Connect with us

Breaking News

દેશમાં મુસ્લિમો ધારે તેની સરકાર: પવાર

Published

on

એનસીપીના સુપ્રીમોના નિવેદનથી મહારાષ્ટ્ર સરકારમાં ‘ડખો’ થવાનાં એંધાણ
મુંબઈ તા.24
એનસીપીસુપ્રીમો શરદ પવારે ગુરુવારે એવું ચોંકાવનારું નિવેદન કર્યું છે કે આ દેશમાં લઘુમતીઓ ધારે તેને હરાવી શકે છે. પવારના આ નિવેદનથી આગામી દિવસોમાં મોટો વિવાદ અને સંઘર્ષ થાય અને રાજ્યની ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળની સરકારની સમસ્યામાં વધારો થવાના ચિહ્નો દેખાઈ રહ્યાં છે. આ પહેલાં અશોક ચવ્હાણ અને જિતેન્દ્ર આવ્હાડે પણ મુસ્લિમ સમાજને લઈને આપેલા નિવેદનો શિવસેના માટે મુશ્કેલી સર્જી શકે છે.
એનસીપીના પાર્ટીના કાર્યકર્તાઓના મેળાવડામાં શરદ પવારે જણાવ્યું હતું કે નલઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લિમોએ ભાજપને મતદાન કર્યું નહોતું. આને કારણે જ ભાજપ ફરીથી સત્તામાં આવી શકી નહોતી. લઘુમતી સમાજે એવી પાર્ટીને મતદાન કર્યું હતું, જેઓ ભાજપને હરાવી શકતી હતી. આ જ કારણ છે કે એનસીપીએ લઘુમતી કલ્યાણ ખાતું પોતાની પાસે રાખ્યું હતું. એનસીપી એ વાતની ગેરેન્ટી આપે છે કે લઘુમતીના હિતોનું પૂરું ધ્યાન રાખવામાં આવશે.શરદ પવારના આ નિવેદનને પગલે ભાજપે હવે એનસીપી પર શરદ પવારે જણાવ્યું હતું કે નરાજ્યના મુસ્લિમોને શિવસેના સાથે મળીને સરકાર બનાવવામાં આવે એની સામે કોઈ વાંધો નહોતો. તેમની ઈચ્છા હતી કે ભાજપને સત્તાથી વંચિત રાખવામાં આવે અને તેમની ઈચ્છાનું પાલન કરીને જ શિવસેના સાથે મળીને સરકાર બનાવવામાં આવી હતી.
શરદ પવારે એમ પણ કહ્યું હતું કે હું જ્યારે પાકિસ્તાન ગયો હતો ત્યારે એવા અનેક લોકોને મળ્યો હતો જેમના એક કે વધુ સંબંધીઓ ભારતમાં હતા અને તેઓ ભારત આવવા માગતા હતા, પરંતુ તેઓ મુસ્લિમ હોવાથી તેમને વીઝા આપવામાં આવ્યા નહોતા. તેમણે સીએએ અને એનઆરસીનો ઉલ્લેખ

કરતાં જણાવ્યું હતું કે અત્યારની સરકાર સમાજમાં વિભાજન કરી રહી છે અને તેને કારણે દેશની એકતા પર સંકટ નિર્માણ થયું છે.
અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલાં કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે પણ એવું નિવેદન આપ્યું હતું કે મહારાષ્ટ્રમાં મુસ્લિમોની ઈચ્છાને માન આપીને શિવસેના સાથે સરકાર બનાવવામાં આવી હતી. મુસ્લિમો ભાજપને સરકાર બનાવવાથી વંચિત રાખવા માગતા હતા અને આ વાત સોનિયા ગાંધીને ગળે ઉતરી હોવાથી રાજ્યમાં શિવસેનાના નેતૃત્વ હેઠળની સરકાર બનાવવામાં આવી હતી.
ભાજપના મુસ્લિમ તુષ્ટીકરણના આરોપને યોગ્ય ઠેરવતો અન્ય એક બનાવ પણ બન્યો હતો. એનસીપીના નેતા અને શરદ પવારના ખાસ વિશ્ર્વાસુ મનાતા જિતેન્દ્ર આવ્હાડે ગુરુવારે એવું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું કે તમે હિંદુઓએ તમારા વડવાઓની ચિતાને ક્યાં આગ લગાવી તેના કોઈ પુરાવા નથી, પરંતુ મુસ્લિમો પોતાના વડવા ક્યાં છે તે દેખાડી શકે છે. તેઓ ખરા વારસદાર છે.
આ બધાને કારણે પહેલેથી જ હિન્દુત્વને મુદ્દે અત્યાર સુધી ચૂંટાઈ આવતી શિવસેનાની હાલત કફોડી થવાની શક્યતા છે, કેમ કે સરકારમાં સામેલ તેમના બંને સાથી પક્ષો મુસ્લિમોની છડેચોક પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે.
બીજી તરફ કોંગ્રેસ-એનસીપીના મુસ્લિમ તુષ્ટીકરણના ધોરણને લઈને બેકફૂટ પર ગયેલી શિવસેનાનું સ્થાન છીનવી લેવા માટે મનસેએ ગુરુવારે પોતાના મહાઅધિવેશનમાં કટ્ટર હિંદુત્વ અપનાવવાનું એલાન કર્યું છે. ખાસ કરીને તેમણે પોતાના મહાઅધિવેશનમાં સ્વાતંત્ર્યસેનાની સાવરકરનો ફોટો લગાવીને આગામી દિવસોમાં અપનાવવાના વલણનો સંકેત આપ્યો છે.

Continue Reading
Advertisement

Breaking News

મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ

Published

on

શહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

Continue Reading

Breaking News

લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ

Published

on

જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Continue Reading

Breaking News

ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત

Published

on

બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં

ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!