Udaan
પ્રકૃતિથી પ્રેમ અને વિજ્ઞાનમાં રુચિ વડે સફળતાનું સંશોધન
Published
2 months agoon
By
ગુજરાત મિરર
પ્રકૃતિ અને વૃક્ષોની જાળવણી માટે કોઈ પણ ક્ષણે તત્પર રહેતા ડો. શબનમ સૈયદ વિવિધ પ્રકારના પારંપારિક વૃક્ષો વાવીને લુપ્ત થતાં પંખીઓને બચાવવાની આપે છે શીખ
આપણે સહુ કોઈએ બાળપણમાં સાંભળેલી વાર્તામાં ‘એક ચતુર કાગડો હતો’ એવું જરૂર સાંભળ્યુ હશે. આ ચતુર કાગડો હવે શહેરોમાં જોવા નથી મળતો એટલું જ નહીં પરંતુ તેની પ્રજાતિ વિલુપ્ત થઈ જશે એવો પણ ડર સેવાઈ રહ્યો છે.જે કાગડાને આપણે શ્રાદ્ધ પક્ષમાં જ યાદ કરીએ છીએ એવા આ પંખી વિશે કોઈ ઝીણી ઝીણી માહિતી એકઠી કરે,તેના પર પીએચ.ડી. કરી ડોક્ટરેટ ડિગ્રી મેળવે તો આશ્ચર્ય જરૂર થાય,પરંતુ પ્રકૃતિ સાથે પ્રેમ અને વિજ્ઞાનમાં રૂચિ ધરાવતા ડો. .શબનમ સૈયદે કાગડાને લઈને રસપ્રદ સંશોધન કર્યું છે.જેમણે ઝુઓલોજી વિષય લઈને માસ્ટર ડિગ્રી મેળવી છે, પ્રકૃતિ અને પંખીઓ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી છે તેવા મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મોવાણા ગામના ખેડૂત પુત્રી અને હાલ અમદાવાદ વસતા ડોક્ટર શબનમ સૈયદને જોઈએ તો પ્રકૃતિપ્રેમ,વિજ્ઞાન અને સ્ત્રી શક્તિનો અનોખો સંગમ જોવા મળે.મુસ્લિમ કોમ્યુનિટીમાં જન્મ,નાના ગામમાં ઉછેર અને અભ્યાસ હોવા છતાં તેમના સપનાની ઉડાન ખૂબ ઊંચી રહી છે.
જન્મ અને ઉછેર જૂનાગઢમાં થયો. બહાઉદ્દીન કોલેજ જૂનાગઢમાં બીએસસી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એસસી. ઝુઓલોજી અને પીએચ.ડી. કર્યું. પીએચ.ડી. પણ પણ કંઈક અલગ એવા કાગડો વિષય પસંદ કરીને કર્યું. આ રિસર્ચ ખૂબ જ રસપ્રદ હતું અને હાલ તેઓ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીમાં આસિસ્ટન્ટ ક્યુરેટર પદ પર જોબ કરી રહ્યા છે. અહીં સુધી પહોંચવાની યાત્રા અનેક સંઘર્ષો અને પરિશ્રમ સભર રહી છે. જૂનાગઢના એક સામાન્ય મુસ્લિમ પરિવારમાંથી આવતા હોવા છતાં માતા રીટાયર નર્સ હોવાના કારણે ભણતરનું મહત્વ નાનપણથી જ સમજાવ્યું. માતા સૈયદ નૂરજહાં કાસમિયા અને પિતા સૈયદ કાસમિયા સુલેમાન મિયા જેને ત્રણ દીકરીઓ.ત્રણેયને ઉચ્ચ શિક્ષણ આપ્યું,જેમાં નાની દીકરી શબનમ કે જેને પ્રકૃતિથી પ્રેમ અને વિજ્ઞાનની અવનવી વાતોમાં રસ પડ્યો. શાળા-કોલેજના શિક્ષણ બાદ પીએચ.ડી.ના શિક્ષણ સમયે દીકરી લગ્ન કરી અને સેટ થઈ જાય તેવી માતા-પિતાની ઈચ્છા હતી.પરિવારમાં માતા સિવાય કોઈ ભણેલું ન હોવાથી સમાજ અને લોકો શું કહેશે તેની ચિંતા કરતા માતા-પિતાને ક્યાં ખબર હતી કે દીકરીને તો હજુ સફળતાની ખૂબ લાંબી મજલ કાપવાની છે. સૌપ્રથમ ગાંધીનગર ગુજરાત ઇકોલોજી કમિશન,ગુજરાત ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ……ઈંઈણખ પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી. આ દરમિયાન તેઓએ ચેરના જંગલો તથા કોરલ(પરવાળા)ના વ્યવસ્થાપન ઉપર કામ કર્યું સાથે દરિયાઈ કાચબા અને માછીમારોના જીવનને સંલગ્ન કામગીરી બજાવી.આ ઉપરાંત ક્રાઈસ્ટ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની કામગીરી દરમિયાન ઞૠ તથા ઙૠના વિદ્યાર્થીઓને ભણાવવા સાથે નેચરલ ક્લબ ક્રાઈસ્ટ કોલેજમાં કોઓર્ડિનેટર તરીકે કામ કરતા કરતા પણ પ્રકૃતિની જાળવણીનો સંદેશ ફેલાવવાનું ચાલુ રાખ્યું.ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી સાથે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત ઈન્ડિયાની સૌથી મોટી સાયન્સ ગેલેરી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીમાં આસિસ્ટન્ટ ક્યુરેટરની જોબ મળી. આ બધી કામગીરી સાથે સાથે તેઓનો પ્રકૃતિનો પ્રેમ તો અકબંધ રહ્યો છે. જ્યારે પણ સમય મળે ત્યારે પ્રકૃતિની ગોદમાં જઈ અને તેને માણવાની,તેના સંરક્ષણની તક તેઓ ચૂકતા નથી. હાલ તેઓ મેનેજમેન્ટ ફિલ્ડમાં છે. પરંતુ તેઓનું સ્વપ્ન રિસર્ચ વર્કમાં આગળ વધવાનું છે. રિસર્ચ વર્કમાં જ એક સારા પ્રાધ્યાપક તરીકે તેઓને નામના મેળવવી છે અને હાલ તેઓ આ તૈયારીમાં વ્યસ્ત છે તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા…..
પ્રકૃતિ પ્રેમીઓ સાથે
ડીપેન્ડ ના રહો… ઇન્ડિપેન્ડેન્ટ બનો
મહિલાઓને મેસેજ આપતા તેમણે જણાવ્યું હતું કે તમારી જાત પર વિશ્વાસ રાખો અન્ય સાથે તમારી જાતની સરખામણી ના કરો. મહિલાઓએ આર્થિક, સામાજિક તેમજ ઈમોશનલી સ્વતંત્ર હોવું ખૂબ જરૂૂરી છે કોઈના ચીંધેલા માર્ગ પર ન ચાલો. તમે પોતે જ વિચાર કરી અને જે યોગ્ય લાગે તે કરશો તો સફળતા અવશ્ય મળશે જ.
સંઘર્ષ થી સફળતા
એક નાના ગામમાંથી મોટા શહેરમાં જઈ પોતાની આગવી ઓળખ બનાવવાની તેમની આ યાત્રા સરળ નહોતી.પરિવારમાં ભણતરના અભાવના કારણે માતા-પિતા વિચારતા કે હજુ કેટલું ભણવું છે? શહેરમાં જઈ એકલા રહી નોકરી કરવાનો નિર્ણય કોઈ રીતે ગળે ના ઉતરે તેવો હતો.મુસ્લિમ કોમ્યુનિટી અને પોતે સિંગલ હોવાના કારણે તેઓને ઘર ભાડે રાખવાથી લઈ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત નાના ગામમાંથી આવતા હોવાના કારણે લોકોની અવગણનાનો પણ ભોગ બનવું પડતું હતું.અનેક સારા-નરસા અનુભવો થયાં ,છતાં પોતાને જે કરવું છે તેમાં તેનો આત્મવિશ્વાસ અને મહેનત કરવામાં પાછી પાની ન કરવાના ગુણના કારણે તેઓ જે પણ કામ કરે છે તેમાં સફળતા મેળવે છે. આજે માતા પિતા અને પરિવારજનો તેમના પર ગર્વ અનુભવે છે.
સફાઈ કામદાર એવા કાગડા પર રસપ્રદ અને અદ્ભુત રિસર્ચ
એમએસસી કર્યા બાદ પીએચ.ડી. કરવાના સમયે રીટાયર પ્રોફેસર ડો. વિનોદ સોની સાહેબ અને ડો .ભૂપત રાદડિયા સાહેબના સૂચન અને માર્ગદર્શન હેઠળ કાગડા પર રિસર્ચ કરવાનું નક્કી કર્યું.કાગડો એ એવું પંખી છે જે માનવ વસાહતમાં જ રહે છે.આજે કાગડાઓ ઓછા થતા જાય છે તેનું કારણ છે તેમને પ્રાપ્ય ખોરાક અને રહેઠાણની સગવડતા આપણે છીન્ન ભિન્ન કરી નાખી છે.કાગડાને ઊંચા જૂના અને ઘેરાવાવાળા વૃક્ષો પસંદ છે જે ઘેરાવામાં તે રહે છે અને તેના ખોરાકની વ્યવસ્થા પણ કરી લે છે. એ વૃક્ષોનો આપણે નાશ કર્યો છે અને બીજા વૃક્ષો વાવીએ છીએ એ પણ જલ્દી ઉગી જાય અને ફૂલો આપે તેવા વૃક્ષો પસંદ કરીએ છીએ. પંખી માળામાં રહે છે એ આપણી માન્યતા બિલકુલ ખોટી છે ફક્ત બ્રિડિંગ સમયે અને બચ્ચા મોટા કરવા માટે જ તે માળાનો સહારો લે છે બાકી પંખીઓ વૃક્ષોને જ રહેઠાણ બનાવીને રહેતા હોય છે અને આ રહેઠાણનો આજે આપણે નાશ કરી રહ્યા છીએ.હજુ પણ જે ઓછી સંખ્યા છે તેને આપણે બચાવી શકીએ છીએ. જો તેને અનુરૂપ વૃક્ષો વાવીએ.કાગડાઓને ગાંઠિયા ખવડાવી સમાજસેવા કરતા લોકોને તેઓ ચેતવે છે કારણ કે સોડાવાળા ગાંઠિયા ખવડાવવાથી કાગડાની ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થાય છે.આમ જો વૃક્ષો વાવવામાં વિવિધતા રાખીશું તો કાગડા જેવા અન્ય પંખીઓને પણ બચાવી શકીશું.
કેશોદ તાલુકાના મોવાણા ગામથી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી અમદાવાદ સુધીની રસપ્રદ સફર ખેડી છે ડો.શબનમ સૈયદે
Written by Bhavna Doshi
You may like
Udaan
તળેટીથી શિખર સુધી પહોંચી અનેકના જીવનની કરી કાયાપલટ
Published
3 days agoon
March 29, 2023By
ગુજરાત મિરર
માટી ચિકિત્સાથી આકર્ષાઈને 100થી વધુ પ્રોડક્ટ બનાવી હેલ્થ,વેલ્થ અને બ્યુટી ક્ષેત્રે ક્રાંતિ સર્જી છે ડો. અંજુ પાડલિયાએ
પોતાના સંઘર્ષ જેવી તકલીફ અન્ય મહિલાને વેઠવી ન પડે તે માટે મહિલાઓને આત્મનિર્ભર બનાવે છે ડો.અંજુ પાડલિયા
દિવાળીનો સમય હતો એ મહિલા કામની શોધ માટે એક બ્યુટીપાર્લરમાં જાય છે.પતિની દારૂૂની લત અને બાળકોના ઉછેરની જવાબદારીના કારણે રડી રહી હતી. બ્યુટી સલૂન ચલાવતી તે મહિલાએ પોતાની પ્રોડક્ટ તેને બતાવી અને જણાવ્યું કે દિવાળીનો સમય છે તું તારી તાકાત લગાડી અને આ પ્રોડક્ટ વેચ અને તારી દિવાળી સુધાર. એ મહિલાએ પણ ચેલેન્જ સ્વીકારી અને મહેનત કરી પ્રોડક્ટનું વેચાણ કરી બતાવ્યું.પેલી મહિલાએ આર્થિક રીતે કાયમ માટે પગભર બને એ માટે કોર્સ શીખવ્યો અને પોતાની પ્રોડક્ટ વેચવા માટે આપી.આવક થતાં તેનું સમગ્ર જીવન સુધરી ગયું.આ સલૂન ચલાવતી મહિલા એટલે માટીની 101 પ્રોડક્ટ બનાવતી સ્ત્રી સંચાલિત ‘કાયાપલટ’ના માલિક અને સ્થાપક ડો.અંજુ પાડલિયા.તેઓએ આ એક નહિ પણ અનેક મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમના જીવનની કાયાપલટ કરી છે પરંતુ આ બદલાવની યાત્રા સહેલી નહોતી.
અમરેલીના નવા ઉજળા ગામે જન્મ.માતા પ્રભાબેન બગથરિયા પિતા બટુકભાઈ બગથરિયા. ચાર બહેન અને એક ભાઈમાં સૌથી મોટું સંતાન હોવાથી નાનપણથી જ જવાબદારીઓ માથે આવી. નાના ભાઈ-બહેનને સાચવવાથી લઈને ચૂલામાં રસોઈ,વાડીએ ભાત લઈને જવું, નદીએ કપડાં ધોવા વગેરે તેઓ કરતા.પિતાજી માનતા કે કરિયાવરથી દીકરીનું ઘર ન ચાલે,પોતાની પાસે કલા હોવી જોઈએ એટલે મોતીકામ, સિલાઈકામ શીખ્યા.બાળપણમાં રમવાની ઉંમરમાં જ કમાવા લાગ્યા.જે કરવું તેમાં સફળ થઈને જ રહેવું એ મંત્ર નાનપણ થી જ મનમાં કોતરાઈ ગયો હતો.જવાબદારીના બોજ વચ્ચે વીતેલા બાળપણ વખતે ક્યાં ખબર હતી કે હજુ તો દોજખના દરિયાને ઓળંગવાનો છે.ધો.12 પૂરું કર્યું, ન કર્યું ત્યાં લગ્ન થઈ ગયાં.લગ્ન પછી નબળી આર્થિક સ્થિતિ,સંયુક્ત કુટુંબ,જુનવાણી વિચારધારા વચ્ચે બે બાળકોનો જન્મ થયો. બંને બાળકોને જોઈને જાણે જિંદગી જીવવા જેવી લાગતી પરંતુ દિવસે દિવસે આર્થિક સંઘર્ષ અને શારીરિક,માનસિક ત્રાસ વધતો ગયો.પતિથી અજાણ નાનકડી ખુરશીમાં આઈબ્રો કરવાથી પાર્લરની શરૂૂઆત કરી. પૈસા આવતા સુખનું કિરણ દેખાયું પરંતુ પતિની લત અને બેકારી વચ્ચે જિંદગી નિરાશાના વંટોળથી ઘેરાયેલી જ રહી.પોતાના કામ અને સ્વભાવના કારણે બ્યુટી પાર્લરની આવક વધતા પોતાનું ઘર લીધું અને ધીમે ધીમે આર્થિક સ્થિતિ સ્થિર થવા લાગી પરંતુ માનસિક પરિતાપ એ જ રહ્યો અંતે બંને દીકરાના ભવિષ્યનો વિચાર કરી 2016માં પતિથી અલગ થવાનો નિર્ણય કર્યો.જાણે આ નિર્ણયમાં ભગવાન પણ સાથે હોય તેમ અલગ થયા બાદ દરેક પગલે જીવનમાં સફળતા મળતી ગઈ. પ્રથમ વખત 550 બહેનોના સેમિનાર સાથે અત્યાર સુધીમાં 1000 સેમિનાર કર્યા.વિધાનસભાની ચૂંટણીમાં પણ ઊભા રહ્યા. ગુજરાતમાં ટોપ 25 બિઝનેસમેનમાં તેમનું નામ છે.2019માં બેસ્ટ મેકપ આર્ટિસ્ટ ઓફ ઇન્ડિયા તથા ગુજરાત રાઈઝિંગ સ્ટારનો એવોર્ડ મળ્યો. નેચરોપેથીનો અભ્યાસ શરૂૂ કર્યો. ગઉઉઢ નેચરોપેથી એન્ડ યોગની ડિગ્રી મેળવી.તેઓએ દુબઈ સહિત અનેક એક્સપો ઓર્ગેનાઇઝ કર્યા છે.સત્સંગ શિક્ષણની પરીક્ષામાં પ્રારંભ થી પ્રાજ્ઞ-3 સુધી પરીક્ષામાં 8 ગોલ્ડ મેડલ મળ્યા છે.
કોરોનાના કપરા સમયમાં સમયનો સદુપયોગ કરીને ‘કાયાપલટ’ બ્યુટી પ્રોડક્ટનું નિર્માણ કર્યું.સફરના આ પડાવમાં ડિપ્રેશન આવ્યું, નિરાશા પણ આવી પરંતુ હાર સ્વીકારે એ અંજુ નહિ.બાળકો સાથે ઇઅઙજ ના સત્સંગ અને સભામાં જતા અને પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આસ્થા જાગી. બંને દીકરાઓના સાથ અને ધર્મના સંગાથના કારણે કાંટાળા માર્ગ પર ચાલવું સરળ બન્યું.મોટો દીકરો બોની ખઇઅ છે અને કંપનીમાં એમડી છે અને પુત્રવધૂ નમ્રતા એચઆર છે અને નાનો દીકરો ડો.કેવલ કંપનીમાં સીઈઓ છે.તેમનું એક માત્ર સ્વપ્ન છે પોતાની કંપનીને 1,000 કરોડની ફર્મ બનાવવી છે અને હજારો નહિ પણ લાખો મહિલાઓને આર્થિક રીતે પગભર કરવી છે.અંજુબેનને ખૂબ ખૂબ શુભકામનાઓ….
કોઈના પ્રભાવમાં નહીં પણ પોતાના સ્વભાવમાં રહી નિર્ણય કરો
મહિલાઓને સંદેશ આપતા અંજુબેને જણાવ્યું કે જીવનના કોઈપણ તબક્કે આત્મવિશ્વાસ ગુમાવવો નહીં.સુખ અને દુ:ખ એ એક સિક્કાની બે બાજુઓે છે. કોઈના પ્રભાવમાં નહીં પરંતુ પોતાના સ્વભાવમાં રહી અને નિર્ણય કરવો. હંમેશા પોતાની છબી ઉજળી કરવાનો પ્રયત્ન કરશો તો મંઝિલ સુધી પહોંચતા વાર નહીં લાગે.
કુમકુમ બ્યુટીપાર્લરથી કાયાપલટ કંપનીની આ છે સફળ યાત્રા
એક સમયે ખુરશી રાખીને કુમકુમ બ્યુટીપાર્લર ચલાવનાર અંજુબેન પાડલિયા આજે કાયાપલટના 3 માળના કોર્પોરેટ બિલ્ડિંગના માલિક છે જેનો પ્રારંભ આવતી કાલે થવાનો છે.તેઓએ કોવિડના સમયમાં આહાર ચિકિત્સા, માટી ચિકિત્સા અને જળ ચિકિત્સા દ્વારા માટીની 3 પ્રોડક્ટ બજારમાં મૂકી. જુદી-જુદી માટી લઈને 2000 લોકો પર પ્રયોગો કર્યા. 17 બહેનોને ટ્રેઈન કરી.આ પ્રોડક્ટ પુના, મુંબઈ, હૈદરાબાદ, તેલંગાણા, આફ્રિકા, કેનેડા સહિત આઠ ક્ધટ્રીમાં પણ જાય છે ફક્ત 1000 રૂૂપિયામાં પ્રોડક્ટના ડિસ્ટ્રિબ્યુટરને 11 દિવસ તાલીમ આપે છે.20 % થી લઈને 50% ડિસ્કાઉન્ટ આપે છે તેમજ મોલ ખોલવો હોય તો 26 જાતની થેરેપી સાથે સમગ્ર પાર્લરની વ્યવસ્થા પણ કરે છે આ રીતે 17 બેચ પૂર્ણ થઈ છે. નવા રિટેલ મોલમાં પ્રોડક્ટનું વેચાણ થશે,નિ:શુલ્ક સેમિનાર ચલાવવામાં આવશે તેમજ બહેનોને આત્મનિર્ભર બનાવવા માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવશે આ ઉપરાંત અમેરિકા માન્યતા ધરાવતો વર્લ્ડ વાઈડ યોગનો કોર્સ પણ કરાવવામાં આવશે. તેઓએ જણાવ્યું કે 0% કેમિકલ ફ્રી માટી સિક્કિમથી લાવવામાં આવે છે વાવડીમાં તેનું પ્રોડક્શન થાય છે.માટી ઉપર ખાસ પ્રોસેસ કરીને પ્રોડક્ટ બનાવવામાં આવે છે જેમાં મેકઅપ થી લઈને ફેશિયલ કીટ વગેરે 101 પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટ ગવર્મેન્ટ સર્ટિફાઇડ છે. હાલ તેમાં 4,500 હેલ્થ કોચ છે.
Udaan
કાર્યનિષ્ઠાથી ડેપ્યુટી મેયરના પ્રતિષ્ઠિત પદ સુધી પહોંચ્યા કંચનબેન સિદ્ધપુરા
Published
1 week agoon
March 22, 2023By
ગુજરાત મિરર
ઘરમાં બજાવે છે સામાન્ય ગૃહિણીની ભૂમિકા: વહેલી સવારે ઊઠી ચા, પાણી, રસોઈ, સાફ-સફાઈ દરેક કામ તેઓ જાતે કરે છે
છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પક્ષમાં વિવિધ જવાબદારી નિભાવતા કંચનબેન રાજકોટની જનતાના પ્રશ્નોના ઉકેલ માટે પોતાનો અનુભવ કામે લગાડશે
‘આજે મારી આંખોમાં હરખના આંસુ છે,કારણ કે બે દાયકાથી વધુ પક્ષમાં કરેલ કામગીરી, અનુભવની કદર થઈ હોય તેવું લાગે છે.ફક્ત હું જ નહિ પણ મહિલા મોરચા સહિત મારા દરેક સાથી કાર્યકરો ખુશ થયા છે. મેં હંમેશા પક્ષને આગળ રાખીને કામ કર્યું છે. કોઈ કામને નાનું કે મોટું ગણ્યું નથી અને એટલે જ જાણે એ દરેક કામના ફળ રૂૂપે,લોકોના આશીર્વાદ રૂપે આ પદ મળ્યું છે.’ આ શબ્દો છે રાજકોટના ડેપ્યુટી મેયર પદે વરણી થયેલ કંચનબેન સિદ્ધપુરાના.ડેપ્યુટી મેયર પદ માટે નામ જાહેર થતાં નાના-મોટા દરેક લોકો ફૂલોના ગુલદસ્તા સાથે અભિનંદન આપી પોતાની ખુશી વ્યક્ત કરી રહ્યાં હતા. બધાનો સૂર એક જ હતો કે બેન, તમારી મહેનત રંગ લાવી છે. હસતા ચહેરે દરેકની શુભેચ્છાનો સ્વીકાર કરતા કંચનબેનના મોં પર આત્મસંતોષ છલકાતો હતો. વ્યસ્ત હોવા છતાં તેમની આ ઉડાન વિષે તેઓએ ખૂબ રસપૂર્વક માહિતી આપી હતી.
રાજકોટમાં લુહાર પરિવારમાં જન્મ અને કોડીનારમાં અભ્યાસ કર્યો અને ફરીથી રાજકોટ આવ્યા.3 ભાઈ અને 2 બહેનનો પરિવાર હતો.માતા ઉજ્જમ બેન કવા અને પિતા હરજીવનભાઈ કવા.પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે 8 ધોરણ સુધીનો અભ્યાસ કરી માતાને મોતીકામ, ચાંદીકામ વગેરેમાં મદદ કરવા લાગ્યા.યોગ્ય ઉંમર થતાં રાજકોટમાં જ રાજેશભાઈ સિદ્ધપુરા સાથે લગ્ન થયા.લગ્ન પછી પતિના કામ માટે પાંચેક વર્ષ મુંબઈ રહ્યા પરંતુ સાસુ મૂક-બધિર હોવાથી તેમના છેલ્લા દિવસોમાં સેવા કરવા માટે ફરી રાજકોટ આવ્યા. અહીં વોર્ડમાં ભારતીય જનતા પક્ષની નાની-મોટી મિટિંગો થતી તેમાં તેઓ હાજરી આપતા અને ધીમે ધીમે રસ જાગવા લાગ્યો ત્યારે ખબર પણ નહોતી કે ગૃહિણીની જવાબદારી નિભાવતા આ મહિલા ડેપ્યુટી મેયરના પદ સુધી પહોંચશે. આ બાબતે કંચનબેને જણાવ્યું કે, ‘રાતોરાત અહીં સુધી નથી પહોંચી.ધીમે ધીમે પગથિયાં ચડતા આ મંઝિલ મળી છે. સૌ પ્રથમ વોર્ડ નં 18(જૂનો)માં મહામંત્રીની જવાબદારી મળી. 3 વર્ષ બાદ મહિલા મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી, આ કામગીરી જોતા તેમની નિમણૂંક રાજકોટ જિલ્લા જેલ સમિતિમાં મહિલા સામાજિક કાર્યકર તરીકે થઈ.જ્યાં જવાબદારી સોંપાઈ ત્યાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું. કોઈ પણ ચૂંટણી હોય ત્યાં ગંભીરતાથી કામગીરી કરી છે. 2009માં શહેર ભાજપ મંત્રી તરીકે ફરજ નિભાવી,ઉપરાંત શહેર મહિલા મોરચાના મહા મંત્રી તરીકે ફરજ બજાવી હતી.’
તેઓ કાયદા નિયમોની કમિટીમાં ચેરમેન પદે છે.લુહાર જ્ઞાતિમાં પ્રથમ મહિલા છે જે અહીં સુધી પહોંચ્યા છે.હંમેશા તેઓ બહેનોને સાથે રાખીને કામ કરે છે.નાની મોટી કોઈ પણ વ્યક્તિને પ્રેમથી જવાબ આપવો અને તેની વાત સાંભળી તરતજ તેનું કામ થઈ જાય તેવા પ્રયત્નો કરે છે.અત્યાર સુધી રોજ સવારે વોર્ડમાં જઈ લોકોના પ્રશ્ર્નો (કચરો, પાણી, ગટર, બ્લોક) સાંભળતા તેમજ બપોરના સમયે કોર્પોરેશનની ઓફિસમાં નિયમિત હાજરી આપી લોકોના પ્રશ્નોને વાચા આપતા.આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,વિધવા પેન્શન જેવા અનેક પ્રશ્નોનો તેઓ જાતે જઈને ઉકેલ લાવતા.એક ઘટનાનો ઉલ્લેખ કરતાં તેઓએ જણાવ્યું કે, ‘એક 95 વર્ષના વૃદ્ધા પાસે આધાર કાર્ડ,ચૂંટણી કાર્ડ નહોતા. પાંચ દીકરા હોવા છતાં મુશ્કેલીમાં જીવન વિતાવતા હતા.તેઓને બંને કાર્ડ કઢાવી દીધા અને પેન્શન ચાલુ કરાવી દીધા.માજી ખૂબ ખુશ થયા અને દિલથી આશીર્વાદ આપ્યા. આવા આશીર્વાદના કારણે જ હું આજે આ સ્થાને છું. ’ તેઓનું ભવિષ્યનું કોઈ મોટું સ્વપ્ન કે યોજના નથી ,બસ લોકોની સેવામાં જીવન વિતે એ જ ઈચ્છા છે.કંચનબેનને ખૂબ ખૂબ શુભેચ્છાઓ….
ઘરમાં તેઓ હોય છે ગૃહિણીના રોલમાં
ડેપ્યુટી મેયરની ઓફિસમાં ટેબલ પાછળ બધાની શુભેચ્છાઓ ઝીલતા કંચનબેન ઘરમાં એકદમ ગૃહિણી જેવું જીવન વિતાવે છે. સવારે ઊઠીને ચા, પાણી કરવા, સાફ-સફાઈ, રસોઈ વગેરે જાતે જ કરે છે.બધું જ કામ પતાવી 9:30 વાગ્યે તૈયાર થઈ જાય છે.સામાન્ય રીતે તેઓ સાડીમાં જોવા મળે છે, ક્યારેક ફરવા જાય તો સલવાર-કુર્તા પહેરે છે. તેમને સાદું ભોજન પસંદ છે.
સાચી નિષ્ઠાથી કામ કરો
મહિલાઓને સંદેશ આપતાં તેઓએ જણાવ્યું કે હંમેશા વાદ-વિવાદથી પર રહીને કાર્ય કરો.જે કામ કરો તે પૂરી લગન અને નિષ્ઠાથી કરો.અપેક્ષા વગર કામ કરશો તો તેનું ફળ અવશ્ય મળશે જ.
ડગલે ને પગલે મળ્યો છે પતિનો સાથ
કંચન બેને જણાવ્યું કે, ‘આ ક્ષેત્રમાં આવી ત્યારે પતિ એ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને અત્યારે પણ તેમનો સંપૂર્ણ સાથ છે.’ લગ્ન જીવનના 25 વર્ષની ઉત્સાહભેર ઉજવણી કરી હતી ત્યારે રાજેશભાઈ સિદ્ધપુરા સાચા અર્થમાં જીવન સાથી સાબિત થયા છે. તેમની સાથે હંમેશા સહાયકની ભૂમિકામાં તેઓ હાજર રહ્યા છે. પરિવાર,વ્યવહાર દરેક વખતે તેઓનો સ્નેહમય સાથ હોય જ છે જેનું કંચનબેન માટે ખૂબ મહત્ત્વ છે.
રાજકોટના પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે સજ્જ
રાજકોટની જનતાના પ્રશ્નો બાબત તેઓએ જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોના ઉકેલની કામગીરી તેઓ હંમેશ માટે કરતા આવ્યા છે એ જ રીતે તેઓ આગળ પણ કરતા રહેશે. પાંચે પદાધિકારીઓ સાથે મિટિંગ કરી અને પ્રજાલક્ષી કાર્યોનું ત્વરિત નિવારણ થાય તે રીતે કાર્ય કરશે.પોતાના અનુભવનો ઉપયોગ તેઓ લોકહિતના કાર્યમાં કરશે.
લુહાર જ્ઞાતિ મંડળમાં પણ મહત્ત્વની કામગીરી
ભાજપમાં આવ્યા બાદ લુહાર સમાજ મહિલા મંડળમાં પણ ઉપપ્રમુખ અને પ્રમુખ પદ સંભાળ્યું છે. સમાજ દ્વારા પણ તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. કોરોનાના સમયમાં પણ પોતાના સમાજની સાથે રહી રોજની 1000થી 1500 કિટનું વિતરણ કર્યું. આજે પણ દર બે મહિને ચાર દીકરીઓના આદર્શ લગ્ન કરાવે છે અને લુહાર સમાજ હિતેચ્છુ મંડળ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ પણ કરવામાં તેમનું યોગદાન છે.તેમની ડેપ્યુટી મેયર પદ પર નિમણૂંક થતાં સમસ્ત લુહાર સમાજમાં ખુશી વ્યાપી ગઈ હતી અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
Udaan
માતૃત્વના ‘એક રંગ’ દ્વારા દિવ્યાંગ દીકરીઓના જીવનમાં ઉજાસ
Published
2 weeks agoon
March 15, 2023By
ગુજરાત મિરર
એક નહિ 45 દિવ્યાંગ દીકરીઓની માતા બનનાર દીપિકાબેન પ્રજાપતિ દરેકને આત્મનિર્ભર બનાવવા કટીબદ્ધ છે
સ્પેશિયલ થેરાપી દ્વારા ડિસ-એબિલિટી ઓછી કરવાનો દીપિકાબેન પ્રજાપતિનો ઉત્તમ પ્રયાસ
મારી દીકરીઓ ચિત્ર સ્પર્ધા, ભરતનાટ્યમમાં નંબર લાવે છે. ઓલમ્પિક, ખેલ મહાકુંભ સહિત જિલ્લાની અન્ય સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરીને પોતાનું હીર ઝળકાવે છે.અમુકને તો ગીતાના શ્ર્લોક પણ કંઠસ્થ છે. મો પર આનંદ અને ખુશી સાથેની માતાની આવી વાત સાંભળીને કોઈને થાય કે એક માતા પોતાની દીકરીઓની વાત કરી રહી છે.આ વાત માતાની જ છે પરંતુ એક નહિ અનેક દિવ્યાંગ દીકરીઓની માતા એવા દીપિકાબેન કમલેશભાઈ પ્રજાપતિની વાત છે.આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત તાજેતરમાં તેઓને સુષ્મા સ્વરાજ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ત્યારે દિવ્યાંગ દીકરીઓના જીવનમાં ખુશીના રંગો ફેલાવતી તેમની સંસ્થા એક રંગ વિષે અને તેઓની દિવ્યાંગ દીકરીઓ પ્રત્યે સેવા અને નિષ્ઠાની વાત જાણવા જેવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા ગામમાં જન્મ થયો.માતા સવિતાબેન રાઠોડ અને પિતા ખાતુભાઈ રાઠોડ.પિતાજીની અમદાવાદમાં બદલી થતાં અભ્યાસ અમદાવાદમાં કર્યો.બી.કોમ, એલ.એલ.બી.,પીજીડી એલસી,સ્પેશિયલ બી.એડ. (ખછ)કર્યું. લોનો અભ્યાસ ચાલતો હતો એ દરમિયાન રાજકોટમાં કમલેશભાઈ પ્રજાપતિ સાથે લગ્ન થયા.પતિ સ્કૂલમાં જોબ કરતા હતા સાથે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ તરીકે તેઓ ગ્રામ્ય વિસ્તાર,આદિવાસી વિસ્તારના બાળકોના વિકાસ માટે સેમિનાર કરતા.આ દિવસો દરમિયાન તેઓએ મંદબુદ્ધિના બાળકોને જોયા.
દોઢ દાયકા પહેલાં સમાજમાં દિવ્યાંગ બાળકોને લઇને અવેરનેસ નહોતી.તેમની સ્થિતિ બહુ જ ખરાબ હતી.માતા-પિતા અને સમાજ દ્વારા આ બાળકો તિરસ્કૃત કરાતા.બાળકોમાં પણ દીકરીઓની સ્થિતિ વધુ ખરાબ હતી.ગામડાઓમાં દોરા-ધાગાથી લઈને શારીરિક, માનસિક ત્રાસ,શોષણ વગેરે જોઈને હૈયું હચમચી જતું હતું અને પરિણામ સ્વરૂપ 2012માં તેઓએ એક રંગ સંસ્થાનું બીજ રોપ્યું.એક દીકરીથી શરૂ કરીને આજે આ સંસ્થામાં 10 થી 30 વર્ષની વયની 45 દીકરીઓ છે. દીપિકાબેનને પણ સોશિયલ વર્કમાં રસ હતો તેથી બે બાળકોની જવાબદારી હોવા છતાં પતિનો ડગલે ને પગલે સાથ નિભાવતા હતા.એ સમયે ક્યાં ખબર હતી કે પતિ-પત્ની બંનેએ સાથે જોયેલ સ્વપ્નને પોતે એકલા હાથે સાકાર કરવાનું થશે.કોરોનાએ જેમ અનેકના પરિવાર છિન્ન-ભિન્ન કરી નાખ્યાં હતાં એ જ રીતે દીપિકાબેનના પરિવાર પર પણ આભ તૂટી પડ્યું. 21 દિવસમાં પતિ કમલેશભાઈ પ્રજાપતિ, સાસુ, સસરા ત્રણેએ અંતિમ વિદાય લીધી.પોતાના બે દીકરા સાથે 45 દિવ્યાંગ દીકરીઓની જવાબદારી માથે હતી.શું કરવું એ અસમંજસ વચ્ચે દિવ્યાંગ દીકરીઓના પ્રેમની જીત થઈ. દીપિકાબેને બંને દીકરા અને હિતેચ્છુઓ સાથે ચર્ચા કરીને એક રંગની પ્રવૃત્તિ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.
દિવ્યાંગ દીકરીઓની વાત જાણે પોતાની દીકરીઓની હોય એ રીતે દીપિકાબેન લાગણીશીલ બની જાય છે તેઓએ જણાવ્યું કે, આજે જે કંઈ પ્રવૃત્તિ ચાલે છે તેમાં દાતાઓનો ખાસ સહયોગ છે અને તેના માટે ખાસ આભારની લાગણી વ્યક્ત કરું છું.આશરે 15 જેટલા મહિલા સ્ટાફ દ્વારા મનોદિવ્યાંગ દીકરીઓની સાર-સંભાળ લેવામાં આવે છે. પૌષ્ટિકતત્ત્વોથી ભરપૂર સવાર – સાંજ નાસ્તો અને બપોર – રાત્રે ભોજન આપવામાં આવે છે.નિયમિત મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે તેમજ ભજન કીર્તન પણ શીખવાડવામાં આવે છે.તેમની આટલી સાર સંભાળ થકી 6 જેટલી દીકરીઓની દિવ્યાંગતા ઘટતા તેઓને સમાજમાં પુન:સ્થાપિત થવાની તક મળી છે.આ દીકરીઓ પરિવારમાં બોજ બન્યા વગર આત્મનિર્ભર બની છે.જે દીકરીઓ પોતાનું રોજિંદું કામ પણ યોગ્ય રીતે નથી કરી શકતી તેને આત્મનિર્ભર બનાવવાનું કામ નેવાના પાણીને મોભે ચડાવવા જેવું છે આમ છતાં હિંમત હાર્યા વગર અડગ રહી કામ કરે છે.દીપિકાબેનને બે દીકરા છે જેમાં આર્ય મેડિકલમાં છે તો રુદ્ર 12માં ધોરણમાં ભણે છે.દીકરાઓની કેરિયર, સાર-સંભાળ સાથે પોતાની પ્રવૃત્તિમાં એક રંગ રહેતા દીપિકા બેનનું સ્વપ્ન રાજકોટમાં કોઈ પણ બાળક ડીસ-એબિલિટીવાળું ન હોય તે છે.તેમનું સ્વપ્ન સાકાર થાય એવી શુભેચ્છાઓ
જો તમે એક રંગમાં તમારી મદદનો રંગ ઉમેરવા માગતા હો તો 9137690064 પર સંપર્ક કરી શકો છો. તેમજ વધુ વિગતો ૂૂૂ.ફયસફિક્ષલ.જ્ઞલિ પરથી મેળવી શકો છો.
એક કલાક કોઈ પણ સેવા કાર્ય માટે રાખો
મહિલાઓને સંદેશ આપતા તેઓએ જણાવ્યું હતું કે, દરેક સ્ત્રી જો ટાઈમ મેનેજમેન્ટ કરે તો એક કલાક
કોઈપણ સેવા કાર્ય માટે આપી શકે. જરૂૂરી નથી તમે કોઈ સંસ્થા સાથે જોડાવ, રોજ એક કલાક કોઈપણ સદ્કાર્ય માટે ફાળવશો તો ખૂબ જ આત્મસંતોષ પ્રાપ્ત થશે.
સેવાના અનેક રંગ ધરાવતી ‘એક રંગ’
એક રંગ ચિલ્ડ્રન્સ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટના પ્રમુખ દીપિકાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અહીં દિવ્યાંગ દીકરીઓને નિ:શુલ્ક રહેવા, ભણવા અને અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.જે દીકરીનું કોઈ ન હોય,સિંગલ પેરન્ટમાં પિતા હોય કે બીમાર માતા-પિતા હોય તેમને અહીં એડમિશન આપવામાં આવે છે. અહીં મનોદિવ્યાંગ, અપંગ, ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી, અટેન્શન ડેફિસિટ હાયપર એક્ટિવિટી ડીસઓર્ડર સહિતની વિકલાંગતા ધરાવતી આશરે 45 મનોદિવ્યાંગ દિકરીઓને નિ:શુલ્ક થેરાપી અને ડે-કેર તાલીમ આપવામાં આવે છે.સંસ્થા મનોદિવ્યાંગ બહેનોની ડિસેબિલિટી ઘટાડવા માટે ખાનગી ડોકટરો અને તજજ્ઞો દ્વારા ફિઝિયોથેરાપી,ઓક્યુપેશનલ થેરાપી, સેન્સરી ઇન્ટિગ્રેશન થેરાપી સ્પીચ એન્ડ લર્નિંગ, આર્ટ એન્ડ ક્રાફટ, મ્યુઝિક એન્ડ ડાન્સ, સાઉન્ડ હીલિંગ, હાઇડ્રો અને પ્લે થેરાપી આપવામાં આવે છે. તેમજ સ્પેશિયલ એજ્યુકેશન, પ્રિ-વોકેશનલ તાલીમ, બાળકો અને વાલીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. દીકરીઓને પ્રવાસમાં પણ લઈ જવામાં આવે છે. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સ્પોર્ટ્સમાં પણ દીકરીઓએ નામ રોશન કર્યું છે. જે થેરાપી દ્વારા દિવ્યાંગ દીકરીઓની તકલીફ ઝડપથી દૂર થઈ શકે તે થેરાપી શરૂ કરવામાં આવી છે.ખાનગી હોસ્પિટલમાં એક ક્લાકની જે થેરાપીના આશરે 1100 થી 1200 રૂપિયા ચાર્જ લેવાય છે તે અહીં નિ:શુલ્ક આપવામાં આવશે.
દિવ્યાંગ બાળકોને પ્રેમ આપો
દિવ્યાંગ બાળકો સમાજની ઉપેક્ષાનો ભોગ બનતા હોય છે જે બાબતે દીપિકાબેને જણાવ્યું કે ઘણી વખત આવા બાળકોની સમાજમાં મશ્કરી થતી હોય છે પરંતુ આવું વર્તન યોગ્ય નથી.તેઓને તમારી દયાની નહીં પરંતુ પ્રેમ અને હૂંફની જરૂર છે.
એડિટર ની ચોઈસ

IPL Opening Ceremony: અરિજિતે હિટ ગીતો ગાઈ ચાહકોના દિલ જીત્યા, તમન્ના અને રશ્મિકાના પરફોર્મન્સે સ્ટેડિયમને ડોલાવ્યું

દ.આફ્રિકાના ચિત્તાઓની ટીમને મુકન્દ્રા અથવા ગાંધીસાગર અભયારણ્યમાં ખસેડાશે

આંશિક રાહત : રાજ્યમાં કોરોનાના કેસ ગઇકાલ કરતાં 43 ઓછા,નવા 338 નોંધાયા

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર
લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ
ગુજરાત

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર
લાંબા ગાળાના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અપાવે છે સફળતા

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ

મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા
સ્પોર્ટસ

મોરબીમાં શિંગોળાના લોટની પૂરી ખાધા બાદ 30થી વધુને ઝેરી અસર
ઓખા-અરૂણાચલ વચ્ચે મંગળવારથી દોડશે સાપ્તાહિક સ્પેશિયલ સમર ટ્રેન

જુનિયર કલાર્કના કોલ લેટર ઓનલાઈન મુકાયા : તા.9મીએ પરીક્ષા

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

અંતિમ દિવસે 20 કરોડ ભેગા કરવા વેરાવિભાગ તૂટી પડ્યો
