Connect with us

Breaking News

મંત્રીઓનું લિસ્ટ ફાઈનલ કરવા પટેલ-પાટીલ દિલ્હી ભણી

Published

on

વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે નિર્ણાયક બેઠક

ગુજરાતમાં નવી સરકાર રચવ્ની કવાયત તેજ બની ગઈ છે. આજે સાંજે 4 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ મંત્રીઓનું લીસ્ટ લઈ દિલ્હી જવા રવાના થયા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધી આગામી સોમવાર છે ત્યારે પ્રધાન મંડળમાં કોનો સમાવેશ કરવો તેની ફાયનલ યાદી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ સાથે નિર્ણાયક બેઠક મળનાર છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. હવે 12 ડિસેમ્બરે નવા મંત્રીઓ શપથ લેશે. એવામાં ભાજપ સામે મોટો પડકાર એ રહેશે કે નવા ધારાસભ્યો અને અગાઉની સરકારોમાં મંત્રી રહી ચૂકેલાઓમાંથી કોને સ્થાન આપશે. સૂત્રોનું માનીએ તો, નવા મંત્રી મંડળમાં પહેલીવાર ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ અગાઉની ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિજય રૂૂપાણીની સરકારોમાં મંત્રી રહી ચૂકેલા ધારાસભ્યોનો સમન્વય કરવામાં આવશે કે કેમ ? તેની ઉપર સૌની નજર મંડાયેલી છે.
વિધાનસભાના 182 સભ્યોમાંથી કેબિનેટમાં 27થી વધુ સભ્યો એટલે કે 15 ટકાને જ સ્થાન મળી શકે તેમ છે. આ સભ્યોમાં મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર, નવા મંત્રીમંડળમાં પહેલીવાર ચૂંટાયેલા ધારાસભ્યો તેમજ અગાઉની ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિજય રૂૂપાણીની સરકારોમાં મંત્રી રહી ચૂકેલા ધારાસભ્યોનો સમન્વય કરવામાં આવશે. નવા મંત્રીમંડળમાં ચારેય પ્રદેશોના પ્રતિનિધિઓને સ્થાન અપાશે. પાટીદાર, ઓબીસી, દલિત, મહિલાઓ જેવા સમાજના મહત્વના વર્ગોના નેતાઓને પણ નવા મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવી શકે છે, તેમ ભાજપના એક સીનિયર નેતાએ જણાવ્યું.
ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. આ સિવાય હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, રાઘવજી પટેલ, પૂર્ણેશ મોદી, જગદીશ વિશ્વકર્મા, મનીષ વકીલ, જીતુ ચૌધરી ગત સરકારમાં પણ મંત્રી પદે હતા અને હવે નવી સરકારના મંત્રીમંડળમાં પણ તેમના નામ ચર્ચાઈ રહ્યા છે. વિજય રૂૂપાણી સરકારના કેટલાક મંત્રીઓ જેવા કે, કુંવરજી બાળવિયા, જયેશ રાદડિયા, ગણપત વસાવા, પરશોત્તમ સોલંકી, કુમાર કાનાણી, શંભુજી તુંડિયા, મૂળુ બેરા સહિતના કેટલાક નામ ભાજપના વર્તુળમાં ચર્ચાઈ રહ્યા છે.

નવા ચહેરાને મળશે સ્થાન
દલિત નેતા રમણલાલ વોરાનું નામ પણ સ્પીકર પદ માટે ચર્ચામાં હોવાનું સૂત્રોનું કહેવું છે. ઓબીસી આગેવાનો શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરનું નામ પણ સંભવિત મંત્રીઓ તરીકે ચર્ચાઈ રહ્યું છે. જે લોકો અગાઉ ક્યારેય મંત્રી બન્યા નથી પરંતુ હવે નવા મંત્રીમંડળમાં સ્થાન પામી શકે તેવા ચહેરાઓમાં રિવાબા જાડેજા, અમિત ઠાકર, બળવંતસિંહ રાજપૂત, ભીખુસિંહ પરમાર, કાંતિલાલ અમૃતિયા, મૂળુ બેરા, કૌશિક વેકરિયા, પી.સી. બરાન્દા અને દર્શના દેશમુખના નામ વહેતા થયા છે.

Advertisement

 

Continue Reading
Advertisement

Breaking News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા જિલ્લા કલેક્ટરો સાથે ગાંઘીનગરથી વિડિયો કોન્ફરન્સ યોજી

Published

on

ખાસ કરીને અમરેલી, જુનાગઢ તેમ જ સૌરાષ્ટ્ર–કચ્છ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં થયેલા આ કમોસમી વરસાદથી રવિપાકોની ગુણવત્તાના નુકસાન સહિતના અન્ય નુકસાન તેમજ ઉનાળુ પાકો અને ફળાઉ પાકોના નુકસાનની પ્રાથમિક વિગતો મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મેળવી હતી. તેમણે સંબંધિત જિલ્લા કલેક્ટરોને તેમના જિલ્લાઓમાં થયેલા ખેતીવાડી નુકસાનનો પ્રાથમિક સર્વે કરાવી લેવા પણ દિશાનિર્દેશો આપ્યા હતા.
આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટરશ્રીઓએ પોતાના જિલ્લામાં પાક નુકસાન સહિતના નુકસાનીના સર્વે માટે ટીમ્સ કાર્યરત કરી દેવામાં આવી છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા કલેક્ટરોને માર્ગદર્શન આ૫તા કહયુ કે, આ સર્વેમાં કોઇને અન્યાય ન થાય તે રીતે સર્વે કરીને નિયમાનુસારની ચુકવણી માટે યોગ્ય કાર્યવાહી થાય તે આવશ્યક છે. ભૂપેન્દ્ર ૫ટેલે એમ ૫ણ જણાવ્યુ કે કેન્દ્રિય હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટાનો જે સંભવિત વર્તારો દર્શાવ્યો છે, તેની સામે પાક સંરક્ષણ સહિતનુ આગોતરુ આયોજન જિલ્લાસ્તરે કલેક્ટરશ્રીઓ કરી લે.એટલુ જ નહિ, માનવમૃત્યુ કે ૫શુ જાનહાનિ ન થાય તે માટે સતર્ક રહીને સાવચેતી અને સલામતીના ૫ગલાઓ લેવા તેમણે તાકિદ કરી હતી.કમોસમી વરસાદ અન્વયે અગમચેતીના ભાગરૂપે પાક સંરક્ષણ માટે લેવાનાં થતાં પગલાં અંગે જિલ્લા કક્ષાએથી એગ્રી એડવાઈઝરી સ્થાનિક પ્રચાર માઘ્યમોમાં આપીને ખેડુતોને સમયાનુસાર હવામાન અંગેની જાણ થતી રહે તેવી વ્યવસ્થા કરવા આ વિડીયો કોન્ફરન્સમાં કલેક્ટરશ્રીઓને માર્ગદર્શન આ૫તા મુખ્ય સચિવશ્રીએ જણાવ્યુ હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદી સ્થિતિના કરેલા આકલન દરમિયાન જણાવવામાં આવ્યું કે રાજ્યના ૨૭ જિલ્લાઓના ૧૧૧ તાલુકાઓમાં ૧ મિ.મિ.થી ૪૭ મિ.મિ. વરસાદ નોંધાયો છે. મુખ્યત્વે ૧૮ જિલ્લાના ૩૩ તાલુકાઓ એવા છે, જ્યાં ૧૦ મિ.મિ.થી વધુ વરસાદ પડ્યો છે. એટલું જ નહી, તારીખ પાંચ માર્ચથી નવમી માર્ચ દરમિયાન ૨૭ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો.મુખ્યમંત્રીએ યોજેલી આ વિડીયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીશ્રીના અઘિક મુખ્ય સચિવશ્રી પંકજ જોષી, મહેસુલના અઘિક મુખ્ય સચિવશ્રી કમલ દયાની તેમજ સંબંઘિત વિભાગોના અગ્ર સચિવઓ, સચિવશ્રીઓ અને રાહત કમિશ્નર ૫ણ ઉ૫સ્થિત રહયા હતા.

Advertisement
Continue Reading

Breaking News

સૌરાષ્ટ્ર – ગુજરાતમાં સતત ત્રીજા દિવસે માવઠું,અનેક વિસ્તારમાં કરા પાડ્યા,ભાવનગરમાં મીની વાવાઝોડું

Published

on

રાજ્યના અનેક વિસ્તારમાં આજે સતત ત્રીજા દિવસે કમોસમી વરસાદ સાથે કરા પણ પડ્યાં હતા.બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા ભાવનગર, બનાસકાંઠા, વલસાડ તેમજ સુરેન્દ્રનગર, અમદાવાદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતા .

આજે સવારે ૬ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધીમાં રાજ્યના ૫૩ તાલુકામાં ૨ મીમી થી માંડી ૪૭ મીમી કમોસમી વરસાદ નોંધાયો છે અને હજુ આગામી બે દિવસ માવઠાની આગાહી હોવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે. કેટલાક ગામોમાં આકરા તાપ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વાવાઝોડા સાથે માવઠું પડતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. ભાવનગરના ત્રાંબક ગામમાં કરા સાથે વરસાદ પડ્યો છે.

Advertisement

ભુજમાં ૪૭ મીમી કમોસમી વરસાદ પડી જતા પાક નિષફળ જતા ખેડૂતોમાં કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. ભુજના થરાવડા,અબડાસાના ઉસ્તીયા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગાગોદર વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

આ સિવાય જામનગરના લાલપુર તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના ભટ્ટમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુરના ગઢકા અને પટેલકા ગામમાં પણ વરસાદ પડ્યો હતો. જામ્યો છે.

Advertisement
Continue Reading

Breaking News

ગુજરાતમાં ત્રીજા  દીવસે કોરોના વાયરસના 100 કરતાં વધુ કુલ 179 કેસ

Published

on

ગુજરાતમાં ત્રીજા  દીવસે કોરોના વાયરસના 100 કરતાં વધુ કુલ 179 કેસ નોંધાયા છે. તો બીજી તરફ, 45 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 655 એક્ટિવ કેસ છે. જ્યારે એકપણ દર્દીનું મોત નીપજ્યું નથી.

આ ઉપરાંત 4 જેટલા દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી અત્યાર સુધીમાં કુલ 11,047 દર્દીના મોત નીપજ્યા છે. તો 12 લાખથી વધુ દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

આજે રાજયના વિવિધ શહેરોમાં કોર્પોરેશન દ્વારા જાહેર કોરોનાના કેસ પર નજર કરીએ તો અમદાવાદ – 83,મહેસાણા – 21,રાજકોટ  – 13,અમરેલી – 9,સુરત કોર્પોરેશન – 9,સાબરકાંઠા – 8,રાજકોટ – 6,વડોદરા  – 5,સુરત – 3,સુરેન્દ્રનગર – 3,આણંદ – 2,ભાવનગર – 2, ગાંધીનગર – 2,જૂનાગઢ  – 2,પોરબંદર – 2,અમદાવાદ -1,ભરૂચ – 1,ખેડા – 1,મોરબી – 1,પાટણ – 1 કેસ નોંધાયા છે.

Advertisement

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ