Connect with us

Porbandar

પોરબંદરમાં મહિલાની હત્યા કરી બૂટલેગરનો ચોટીલામાં ભેદી આપઘાત

Published

on

પત્ની અને બે પુત્રીને ડુંગર ઉપર દર્શન કરવા મોકલી નામચીન શખ્સે કારમાં જ છરીથી પોતાનું ગળું કાપી નાંખ્યું: આત્મહત્યાની શંકાસ્પદ ઘટનામાં પોલીસ તપાસનો ધમધમાટ

ગુજરાત મિરર, રાજકોટ તા.7
પોરબંદરના ખડપીઠ વિસ્તારમાં એક સગર્ભા મહિલાનો હત્યા નીપજાવેલી હાલતમાં લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યા બાદ મૃતદેહ જે ઘરમાંથી મળી આવ્યો તે મહિલાના પાડોશી શખ્સની ગળાના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં લાશ પણ રહસ્યમય સંજોગોમાં ચોટીલાથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ શખ્સની હત્યા કરાઈ છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ પોરબંદરના ઝુંડાળા ખડપીઠ વિસ્તારમાં ખાડીકાંઠે રહેતા ત્રિકમ ઉકા ચાવડા નામનો યુવાન કાલે બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ચોટીલામાં હતો ત્યારે પોતાની કારમાં પોતાની જાતે ગળાના ભાગે છરી ફેરવી દેતા તેને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ મોત નિપજતા પતિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે ચોટીલા પોલીસ મથકના પીઆઇ જે.જે. જાડેજા સહિતના સ્ટાફે યુવાનની હત્યા થઈ છે કે પછી આપઘાત કર્યો છે. તે જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.


આ અંગે પ્રાથમિક પૂછપરછમાં મૃતક ત્રિકમ ચાવડા નામચીન બુટલેગર છે. તેની બાજુમાં જ રહેતી તેની પાડોશી કંચનબેન અશ્વિનભાઈ બળેજા નામની 36 વર્ષીય સગર્ભા મહિલા ગત મંગળવારે સવારે 10:30 થી 11 દરમિયાન પોતે સગર્ભા હોવાથી ચકાસણી માટે ઘરેથી નીકળી હતી અને ઘરે પરત ન આવતા તેના પતિ અશ્વિને કમલાબાગ પોલીસ મથકે પત્ની ગુમ થયાની જાણ કરી હતી. બાદ ગઈ કાલે શંકાના આધારે અને દુર્ગંધ ફેલાઈ જતા પોલીસે અશ્વિનના પાડોશી ત્રિકમ ઉકા ચાવડા ઉર્ફે મુન્નોના ઘરે પહોંચી હતી અને મકાન બંધ જોવાથી મામલતદારને સાથે રાખી ડેલાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો જ્યા પાડોશીના મકાનમાંથી કંચનબેનનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા માર્યો હોય તેવી આશંકા પોલીસ સેવી રહી છે. પોલીસે એએસએલ તથા ડોગ સ્કવોડ બોલાવી તપાસ હાથ ધરી હતી. જે ગુનામાં કમલાબાગ પોલીસ મથકમાં મૃતક ત્રિકમ ચાવડાનું શકમંદ તરીકે નોંધવામાં આવ્યું છે. અને મૃતક યુવાન પોતાની પત્ની અને બે પુત્રી સાથે ચોટીલા દર્શન કરવા આવ્યો હતો. પત્ની અને બંને પુત્રી દર્શન કરવા ઉપર ગયા બાદ ત્રિકમ ચાવડાએ પોતાની જાતે ગળું કાપી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ચોટીલા પોલીસ ત્રિકમની હત્યા કે આત્મહત્યા અંગે તપાસ કરી રહી છે.

ચકચારી ઘટનામાં પાંચ બાળકોએ માતા અને પિતાનું છત્ર ગુમાવ્યું
જેમની લાશ બુટલેગરના ઘરમાંથી મળી આવી છે તે કંચનબેન બે સંતાનોના માતા હતા અને ત્રણેક મહિનાની ગર્ભાવસ્થા ધરાવતા હતા જ્યારે બુટલેગરને પણ સંતાનમાં ત્રણ બાળકો હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

બૂટલેગરના પરિવારજનોના ફોન બંધ
પોતાની પત્ની ગુમ થઇ ત્યારપછીથી બુટલેગર અને તેના પરિવારજનોના ફોન પણ બંધ આવતા હોવાનું મૃતકના પતિએ પોલીસને જણાવ્યું હતું,તેના પરિવારના અન્ય સભ્યો એકાદ મહિનાથી અમદાવાદ કે અન્ય શહેરમાં મુકીને મુન્નો અહી તેના પુત્ર સાથે એકલો જ રહેતો હોવાનું કબુલ્યું હતું.

Porbandar

પોરબંદરમાં હત્યા સંદર્ભે ખંભાળિયામાં ગઢવી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન

Published

on

પોલીસની કામગીરી સામે શંકા: સીબીઆઈ, એટીએસને તપાસ સોંપવાની માંગ 

પોરબંદરના ખીજડી પ્લોટ વિસ્તારમાં તાજેતરમાં રાત્રિના સમયે એક ગઢવી યુવાન કાયાભાઈ રામાભાઈ ગઢવીની જાહેરમાં ધમધમતા રોડ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં ત્રણ મુસ્લિમ શખ્સોની પોલીસે અટકાયત કરી હતી.

આ બનાવના સંદર્ભે ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગઢવી સમાજના યુવાનો, આગેવાનો દ્વારા ગઈકાલે ગુરુવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવી, આ સમગ્ર બનાવને શંકાસ્પદ ગણાવી, તેમના મોબાઈલને ચેક કરવા તેમજ આ પ્રકરણમાં સંદર્ભ સંભવિત રીતે લવ જેહાદ ના ગ્રુપની સંડોવણી તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્સોની સંડોવણી હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

થોડા સમય પૂર્વે પણ પોરબંદરના યુવાનની હત્યાની કોશિશમાં પ્રકરણમાં આ ગઢવી યુવાન સાક્ષી તરીકે હતો. તેથી તે મુસ્લિમ શખ્સોના નિશાના પર હોવાનું આ પત્રમાં જણાવ્યું છે. હત્યાના સ્થળના સીસીટીવી ફૂટેજ તપાસવા તેમજ આ પ્રકરણમાં પોલીસની ભૂમિકા સામે શંકા વ્યક્ત કરી, હત્યા પ્રકરણની તપાસ સી.બી.આઈ. કે એ.ટી.એસ.ને સોંપવા આ પત્રમાં માંગ કરવામાં આવી છે.

Continue Reading

Porbandar

પોરબંદર એસ.ટી. ડેપોમાંથી મળેલ મોબાઈલ ડ્રાઈવરે માલિકને પરત કર્યો

Published

on

એસટી કર્મચારીની પ્રમાણિકતાને બિરદાવતા મુસાફરો

પોરબંદર સ્ટેન્ટ મા ફરજ પરના જુનાગઢ ડેપો ના ડ્રાઈવર નયનભાઈ ભીટ ને મોબાઈલ ફોન મલેલ જે મૂળ માલિક ખીરસરા ના હેમંતભાઈ બુટાણી ને બોલાવી ફરજ ઉપરના સ્ટેન્ડ ઇન્ચાર્જ દેવશીભાઈ ની રૂૂબરૂૂમાં ખરાઈ કરી પરત આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે નયનભાઈ ભીટ દ્વારા અગાઉ તેવો 108 માં દ્વરાવર ની ફરજ બજાવતા હતા તે દરમ્યાન તેવો ને 3 લાખ ની રોકડ રકમ વારું બેગ મળેલ ત્યારે તેવો દ્વારા મૂળ માલિક ને સોંઘી માનવતા ની રહે તેવો દ્વારા મૂળ માલિક ને પરત કરાયું હતું તેજ રીતે હાલ તેવો તિં બસ માં દ્વરાવર તરીકે ફરજ બજાવે છે તેવો હાલ ફરજ પર હોય ત્યારે એક મોબાઈલ ફોન આશરે 20 હજાર ની કિંમત નો હોવાથી તેવો ને મળતા તેવો દ્વારા મૂળ માલિક ને ખારાય કરી ને પરત કરેલ ત્યારે એક નયનભાઈ ભિટ જેવા વ્યક્તિ ઓ ને જોઈ ને આજે પણ માનવતા તેવો ચૂકતા નથી લોકો ને એક માનવતા ભર્યું કરિય કરી લોકો ને માણતા ની રહે ચાલવા નો સંદેશો પાઠવ્યો હતો મોબાઈલ ના મૂળ માલિક દ્વારા નયનભાઈ ભીટ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement
Continue Reading

Porbandar

માધવપુરમાં કરન્સીઓનું પ્રદર્શન યોજાયું

Published

on

By

પોરબંદર જિલ્લાના માધવપુર ગામે શેઠ એન ડી આર હાઈસ્કુલ માં સૌપ્રથમ વખત ભારતીય ચલણ તથા વિદેશી ચલણનું કરન્સી પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદરના માધવપુરના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ભનુભાઈ ભુવા તથા પ્રાઇમરિ પે સેન્ટરના આચાર્ય લીલાભાઈ ચૌહાણ અને અન્ય પ્રાથમિક શાળાના આચાર્ય તથા ગામના અગ્રણી વ્યક્તિઓએ ઉપસ્થિત રહ્યા હતા. શેઠ એન ડી આર હાઈસ્કુલ ના વિદ્યાર્થીઓ તથા આજુબાજુની તમામ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા આ કરન્સી પ્રદર્શનનો જોવા નો અનેરો અનુભવ કર્યો હતો આ પ્રદર્શન ન્યુમિસમેસ્ટિક સંજયભાઈ ટાંક દ્વારા નિશુલ્ક આયોજન કરેલું હતું આ પ્રદર્શન જોવા માટે અંદાજે 9 શાળાના 900 જેટલા વિદ્યાર્થીઓ તથા બોહળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : પરેશ નિમાવત)

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ