગે છે આ વેરો ઉધરવતા નથી કોના ફોન આવે છે કે વેરો ઉધરવતા પરત ફરે છે ?
રાજકોટમાં આવેલ મોબાઈલ ટાવર કંપનીઓ ને તા. 01-04-2018 સ્ટેન્ડિંગ કમીટી માં ઠરાવ કરી 50 નો ભારાંક માંથી 15 કરતા કોર્પોરેશનને કરોડો રૂપિયા નુકશાન થઇ રહ્યું છે તેમ છતાં માનીતી ટાવર કંપનીઓને ખાટવવા નો ભાજપનો કારસો પાર પડી ગયો હતો ત્યારે પણ અમે કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો હતો પરંતુ સતાના મદમાં અને પાર્ટીના ફાયદા માટે કોર્પોરેશનને કરોડો રૂપિયા નું નુકશાન કરાવવા વાળા ભાજપના મિત્રો ને માટે મારો સિધ્ધો સવાલ છે કે આપે જુના ભાવ મુજબ 1 વર્ષનો ટાવર કંપનીઓનો ટેક્ષ 19 કરોડ 32 લાખ થતો હતો અને આપણા પ્રતાપે નવો ભાવ મુજબ 6 કરોડ 38 લાખ થાય છે તેમ છતાં ભાજપની માનીતી ટાવર કંપનીઓ ટેક્ષ ભરતી નથી આજની તારીખે આ ટાવર કંપનીઓ પાસે 42 કરોડ 6 લાખ રૂપિયા બાકી છે અને તેમાંથી બે કંપનીઓ કોર્પોરેશન સામે કોર્ટમાં મેટર લઈ ગઈ છે અને તે પણ કોઈકના ઈશારે કોર્ટમાં ગઈ છે તેમાંથી 1 કંપનીની પાસે તો 28 કરોડ 66 લાખ રૂપિયા એક જ પાસે 292 ટાવરના બાકી છે તો કોના પ્રતાપે આ કરોડોનો ચૂનો રાજકોટ મહાનગરપાલિકા ને લાગી રહ્યો છે તે પણ અમારો સિધ્ધો સવાલ છે
ખાસ તો પહેલા થી જ ટાવર કંપનીઓ ઉપર મહેરબાન શાશકો ના ઈશારે અધિકારીઓએ ટેક્ષ ગણવામાં રહેમ રાખી છે કારણ કે કોઇપણ નાગરિક પોતાના મકાન બનાવે ત્યારે તેની હાઈટ 30 ફૂટ સુધીમાં એક માળ નું હોય તેવું છે પરંતુ મોબાઈલ ટાવરની હાઈટ 30 ફૂટ કરતા વધારે હોય છે તેથી જેમ લોકો પાસેથી બે માળ – ત્રણ માળ – ચાર માળ ના ટેક્ષ કોર્પોરેશન વસુલે છે ટે હાઈટ પ્રમાણે ટાવર કંપનીઓનો ટેક્ષ વસૂલવો જોઈએ આજ તો ફક્ત કાર્પેટ એરિયા પ્રમાણે જ વસુલે છે જેથી કોર્પોરેશનને પહેલેથી કરોડોનું નુકશાન થયું હતું અને વધારે ફાયદો આપી બીજા કરોડોનું નુકશાન ભાજપ વાળાએ કોર્પોરેશનને કરાવ્યું છે તો અમારો સિધ્ધો સવાલ છે કે હવે શાશકો આ લોકોના પરસેવાની કમાણીના રૂપિયા તેમના માનીતાને ખટાવવા પાછળ નુકશાન ભોગવે છે.
જો ગરીબ માણસના મકાનનો ટેક્ષ રૂ.500 આવ્યો હોય બે વર્ષથી બાકી હોય તો નોટીશ આપે છે અને તે રકમમાં 18 % વ્યાજ સાથે વસુલે છે અને આવી મોટી કંપનીઓ કે જે અબજો નો નફો કરે છે તેમની પાસે કોર્પોરેશનના કરોડો રૂપિયા બાકી તેને કેમ સીલ મારતા નથી કે બંધ કરાવતા નથી ? કોની મેહરબાની થી આ બધું ચાલે છે ?
કોર્પોરેશન ટેક્ષ ફક્ત 701 મોબાઈલ ટાવરનોજ ગણયો છે હજી તો એક અંદાજ મુજબ 125 થી 150 ટાવર ટેક્ષ ગણયો પણ નથી અને ચોપડે ચડાવ્યો પણ નથી તેવો અમારું માનવું છે અમારા લોકો દ્વારા મોબાઈલ ટાવર અમોએ ગણાવ્યા છે તે જોતા 38 ટાવર તો કોર્પોરેશનમાં નોંધ્યા જ નથી તો આનું શું ? અધિકારીઓ ક્યારે જાગશે ? પદાધિકારીઓ ક્યારે હુકમ કરશે ? અને રાજકોટની પ્રજાના પરસેવાની કમાણીની હિસાબ ક્યારે મળશે ?
બીજું રાજકોટ મહાનગર પાલિકાની આજની તારીખે બાકી સરકારી કચેરી અને કંપનીઓ તેમજ વ્યકિત ગત રીતે બાકી ટેક્ષ ગણ્યે તો 600 કરોડ રૂપિયા બાકી છે તે ક્યારે આવશે ?
ક્રેન્દ્ર સરકારની રેલ્વે પાસે 15 કરોડ રૂપિયા વેરો બાકી (ટેક્ષ) બાકી છે પોસ્ટ ઓફીસ પાસે 83 લાખ રૂપિયા બાકી છે સમરસ હોસ્ટેલ પાસે 3 કરોડ રૂપિયા બાકી છે આ ત્રણેય મિલકત ક્રેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જ તો તે ક્યારે આ ટેક્ષ ભરશે ? ભાજપની સતા કોર્પોરેશન – ગુજરાત સરકાર અને ક્રેન્દ્ર સરકાર ત્રણેય માં સરકાર હોય તો શા માટે ટેક્ષ સરકાર ભરતી નથી ? જલ્દી થી કમિશ્નરશ્રીએ આ બાકી ટેક્ષ વસૂલવો જોઈએ.

Advertisement
Continue Reading
Advertisement

Breaking News

મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ

Published

on

શહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

Continue Reading

Breaking News

લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ

Published

on

જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Continue Reading

Breaking News

ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત

Published

on

બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં

ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!