Connect with us

Rajkot

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

Published

on

ગુજરાત મિરર, રાજકોટ, તા.28
તા. 25 થી 28 જાન્યુઆરી દરમ્યાન આર્ટ ઓફ લીવીંગ આશ્રમ બેંગલુરુ ખાતે શ્રી શ્રી ની નિશ્રામાં વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચર દ્વારા આયોજિત ભાવ સમીટમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયન,વાદન અને નૃત્યનાં ચાર દિવસીય ઉગુજરાત મિરર, રાજકોટ, તા.28
તા. 25 થી 28 જાન્યુઆરી દરમ્યાન આર્ટ ઓફ લીવીંગ આશ્રમ બેંગલુરુ ખાતે શ્રી શ્રી ની નિશ્રામાં વર્લ્ડ ફોરમ ફોર આર્ટ એન્ડ કલ્ચર દ્વારા આયોજિત ભાવ સમીટમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કલાકારો દ્વારા શાસ્ત્રીય ગાયન,વાદન અને નૃત્યનાં ચાર દિવસીય ઉત્સવમાં બીજા દિવસે રાષ્ટ્રીય કક્ષાના સંગીત,નૃત્ય,નાટ્ય, ફિલ્મ અને સાહિત્ય સાથે સંકળાયેલ 28 મહાનુભવો, જેમણે પોતાનું જીવન કલાને સમર્પિત કર્યું હોય અને અનેક વર્ષોની સાધના કલાના ક્ષેત્રે કરેલ હોય તેવાં રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજોનું સન્માન સર્વ પ્રથમ નકલા સારથીથ એવોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર દેશમાંથી નાટ્ય ક્ષેત્રે પાંચ અને ગુજરાતમાંથી એક માત્ર રાજકોટનાં નાટયાચાર્ય ભરત યાજ્ઞિકને રંગમંચની આજીવન સેવા બદલ સન્માનિત કરાયા. આ એવોર્ડ પ્રજાસતાક દિવસની સંધ્યાએ શ્રી શ્રી રવિશંકરજી અને જાણીતા નૃત્યાંગના અને અભિનેત્રી હેમા માલિનીનાં હસ્તે એનાયત કરાયો હતો.છેલ્લા 70 વર્ષ થી ગુજરાતી-હિન્દી રંગભૂમિ ને સમર્પિત ભરત યાજ્ઞિકે એમનાં લખેલ દિગ્દર્શિત અભિનીત નાટકો દ્વારા સમગ્ર દેશમાં અનેક પ્રયોગો કર્યા છે અને ગુજરાતી રંગભૂમિને રાષ્ટ્રીય સ્તરે પહોચાડવામાં અનન્ય યોગદાન આપ્યું છે. આ અગાઉ ભરતભાઈને ગુજરાત સરકારનો ગોરવ પુરસ્કાર, મોરારિબાપુ દ્વારા હનુમંત નટરાજ એવોર્ડ ઉપરાંત અનેક સન્માનો અને એવોર્ડ મળેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ તેમણે સન્માનિત કરાયા છે. નકલા સારથીથ એવોર્ડ થી તેમની પાઘમાં એક વધુ છોગું ઉમેરાયું છે.ત્સવમાં બીજા દિવસે રાષ્ટ્રીય કક્ષાના સંગીત,નૃત્ય,નાટ્ય, ફિલ્મ અને સાહિત્ય સાથે સંકળાયેલ 28 મહાનુભવો, જેમણે પોતાનું જીવન કલાને સમર્પિત કર્યું હોય અને અનેક વર્ષોની સાધના કલાના ક્ષેત્રે કરેલ હોય તેવાં રાષ્ટ્રીય કક્ષાના દિગ્ગજોનું સન્માન સર્વ પ્રથમ નકલા સારથીથ એવોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર દેશમાંથી નાટ્ય ક્ષેત્રે પાંચ અને ગુજરાતમાંથી એક માત્ર રાજકોટનાં નાટયાચાર્ય ભરત યાજ્ઞિકને રંગમંચની આજીવન સેવા બદલ સન્માનિત કરાયા. આ એવોર્ડ પ્રજાસતાક દિવસની સંધ્યાએ શ્રી શ્રી રવિશંકરજી અને જાણીતા નૃત્યાંગના અને અભિનેત્રી હેમા માલિનીનાં હસ્તે એનાયત કરાયો હતો.છેલ્લા 70 વર્ષ થી ગુજરાતી-હિન્દી રંગભૂમિ ને સમર્પિત ભરત યાજ્ઞિકે એમનાં લખેલ દિગ્દર્શિત અભિનીત નાટકો દ્વારા સમગ્ર દેશમાં અનેક પ્રયોગો કર્યા છે અને ગુજરાતી રંગભૂમિને રાષ્ટ્રીય સ્તરે પહોચાડવામાં અનન્ય યોગદાન આપ્યું છે. આ અગાઉ ભરતભાઈને ગુજરાત સરકારનો ગોરવ પુરસ્કાર, મોરારિબાપુ દ્વારા હનુમંત નટરાજ એવોર્ડ ઉપરાંત અનેક સન્માનો અને એવોર્ડ મળેલ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ તેમણે સન્માનિત કરાયા છે. નકલા સારથીથ એવોર્ડ થી તેમની પાઘમાં એક વધુ છોગું ઉમેરાયું છે.

Continue Reading
Advertisement

Breaking News

સૌરાષ્ટ્રના મુસાફરોને મુશ્કેલીનો ટૂંક સમયમાં અંત, રાજકોટથી સીધી સંભવિત 10 ટ્રેન સપ્તાહમાં બે વખત મળશે

Published

on

સૌરાષ્ટ્રને ટૂંક સમયમાં 10 ટ્રેનોની ભેટ મળવા જઈ રહી છે.છેલ્લા ઘણા સમયથી યુપી, બિહાર પશ્ચિમ, બંગાળ વગેરે રાજ્યોના શ્રમિકોને રાજકોટ થી અમદાવાદ અને અમદાવાદથી અન્ય રાજ્યમાં જવા માટે ટ્રેન બદલવી પડતી હતી. પરંતુ હવે મુસાફરોની આ મુશ્કેલીઓનો ટૂંક સમયમાં અંત આવશે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આવા શ્રમિકોને રાજકોટ થી સીધી ટ્રેનની સુવિધા ઉપલબ્ધ થશે.

સૌરાષ્ટ્રને ટ્રેનોની ભેટ મળે તે માટે સંસદ સભ્ય રામભાઈ મોકરીયા અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવ તેમજ દર્શનાબેન જરદોશ પાસે 12 ટ્રેનો માટે રજૂઆત કરી હતી અને તેઓએ હકારાત્મક અભિગમ દાખવતાં આ બાબત માટે સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી રહી છે. જેમાંથી 10 ટ્રેનો ટૂંક સમયમાં સપ્તાહમાં બે વખત શરૂ કરવા માટે હરી ઝંડી મળે તેવી સંભાવના છે.

જે ટ્રેનો ચાલુ થવાની શક્યતાઓ છે તેમાં રાજકોટ થી નાગપુર, રાજકોટ થી કોલ્હાપુર, રાજકોટ થી કોલ્હાપુર-પટના, રાજકોટ થી પુના, રાજકોટ થી ચેન્નઈ, રાજકોટ થી નિઝામુદ્દીન, રાજકોટ થી વારાણસી, રાજકોટ થી યશવંતપુર, રાજકોટ થી કલકત્તા અને રાજકોટ થી પ્રયાગરાજ આ 10 ટ્રેનો સપ્તાહમાં બે વખત મળે તેવી શક્યતા છે.

Advertisement

Continue Reading

Gujarat

રાજ્યના 109 IAS અધિકારીઓની સાગમટે બદલીના આદેશ, સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર

Published

on

By

ગુજરાત રાજ્ય સરકારે વધુ એક વખત IAS અધિકારીઓની બદલી કરી છે. સાગમટે 109 IAS અધિકારીઓની બદલીનો આદેશ કરાયો છે. અધિકારીઓની બદલી કરતા રાજ્ય સરકારે મોટો લીથો બહાર પાડ્યો છે.

 

રાજકોટ મ્યુનિ.કમિશનર અમિત અરોરાની કચ્છ કલેક્ટર તરીકે,કલેક્ટર રાજકોટ મહેશ બાબુની પેટ્રો કેમિકલ્સ વિભાગમાં બદલી કરાઈ છે.સાબરકાંઠા કલેકટર આનંદ કુમાર હવે RMC ના નવા કમિશનર તરીકે નિમાયા છે. રાજકોટના જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની UGVCLના MD તરીકે બદલી થઈ ,પ્રભોવ જોશી રાજકોટના નવા કલેકટર બન્યા છે.

Advertisement

Continue Reading

Rajkot

સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકમાં અત્યાધુનિક ક્રાયોફ્યુજ મશીનનું લોકાર્પણ

Published

on

By

30 મિનિટમાં એકસાથે 16 બોટલ લોહીના ઘટકોને છૂટા પાડતું જર્મન બનાવટનું મશીન

ગુજરાત મિરર, રાજકોટ તા.31
રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતે સાંસદ રામભાઈ મોકરિયા અને ધારાસભ્ય ડો. દર્શિતાબેનની ઉપસ્થિતિમાં જર્મન બનાવટનું અત્યાધુનિક ક્રાયોફ્યુજ સેન્ટ્રીફયુઝ મશીન લોકાર્પિત કરવામાં આવ્યું હતું.
જર્મન બનાવટનું થર્મો ફિશર સાઇન્ટિફિક કંપનીનું મશીન ઓટોમેટેડ છે, સિંગલ ફેજ આધારિત ઓછી વીજ ખપત સાથે 30% જેટલું વધુ કમ્પોનન્ટ ઉત્પાદન કરી શકતું હોઈ અત્યાધુનિક હોસ્પિટલ્સ તેમજ લેબમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતેથી મહિને 2200 જેટલી બોટલ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને પૂરી પાડવામાં આવે છે ત્યારે આ મશીનના ઉપયોગથી વધુ કાર્યક્ષમતા સાથે રક્તની જરૂૂરિયાતને પહોંચી શકાશે. આ પ્રસંગે જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ, સિવિલ અધિક્ષક ડો. આર.એસ.ત્રિવેદી, પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડ ડો. ગૌરવી ધ્રુવા, બ્લડ બેન્કના ડો. પાયલ, ડો. દીપા, ડો. અમલાણી, શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણી, બ્લડ બેન્કનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

Advertisement
Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ