Business
ભાજપે જંગલેશ્વરના નાગરિકોનો વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે: ઇન્દ્રનીલનાં ચાબખાં
Published
2 months agoon
By
Minal
રાજકોટ પૂર્વમાં જંગલેશ્વર સહિતનો વિસ્તાર કોંગ્રેસની પડખે : રોડ શોમાં ઉમટી ભીડ
ઇન્દ્રનીલ રાજગુરુ ઉપર થઇ ફૂલ વર્ષા ગળગળા થઇ ગયા
આખો પૂર્વ વિસ્તાર એકજુથ થઈને કોંગ્રેસને મત આપશે- અશોક ડાંગર
ભારતીય જનતા પક્ષે આજ દિવસ સુધી જંગલેશ્વર સહિતના પૂર્વના વિસ્તારોનો માત્ર વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે પણ આ વખતે પ્રજા ભોળવાશે નહી અને કોંગ્રેસને મત આપીને વિકાસના દ્વાર ખોલશે તેવું કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુએ જાહેરસભામાં જણાવ્યું હતું.
રાજકોટ પૂર્વના મતદારોએ આ વખતે પરિવર્તન લાવવાનું નક્કી કરી લીધું છે અને આ વિસ્તારના કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલ રાજગુરુને પ્રચાર દરમિયાન પ્રજાજનો તરફથી જે આવકારો મળી રહ્યો છે તે જોતા આ વખતની ચૂંટણીમાં તે જંગી બહુમતિએ વિજેતા બનીને ઈતિહાસ રચશે તેવું લાગી રહ્યું છે. જ્યારથી ઇન્દ્રનીલ રાજગુરુએ આ વિસ્તારના પ્રતિનિધિ બનવાની જાહેરાત કરી છે ત્યારથી અહીના લોકો એક સાચો સેવક મળ્યાની લાગણી અનુભવી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુએ આ વિસ્તારમાં જ્યાં જ્યાં રોડ-શો કે જાહેરસભા કરી છે ત્યાં ત્યાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે અને એકી અવાજે તેમને ટેકો જાહેર કર્યો છે.
જંગલેશ્વર વિસ્તારમાં તો અગાઉ ક્યારેય ન સર્જાયા હોય તેવા દ્રશ્યો ઇન્દ્રનીલ રાજગુરુના રોડ શોમાં જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં જ્યાં જ્યાં ઇન્દ્રનીલ રાજગુરુ ગયા ત્યાં તેમના ઉપર ફૂલ વર્ષા થઇ હતી અને ઇન્દ્રનીલ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ નાં નારા લાગ્યા હતા. આ વિસ્તારના લોકોનો આવો પ્રેમ જોઇને ઇન્દ્રનીલ રાજગુરુ ગળગળા થઇ ગયા હતા.
આ સ્થળે લોકોને સંબોધતા ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, જુદા જુદા કારણોસર આ વિસ્તારને બદનામ કરવામાં આવી રહ્યો છે પણ હવે હું એવું નહી થવા દઉં..આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈ ગયા પછી આ વિસ્તારના વિકાસની જવાબદારી મારી રહેશે અને હું વચન આપું છું કે, આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહીશ.
ઇન્દ્રનીલ રાજગુરુએ કહ્યું હતું કે, ભાજપના શાસનમાં આ વિસ્તારના લોકોનો વોટ બેંક તરીકે ઉપયોગ થયો છે. ભાજપના નેતાઓ આવીને વિકાસના નામે મત માગી જાય છે અને પછી આ વિસ્તારમાં ડોકાતા પણ નથી. પણ હવે સમય પરિવર્તનનો છે
અને ભાજપનો કારમો પરાજય થવાનો છે.
ઇન્દ્રનીલ રાજગુરુએ પોતાના ભાષણમાં કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનો પણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ગરીબ અને વંચિત લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટે કોંગ્રેસ કામ કરવાની છે. અત્યારે મોંઘવારી ઘરના રસોડા સુધી આંટો મારી ગઈ છે ત્યારે કોંગ્રેસ માત્ર 500 રૂૂપિયામાં ગેસનો બાટલો આપીને પ્રજાને મોટી રાહત આપવાની છે. જરૂૂરતમંદ લોકોને ઘરના ઘર મળી રહે તે માટેની આવાસ યોજના બનાવવાની છે.
આ સભામાં રાજકોટના પૂર્વ મેયર અને પ્રદેશ કોંગ્રેસનાં મહામંત્રી અશોકભાઈ ડાંગરે પણ સબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભાજપને નેતાઓ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને દર વખતે મત લઇ જાય છે પણ આ વખતે આ વિસ્તારની પ્રજા એકજુથ થઈને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની છે. આ પ્રસંગે અનેક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્દ્રનીલ રાજગુરુની તરફેણમાં મોટા પાયે મતદાન કરવા અનુરોધ કર્યો હતો.
You may like
Breaking News
સરકારનું ઠોસ કદમ : સોશિયલ મીડિયાના સુરક્ષિત ઉપયોગ માટે માર્ચથી ફરિયાદ અપીલ સમિતિઓ થશે કાર્યરત
Published
24 hours agoon
January 28, 2023
સોશિયલ મીડિયા એપ્સ ચલાવવાનું હવે વધુ સુરક્ષિત બનશે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે યુઝર્સની ફરિયાદો પર ધ્યાન આપવા માટે રચવામાં આવેલી ફરિયાદ અપીલ સમિતિઓ 1 માર્ચથી કામ કરવાનું શરૂ કરશે.જો તમને સોશિયલ મીડિયા કંપની વિરુદ્ધ કોઈ ફરિયાદ છે, તો હવે તમે તેને સરળતાથી કરી શકશો.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ (ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ) જેવી મોટી સોશિયલ મીડિયા કંપનીઓ વિરુદ્ધ યુઝર્સની ફરિયાદો પર ધ્યાન આપવા માટે રચાયેલી ફરિયાદ અપીલ સમિતિઓ (GACs) થી કામ કરવાનું શરૂ કરશે.
સરકાર દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ, ત્રણ GACsમાંથી દરેકમાં એક અધ્યક્ષ, સરકારી વિભાગો અને સંસ્થાઓમાંથી બે પૂર્ણ-સમયના સભ્યો, ઉદ્યોગમાંથી નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓ હશે, જેનો કાર્યકાળ ત્રણ વર્ષનો હશે.તે વધુમાં જણાવે છે કે ભારતમાં ઈન્ટરનેટ ખુલ્લું, સુરક્ષિત અને ભરોસાપાત્ર અને જવાબદાર રહે તે સુનિશ્ચિત કરવા માટે GAC સમગ્ર નીતિ અને કાયદાકીય માળખાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
ઈન્ટરનેટ મધ્યસ્થીઓ દ્વારા મોટી સંખ્યામાં ફરિયાદો સાંભળવામાં આવતી નથી અને અસંતોષકારક જવાબો મળવાને કારણે GAC ની જરૂરિયાત ઊભી થઈ છે. GAC તમામ ઈન્ટરનેટ પ્લેટફોર્મ્સ અને મધ્યસ્થીઓ વચ્ચે તેમના વપરાશકર્તાઓ પ્રત્યે જવાબદારી ઉભી કરે તેવી અપેક્ષા છે.
સરકાર વતી, એવું કહેવામાં આવ્યું હતું કે વપરાશકર્તાઓ પાસે GAC સમક્ષ સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ અને અન્ય ઑનલાઇન મધ્યસ્થીઓના ફરિયાદ અધિકારીના નિર્ણય સામે અપીલ કરવાનો વિકલ્પ હશે. સમિતિ 30 દિવસના સમયગાળામાં વપરાશકર્તાઓની અપીલ સાંભળવાનો પ્રયાસ કરશે.
Business
આર એન્ડ બી ડેનિમ લિમિટેડ રેડીમેડ વસ્ત્રોનું કરશે ઉત્પાદન
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
ગુજરાત મિરર, મુંબઈ તા.28
બીએસઈ પર સૂચિબદ્ધ કંપની આર એન્ડ બી ડેનિમ્સ લિમિટેડ (ઇજઊ: 538119) ડેનિમની 30 મિલિયન મીટરથી વધુ ક્ષમતાની સૌથી મોટી વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ કાપડ ઉત્પાદન સુવિધા ફેસિલિટી ધરાવતી સૌથી પ્રભાવશાળી ટેક્સટાઇલ કંપનીઓમાંની એકે ફોરવર્ડ ઇન્ટિગ્રેશનની યોજના બનાવી છે જેમાં તે પોતાના બ્રાન્ડ નામ હેઠળ ડેનિમ વિભાગમાં રેડીમેડ વસ્ત્રોનું ઉત્પાદન કરશે. કંપની હવે ભારતની અગ્રણી વ્યાપક ડેનિમ ફેબ્રિક ઉત્પાદક છે જે એર જેટ લૂમ્સ – ડોબી મશીનોની નવી વિશ્વ-વર્ગની ટેક્નોલોજીમાં તેના તાજેતરના મોટા વિસ્તરણ સાથે 85 ઇંચ સુધીની ઊંચી પહોળાઈવાળા ડેનિમનું ઉત્પાદન કરવા સક્ષમ છે. ડોબી મશીનોની આ નવી ટેક્નોલોજી અપનાવ્યા પછી, કંપની ટૂંક સમયમાં ફોરવર્ડ ઈન્ટિગ્રેશનમાં પ્રવેશ કરશે, એટલે કે, પોતાનું બ્રાન્ડ નામ બનાવીને વસ્ત્રો ના વ્યવસાયિક ક્ષેત્ર માં પ્રવેશ કરશે. હાલમાં કંપની ફેબ્રિક વિવિંગ, ડાઇંગ અને પ્રોસેસિંગમાં છે અને કોટન સ્પિનિંગના વ્યવસાયિક એકીકરણ સાથે, વસ્ત્રો ના ક્ષેત્રમાં પ્રવેશ કરીને છઇ ફાઇબરથી ફેબ્રિક સુધીના ડેનિમના ઉત્પાદનના તમામ તબક્કાઓ પૂર્ણ કરશે અને આ રીતે તે યુવા ભારતીય માટે મૂલ્યવાન ડિઝાઇનર બ્રાન્ડ બનાવશે. કંપની કપડાં ના વ્યવસાય દ્વારા ઓછામાં ઓછા દસ ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે. અગાઉ, કંપનીએ નાણાંકીય વર્ષ 2023 ના દ્વિતીય ત્રિમાસિકમાં સ્થિર પ્રદર્શન આપ્યું હતું. ચાલુ કામગીરીથી આવક ₹14711.5 લાખ, ઊઇઈંઝઉઅ (કર અને અન્ય ખર્ચ બાદ કર્યા પહેલા ની આવક) ₹2337.32 લાખ હતી. ચાલુ વ્યવસાયથી કર પછીનો નફો ₹1240.60 લાખ હતો. કંપનીએ ખર્ચમાં ઘટાડો, લવચીક કાર્યકારી મૂડી વ્યવસ્થાપન અને ઉત્પાદકતા અને કાર્યક્ષમતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તેનો નફો જાળવી રાખ્યો છે. કંપનીનું રેટિંગ પણ ડિસેમ્બર 22 માં ઇઇઇ- થી ઇઇઇ સ્ટેબલમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે.
Business
મૂડી બજારના ઈતિહાસની વિચિત્ર ઘટના, અદાણીનો IPO 9 ટકાના પ્રીમિયમમાંથી 15.7 ટકા ડિસ્કાઉન્ટમાં!
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
ગુજરાત મિરર, અમદાવાદ તા.28
દેશનો બીજા નંબરનો સૌથી મોટો રૂા.20,000 કરોડનો અદાણીનો ફોલોઅન ઈશ્યુ ખુલતા પ્રથમ દિવસે જ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો માહોલ સર્જાયો છે. બન્યું એવું છે કે, જ્યારે ઈશ્યુ ખુલ્લો મુકાયો ત્યારે એફપીઓ 9 ટકાના પ્રિમીયમ લેખે ભાવ જાહેર કરાયો હતો, પરંતુ બે દિવસમાં બજારમાં બોલી ગયેલા કડાકા વચ્ચે હાલ ઈશ્યુની પ્રાઈઝ 15.7 ટકા ડિસ્કાઉન્ટમાં આવી જતાં આ ઘટના મુડી બજારના ઈતિહાસની વિચિત્ર ઘટના ગણાવાઈ રહી છે.
અદાણી ગ્રુપની ફલેગશીપ કંપની અદાણી એન્ટર પ્રાઈસીસ એક રૂપિયાના શેરદીઠ 3112થી 3276 રૂપિયાની પ્રાઈશે બેન્ડમાં 20 હજાર કરોડ રૂપિયાનો દેશનો સૌથી મોટો ફોલોઓન પબ્લીક ઈશ્યુ લઈ શુક્રવારે મુડી બજારમાં પ્રવેશ છે. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી હાલત થઈ છે. ઈસ્યુ પ્રથમ દિવસે એચએન1 માં એક ટકો, રિટેલમાં બે ટકા અને એમ્પ્લોઈઝ કવોટામાં ચાર ટકા એક કુલ મળીને માત્ર એક ટકો જ ભરાયો છે. બીજી એક મહત્વની વાત એ છે કે અહિં આગલા દિવસ સુધી ગ્રેમાર્કેટમાં 65-66 જેવા પ્રિમીયમ બોલાતા હતાં તેની સામે હાલ તમામ સોદા થંભી ગયા છે. કેમ કે શુક્રવારના કડાકામાં અદાણી એન્ટરનો શેર 18.5 ટકા તૂટીને 2762 બંધ થયો છે. મતલબ કે 3276ની અપર બેન્ડના મુકાબલે શેર હાલ ઓપન માર્કેટમાં 514 રૂપિયા કે 15.7 ટકા નીચા ભાવે મળી રહ્યો છે. તો પછી ફોલોઓનમાં આ ભાવે કોણ રોકાણ કરશે ? તે સવાલ સર્જાયો છે.
જ્યારે અદાણી ગ્રુપે ફોલોઓન ઈશ્યુ અને તેની પ્રાઈસ બેન્ડ જાહેર કર્યા ત્યારે શેરનો બજાર ભાવ અપર બેન્ડથી 9 ટકા (રિટેલવાળા માટે શેરદીઠ 64નું પ્રિમીયમ ગણતાં 11 ટકા) ઉંચે ચાલતો હતો ત્રણ ચાર દિવમાં જ તખ્તો ઉલટો થઈ ગયો છે, હવે ફોલોઓન ઈસ્યુ બજાર ભાવથી 15.7 ટકાના ડિસ્કાઉન્ટમાં થઈ ગયો હોવાની વિચિત્ર સ્થિતિ પેદા થઈ છે ! આ એક અનોખી ઘટના છે ! મુડી બજારના ઈતિહાસમાં આવું તો કયારેય બન્યુ નથી. જો આ સ્થિતિ યથાવત રહી કે ચાલુ રહી તો પછી ઈશ્યુની પ્રાઈસબેન્ડમાં ધરખમ ઘટાડો કરવો પડશે.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
