Porbandar
પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં સગીરાના કપડાં ઉતારી શારીરિક અડપલાં
Published
2 months agoon
By
ગુજરાત મિરર
સાથી વિદ્યાર્થિનીઓની હરકતથી શિક્ષણજગત શર્મશાર
રાત્રે ઊંઘમાં હોય કપડાં ઉતારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા દબાણ કરાતું હોવાના આક્ષેપથી ખળભળાટ
કન્યા કેળવણીમાં 83 વર્ષથી વિખ્યાત પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં હોસ્ટેલમાં રહેતી તરૂૂણીએ સાથી વિધાર્થિની ઉપર સજાતીય સંબંધો માટે બળજબરી કર્યાના આક્ષેપ કરતા ચકચાર મચી છે. આ પ્રકારની ઘટનાઓ અહીં ઘણી છાત્રાઓ સાથે બની હોવાના મુદ્દે ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. કમિટીના સભ્યએ ગુરૂૂકુળના સંચાલકો ઢાંકપિછોડો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ વચ્ચે પીડિતાના મા-બાપ તેને ગુરૂૂકુળમાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવી લઈ ગયા છે. પોરબંદરમાં સાડા સાત દાયકાથી વધુ સમયથી વિધાર્થિનીઓનું શૈક્ષણિક ઘડતર કરતી સંસ્થા આર્યક્ધયા ગુરુકુળની હોસ્ટેલમાં સમગ્ર સુદામાપુરીનું શિર શરમથી ઝુકી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.
સંસ્થામાં રવિવારે વાલી વિસ હોવાથી ગ્રામ્ય પંથકમાં રહેતા વાલીઓ પોતાની દીકરીઓને મળવા માટે આવ્યા હતા ત્યારે એક વિધાર્થિની વાલી પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે વાલીને જણાવ્યું હતું કે અહીં કેટલીક સિનિયર વિધાર્થિનીઓનું ગ્રુપ છે જે અન્ય વિધાર્થિનીઓ સજાતિય સંબંધ બાંધવા દબાણ કરે છે. આવું કૃત્ય કરવા યેનકેન પ્રકારે મજબૂર કરે છે. તે ઊંઘમાં હોય ત્યારે બે વિધાર્થિનીઓ દ્વારા કપડા કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને ખરાબ હરકતો કરવામાં આવે છે. ચાઈલ્ડ વેલ્ફ કમિટીના સભ્ય ચેતનાબેન તિવારી પણ તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભોગ બનનાર બ પાસેથી સમગ્ર હકીકત જાણી હતી.
ત્યાર બાદ તેને લઇને ગુરુકુળના પ્રિન્સિપાલ રંજનાબેન મજીઠીયા પાસે ગયા ત્યારે તેઓએ વિધાર્થિનીની વાત સાંભળ્યા વગર ઉલટા તેને જ સવાલો કરવા લાગ્યા હતા. ભોગ બનનાર વિધાર્થિનીના વાલી ગઇકાલે જ પોતાની પુત્રીને લઇ એલસી કઢાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગઈકાલે અન્ય કેટલીક વિધાર્થિનીઓએ પણ અહીં આવું ચાલતું હોવાનું જણાવ્યું હતું.ગુજરાત મિરર, પોરબંદર, તા.24ક્ધયા કેળવણીમાં 83 વર્ષથી વિખ્યાત પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં હોસ્ટેલમાં રહેતી તરૂૂણીએ સાથી વિધાર્થિની ઉપર સજાતીય સંબંધો માટે બળજબરી કર્યાના આક્ષેપ કરતા ચકચાર મચી છે. આ પ્રકારની ઘટનાઓ અહીં ઘણી છાત્રાઓ સાથે બની હોવાના મુદ્દે ચાઈલ્ડ વેલફેર કમિટી દ્વારા તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. કમિટીના સભ્યએ ગુરૂૂકુળના સંચાલકો ઢાંકપિછોડો કરતા હોવાનો આક્ષેપ કર્યો છે.
બીજી તરફ તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ વચ્ચે પીડિતાના મા-બાપ તેને ગુરૂૂકુળમાંથી લીવીંગ સર્ટિફિકેટ કઢાવી લઈ ગયા છે. પોરબંદરમાં સાડા સાત દાયકાથી વધુ સમયથી વિધાર્થિનીઓનું શૈક્ષણિક ઘડતર કરતી સંસ્થા આર્યકન્યા ગુરુકુળની હોસ્ટેલમાં સમગ્ર સુદામાપુરીનું શિર શરમથી ઝુકી જાય તેવો કિસ્સો સામે આવ્યો છે.
સંસ્થામાં રવિવારે વાલી વિસ હોવાથી ગ્રામ્ય પંથકમાં રહેતા વાલીઓ પોતાની દીકરીઓને મળવા માટે આવ્યા હતા ત્યારે એક વિધાર્થિની વાલી પાસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણે વાલીને જણાવ્યું હતું કે અહીં કેટલીક સિનિયર વિધાર્થિનીઓનું ગ્રુપ છે જે અન્ય વિધાર્થિનીઓ સજાતિય સંબંધ બાંધવા દબાણ કરે છે. આવું કૃત્ય કરવા યેનકેન પ્રકારે મજબૂર કરે છે. તે ઊંઘમાં હોય ત્યારે બે વિધાર્થિનીઓ દ્વારા કપડા કાઢી નિર્વસ્ત્ર કરવામાં આવે છે અને ખરાબ હરકતો કરવામાં આવે છે. ચાઈલ્ડ વેલ્ફ કમિટીના સભ્ય ચેતનાબેન તિવારી પણ તુરંત ત્યાં દોડી ગયા હતા અને ભોગ બનનાર પાસેથી સમગ્ર હકીકત જાણી હતી.
ત્યાર બાદ તેને લઇને ગુરુકુળના પ્રિન્સિપાલ રંજનાબેન મજીઠીયા પાસે ગયા ત્યારે તેઓએ વિધાર્થિનીની વાત સાંભળ્યા વગર ઉલટા તેને જ સવાલો કરવા લાગ્યા હતા. ભોગ બનનાર વિધાર્થિનીના વાલી ગઇકાલે જ પોતાની પુત્રીને લઇ એલસી કઢાવી ત્યાંથી ચાલ્યા ગયા હતા. ગઈકાલે અન્ય કેટલીક વિધાર્થિનીઓએ પણ અહીં આવું ચાલતું હોવાનું જણાવ્યું હતું.
છોકરા અને છોકરી વચ્ચે જે થવું જોઈએ તે બે છોકરીઓ વચ્ચે થાય છે: ભોગ બનનાર
ભોગ બનનાર વિદ્યાર્થિનીએ જણાવ્યુ હતુ કે હોસ્ટેલમાં છોકરીઓ વચ્ચે ખરાબ થાય છે. જે એક છોકરા અને છોકરી વચ્ચે થવું જોઈએ તે બે છોકરીઓ વચ્ચે થાય છે. જો ન કરીએ તો ખોટું પ્રેશર કરે સુસાઇડ કરી લઈશ તેવું કહે ચિઠ્ઠી મોકલે, આથી છોકરી વિચારે કે મારા મમ્મી પપ્પા મારા માટે આટલું કરે તો હું સહન ન કરી શકું આવું તો થાયે રાખે, અહીં 300 છોકરીઓ છે તેમાં પોણાભાગની છોકરીઓ આવુ કરે છે અને બે રેકટર પણ એવી જ છે
જૂહી ચાવલા સાથે છે આ સંસ્થાનો નાતો
ફિલ્મ સ્ટાર જુહી ચાવલાએ ઉદ્યોગપતિ અને આર્યક્ધયા ગુરુકુળના સ્થાપક નાનજીભાઈ કાલિદાસ મહેતાના પાત્ર જય મહેતા સાથે લગ્ન કર્યા હતા તે અવારનવાર ગુરુકુળ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા મુંબઈથી આવે છે. રાણાવાવ ખાતે આવેલ સિમેન્ટ ફેક્ટરી પણ મહેતા પરિવારની છે.
You may like
Porbandar
માધવપુર ઘેડના મેળામાં પ્રાચીન સંસ્કૃતિના દર્શને મુલાકાતીઓ ઊમટ્યાં
Published
5 hours agoon
April 1, 2023By
ગુજરાત મિરર
લોક સાહિત્યકારોએ ગીતો, કૃષ્ણ અને રુક્મિણીજીના પ્રસંગોને આગવી શૈલીમાં રજૂ કરી મંત્રમુગ્ધ કર્યા
એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ સાથે શરૂૂ થયેલી માધવપુર મેળા 2023ના બીજા દિવસે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, રાજ્યકક્ષાના સહકાર અને ઉદ્યોગ વિભાગના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા,નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા સહિતના મહાનુભાવો- અધિકારીઓ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ પ્રસંગોચિત ઉદબોધન આપતા જણાવ્યું હતું કે મેળાએ આપણી સંસ્કૃતિ વિરાસતના અભિન્ન અંગ છે ગુજરાતના પ્રખ્યાત મેળા શિવરાત્રી મેળા, તરણેતરનો મેળો અને માધવપુરનો મેળો ગુજરાતવાસીઓના હૃદયના ધબકારા સમાન છે .માધવપુરનો મેળો એ આપણી ધરોહર છે .ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સાથે જોડતી કડી છે. માધવપુરના ઘેડના મેળામાં ઉત્તર પુર્વ અને ગુજરાતની પ્રાચીન સંસ્કૃતિના દર્શન થાય છે.
તેમણે જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ અને વિદર્ભના રાણી રુકમણી ના લગ્ન પ્રસંગને આ માણવાનો એક અવસર માધવપુરનો મેળો છે. તેમણે જણાવ્યું હતું કે આ મેળામાં ભારતના અલગ અલગ ક્ષેત્રના કલાકારો કલાકૃતિ પ્રદર્શિત અહીં કરે છે, જે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના ને પૂર્ણ કરે છે. મંત્રી જગદિશભાઈ વિશ્વકર્માએ ભગવાન શ્રી માધવરાયજીની જય બોલાવતા જણાવ્યું હતું કે,આદીકાળથી ભારતીય સંસ્કૃતિના વારસાને સાચવવાનુ અને મંદિરો સાંકૃતિક વિરાસત બાંધવાનુ કામ રાજા મહારાજાઓ દ્રારા કરવામાં આવ્યુ છે . આઝાદીના 75 વર્ષ પછી સંસ્કૃતીને ઊજાગર કરવાનું કામ, આઝાદીના અમૃતકાળમાં ઈતીહાસને ઉજાગર કરીને ઉતર પુર્વ રાજ્યને માધવપુરના મેળા દ્વારા જોડવાનુ અને ઈતિહાસના પાનામાં દબાયેલ વાતોને ઉજાગર કરવાનુ કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા થઈ રહ્યુ છે. મંત્રીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમની વાત કરતા જણાવ્યુ હતુ કે સોમનાથની આસપાસના લોકો માયગ્રેટ થઈ અને મદુરાઈ પહોંચ્યા હતા અને ત્યાં મધુરાયના રાજા દ્વારા આશરો આપવામાં આવ્યો હતો આ તમિલ સંગમના કાર્યક્રમ થકી આ માઇગ્રેડ થયેલા મૂળ ગુજરાતના લોકોને 17 એપ્રિલના સોમનાથ ખાતે તમિલ સંગમના કાર્યક્રમ થકી જોડવાનું કામ વડાપ્રધાનના નેતૃત્વમાં થઈ રહ્યું છે.વધુમાં જણાવતા કહ્યું હતું કે માધવપુરના મેળોની આજે ભારત અને વિશ્વમાં ઓળખ થઈ છે.
નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા એ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે મેળાએ આપણી સંસ્કૃતિના પ્રતીક છે અને આ પરંપરાને જાળવવા કેન્દ્રને રાજ્ય સરકાર કટિબંધ છે તેમણે માધવપુરમાં ચૈત્રવધનોમથી તેરસ એમ પાંચ દિવસ સુધી યોજાતા મેળાના આયોજન બદલ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા.
માધવપુર ઘેડના મેળામાં બીજા દિવસે નાગાલેન્ડના કલાકારોએ ઉત્તર પુર્વના અને પોરબંદર જિલ્લાના સ્થાનિક કલાકારોએ ઘેડની સંસ્કૃતી રજુ કરી હતી તેમજ આસામના વિધાર્થીઓએ માધવપુર ઘેડનો મેળો માણ્યો હતો અને સ્વાગત પ્રવચન ઈન્ચાર્જ ડી ડી ઓ રેખાબા સરવૈયાએ કર્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્યો સર્વ ભગવાનજીભાઈ કરગઠીયા, જનકભાઇ તલાવીયા,પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા, અધિક કલેક્ટર મેહુલભાઈ જોષી સહિત આમંત્રિત મહાનુભાવો, અગ્રણીઓ, ગામલોકો સહિત પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડો.જગદીશ ત્રિવેદી અને લોકસાહિત્યકાર અને ડાયરાના જાણીતા શ્રી કીર્તિદાન ગઢવી વગેરેએ ગીતો, કૃષ્ણ અને રૂૂક્ષ્મણીની વિવિધ પ્રસંગો તેમજ સંસ્કૃતીના મહત્વની વાતો પોતાની આગવી શૈલીમાં રજુ કરીને પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા.
Porbandar
માધવપુરનો મેળો ભારતની એકતા-અખંડિતતાનું પ્રતિક : ભૂપેન્દ્ર પટેલ
Published
1 day agoon
March 31, 2023By
ગુજરાત મિરર
માધવપુર ઘેડના પાંચ દિવસીય મેળાનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી; કેન્દ્રીયમંત્રી-કાયદામંત્રી કિરણ રીજીજુ, કેન્દ્રીય રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિક, મેઘાલયના મંત્રી પોલ લિંગડોહએ ભાવના વ્યક્ત કરી; ઉત્તર-પૂર્વના રાજ્યોના 150થી વધુ કલાકારો તથા ગુજરાતના કલાકારોને બિરદાવતા મુખ્યમંત્રી
ભગવાન શ્રીકૃષ્ણ અને રૂૂકમણીજીના વિવાહ પ્રસંગે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર આયોજિત માધવપુરના મેળાનો અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે કેન્દ્રીય મંત્રીઓ, ઉત્તર-પૂર્વ તેમજ ગુજરાતના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો. તેના માધ્યમથી ભારતના સમૃદ્ધિ અને સાંસ્કૃતિક વારસાની અદભુત પ્રસ્તુતિ થઈ રહી છે, જે ભરોસો આપે છે કે ભારતની એકતા પર ક્યારેય કોઈ આંચ નહિ આવે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી, આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારત તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે, આ મેળા થકી આપણે ઉત્તર પૂર્વના રાજ્યોને આપણી સાથે જોડ્યા છીએ. કલા, સંસ્કૃતિ, સંગીત, કળા અને ઉદ્યોગ વગેરે થકી વિવિધ રાજ્યોને જોડવાના પ્રયાસોના ભાગરૂૂપે આપણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમ પણ કરવા જઈ રહ્યા છીએ, એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્યમાં પ્રવાસનને વેગ આપવાના પ્રયાસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આ વખતે પ્રવાસનના બજેટમાં ત્રણ ગણો વધારો કરીને રૂૂ. 2000 કરોડની જોગવાઈ સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમને સાકાર કરવા ગુજરાતે પ્રવાસનને નવી દિશા આપી છે. આ સાથે મુખ્યમંત્રીએ દેશભરના લોકોને માધવપુરના મેળામાં આવીને અહીંની સંસ્કૃતિને માણવા માટે આમંત્રણ આપ્યું હતું. સંબોધનના પ્રારંભે મુખ્યમંત્રીશ્રીએ સૌને ભગવાન શ્રી કૃષ્ણ તેમજ રૂૂકમણીજીના વિવાહપ્રસંગ તેમજ રામનવમી પર્વની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય કાયદામંત્રી કિરણ રિજીજુએ મેળામાં સહભાગી થવાનો આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી યોજાતો આ મેળો આજે સંસ્કૃતિ, કલાની સાથે સાથે રમત ગમત, મીડિયા આદાન પ્રદાન વગેરે થકી વ્યાપક બન્યો છે. માત્ર ભૌગોલિક સ્થળો જ નહીં પરંતુ સાંસ્કૃતિક ભાવનાઓનું જોડાણ કરી એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાનું કાર્ય વડાપ્રધાન આ પ્રકારના કાર્યો થકી કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રૂૂકમણીજીના વિવાહનું આ પવિત્ર સ્થળ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને બળ આપનારૂૂ છે. આ મેળો સમય જતાં પૂર્વોત્તર રાજ્યો અને ગુજરાતનું મિલન જ નહીં પરંતુ સમગ્ર ભારતને એક તાંતણે બાંધવાના ભગીરથ કાર્યને પૂર્ણ કરવાનું માધ્યમ બનશે. ગુજરાતે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ તથા નરેન્દ્રભાઈ મોદી જેવા વ્યક્તિત્વો જ નહીં, પરંતુ મહેનત તથા ખંતથી દેશને કઈ રીતે વિકાસની રાહે આગળ વધારી શકાય તેની શીખ પણ લોકોને આપી છે. દેશ દુનિયામાં ગુજરાતની આગવી ઓળખ અને ગુજરાતીઓની મહેનતને-પરિશ્રમને પણ તેઓએ બિરદાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં માધવપુર ઘેડના મેળાના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ ઉત્તર પૂર્વના કલાકારો-દરિયાઈ રમતોના ખેલાડીઓને ગુજરાતની ધરતી પર પ્લેટફોર્મ મળે તે માટે કરાયેલા આયોજનને આવકાર્યું હતું. કૃષ્ણ-રૂૂકમણી વિવાહની ઐતિહાસિક પરંપરાને આજ પર્યંત જાળવી રાખવા બદલ પોરબંદર-ઘેડ પંથકના લોકોનો પણ કેન્દ્રીય મંત્રીએ આ તકે આભાર વ્યક્ત કર્યો હતો. મેળાના ઉદઘાટન પ્રસંગે રામનવમીના તહેવારની શુભેચ્છા પાઠવતા કેન્દ્રીય સામાજિક ન્યાય અધિકારીતા રાજ્યમંત્રી પ્રતિમા ભૌમિકે જણાવ્યું હતું કે, માધવપુર મેળો વર્ષોથી યોજાતો હતો. પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ઉત્તર-પૂર્વી રાજ્યોને પશ્ચિમ સાથે જોડવાનો મેળાપ કરાવ્યો છે. પરંતુ નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2014માં વડાપ્રધાન બનતા આજે ઉત્તરપૂર્વી રાજ્યોને આખી દુનિયામાં ઓળખતી થઈ છે. માધવપુરના મેળા થકી ઉત્તરપૂર્વી રાજ્યની કલા સંસ્કૃતિ જાણવાનો – માણવાનો મોકો અહીંના લોકોને મળ્યો છે. મેઘાલયના પ્રવાસન, કળા અને સંસ્કૃતિ વિભાગના મંત્રી પોલ લિંગડોહએ આ તકે ઉપસ્થિત રહી તેમણે માધવપુર મેળાને રાષ્ટ્રીય કક્ષાએ ઓળખ આપવાનું કામ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું તેમ જણાવી શ્રીકૃષ્ણ રુક્મિણીજીના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવુ છું તેમ કહ્યું હતું. મંત્રીએ વધુમાં કહ્યું કે, આ મેળો પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિને જોડવાની સાથે ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી આવેલા કલાકારો, કારીગરોને પણ અહી પ્લેટફોર્મ પણ મળ્યું છે.
કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતા આ માધવપુર મેળાને વર્ષ 2018 થી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી નવી ઉંચાઈ મળી છે.ભગવાન શ્રી કૃષ્ણ અને વિદર્ભના રાજકુમારી શ્રી રૂૂકમણીજીના પવિત્ર વિવાહનું આ સ્થળ ખૂબ જ ઐતિહાસિક અને દર્શનિય હોવાની સાથે સાથે એક ભારત શ્રેષ્ઠ ભારતની વિભાવનને પણ ખરા અર્થમાં ચરિતાર્થ કરે છે.મંત્રીશ્રીએ સ્કંદ પુરાણ અને મહાભારતનો સંદર્ભ ટાંકી ભગવાન શ્રી કૃષ્ણના લગ્નની ઐતિહાસિક ગાથા લોકો સમક્ષ રજૂ કરી હતી અને ધર્મ, જાતિ, આર્થિક સ્થિતિ, સામાજિક દરજ્જાથી આગળ વધી આ મેળો ગુજરાત તથા પૂર્વોત્તર રાજ્યોના સંબંધો વધુ મજબૂત બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે માધવપુર ઉપર 03 ભાષામાં અને 01 ઉપભાષામાં લિખિત પુસ્તકનું લોન્ચિંગ કરાયું હતું. ઉદઘાટન પ્રસંગે ગુજરાતની ઓળખ સમા ગરબા, અરુણાચલ પ્રદેશનું ડાન્સફોર્મ, આસામ તેમજ અન્ય રાજ્યોના 150થી વધુ કલાકારોએ સુંદર વેશભૂષામાં કલા, સંગીત અને નૃત્યની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કલાકારોને બંને પ્રદેશની સંસ્કૃતિ પ્રસ્તુત કરતી ગાથા માધવપુરની કૃતિઓ રજૂ કરવા બદલ કલાકારોને બિરદાવી અભિનંદન આપ્યા હતા. સુપ્રસિદ્ધ લોકગાયિકા લલીતાબેન ઘોડાદ્રા અને લોકસાહિત્યકાર અને ડાયરાના જાણીતા માલદેભાઈ આહિર, સાંઈરામદવે વગેરેએ પોતાની આગવી શૈલીમાં ગીતો લલકારી પ્રેક્ષકોને અભિભૂત કર્યા હતા. આ ઉપરાંત ગુજરાત અને ઉત્તરપૂર્વી રાજ્યના કલાકારો દ્વારા શ્રીકૃષ્ણ અને રુક્મિણીના જીવન પર આધારીત મલ્ટીમીડિયા શો રજૂ કર્યો હતો.
માધવપુર મેળાના પ્રસંગે ઉત્તર પૂર્વ તેમજ ગુજરાતના ખેલાડીઓએ દરિયાઈ રમતોમાં ભાગ લીધો હતો. જેમાં 100 મીટર દોડ, ફૂટબોલ, હેન્ડબોલ, વોલીબોલ, જૂડો અને ટેકવેન્ડો રમતનો સમાવેશ થાય છે. મહત્વનું છે કે, પોરબંદર પાસે આવેલા માધવપુર ઘેડમાં, ચૈત્ર શુક્લ નવમી, રામનવમીથી પાંચ દિવસીય મેળો યોજાય છે. આ મેળો પૌરાણિક કાળથી દેશના પૂર્વ અને પશ્ચિમ ભાગની સંસ્કૃતિના સંગમ અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના પ્રતીક સમાન છે.
આ પ્રસંગે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમાર, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્યો સર્વ ભગવાનજીભાઈ કરગઠીયા, દેવાભાઈ માલમ, કાંધલ જાડેજા, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ મોઢવાડીયા તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ અશ્વિનીકુમાર, પ્રવાસન વિભાગના સચિવ હારીત શુક્લ, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર આલોકકુમાર, પોરબંદર જિલ્લા કલેકટર અશોક શર્મા સહિત આમંત્રિત મહાનુભાવો, અગ્રણીઓ, ગામલોકો સહિત પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Porbandar
પોરબંદર પાસે બસ સાથે કાર અથડાતા ચાર યુવાનોનાં મોત
Published
1 week agoon
March 25, 2023By
ગુજરાત મિરર
કિંદરખેડા ગામના ચાર યુવાનોના મોતથી બરડા પંથકમાં શોક છવાયો
પોરબંદરના દહેગામ નજીક કાર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ચાર યુવાનોના કરુણ મોત નિપજ્યા હતા. દસ મુસાફરોને નાની-મોટી ઈજા પહોંચતા તેમને સરકારી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યાં હતાં. અકસ્માત પછી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં.
મળતી માહિતી મુજબ પોરબંદરથી જામખંભાળીયા જતી ટ્રાવેલ્સ અકસ્માતમાં કિંદરખેડાના બે યુવાનોનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.બે યુવાનોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં પરંતુ ત્યાં ગંભીર રીતે ઈજા પહોંચવાના કારણે સારવાર દરમિયાન જ મોત નિપજ્યું હતું.અકસ્માત અંગે જાણ થતા જ આગેવાનો અને યુવાનો હોસ્પિટલમાં મદદ માટે દોડી ગયા હતા. જે દર્દી વધુ ગંભીર હતા તેમની માટે યુવાનોએ ઈંઈઞ વાનની વ્યવસ્થા પણ કરી આપી હતી.પોરબંદરના ગ્રામ્ય પંથકમાં અનેક ખાનગી ટ્રાવેલ્સ બેફામ સ્પીડે દોડે છે અને ટ્રાફિક પોલીસ સહિત છઝઘના અધિકારીઓની મીઠી નજર હેઠળ જ વાહનો દોડી રહ્યાં હોવાની બે દિવસ પહેલાં જ આક્ષેપ કરી ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરી હતી. જેમાં અધિકારીઓ સામે ગંભીર આક્ષેપ થયા હતા અને તંત્ર આંખ આડા કાન કરીને આવા ગંભીર અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું હતું.
એડિટર ની ચોઈસ
સૌરાષ્ટ્રવાસીઓની સુવિધા વધશે, પ્રયાગરાજ સહિત 10 નવી ટ્રેનો થશે શરૂ

PGVCLમાં 184 કરોડના લાઈન રીપેર કૌભાંડની ACBમાં ફરિયાદ

ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કિટેક્ચર ખાતે કાલથી ચિત્ર પ્રદર્શનનો પ્રારંભ

જૈન વિઝનના દશાબ્દી વર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 92 યુનિટ રક્ત એકત્ર

તલગાજરડા ખાતે તા.4થી હનુમાન મહોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહ તથા સંગીત મહોત્સવ

ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા જૈનોમાં થનગનાટ
ગુજરાત

જૈન વિઝનના દશાબ્દી વર્ષ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 92 યુનિટ રક્ત એકત્ર

તલગાજરડા ખાતે તા.4થી હનુમાન મહોત્સવ અંતર્ગત એવોર્ડ સમારોહ તથા સંગીત મહોત્સવ

ભગવાન મહાવીર સ્વામી જન્મકલ્યાણક મહોત્સવ ઉજવવા જૈનોમાં થનગનાટ

લીલિયા ઉમિયાધામમાં ઉજવાશે રજત જયંતી મહોત્સવ, કાલે રાજકોટથી બાઈક રેલી

શંકાસ્પદ ત્રણ મિનરલ વોટરના સેમ્પલ લેતું ફૂડ વિભાગ
કાલાવડમાં સગીરા અને વિધર્મી પ્રેમીએ સજોડે ઝેરી દવા પી લીધી
સ્પોર્ટસ

લીલિયા ઉમિયાધામમાં ઉજવાશે રજત જયંતી મહોત્સવ, કાલે રાજકોટથી બાઈક રેલી

શંકાસ્પદ ત્રણ મિનરલ વોટરના સેમ્પલ લેતું ફૂડ વિભાગ
કાલાવડમાં સગીરા અને વિધર્મી પ્રેમીએ સજોડે ઝેરી દવા પી લીધી

આર.કે.ગ્રુપ પાસેથી પ્રોપર્ટી ખરીદનારા 1500 જેટલા લોકોને આઈટીનું તેડું
