Editor's Choice
દિલ્હી ઇલેકશનમાં મતદાતાનો ‘શાહીન’ ટેસ્ટ!
Published
4 years agoon
By
ગુજરાત મિરર
નવીદિલ્હી,તા.29
દિલ્હીના બાબરપુરમાં ભાજપની રેલી સંબોધતાં ગૃહમંત્રી અમિત શાહે બંને હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને જોરથી ભારત માતા કી જયના નારા પોકાર્યા અને કહ્યું, આ શાહીનબાગના જેટલા સમર્થકો છે, જ્યાં સુધી અવાજ પહોંચવો જોઈએ.
અમિત શાહે પાર્ટીના સમર્થકોને 8 ફેબ્રુઆરીએ દિલ્હી ચૂંટણીમાં જોશથી વોટ આપવાની અપીલ કરતાં કહ્યું, તમારો વોટ દિલ્હી અને દેશની સુરક્ષા પણ નક્કી કરશે અને હજારો શાહીનબાગોની ઘટનાઓને રોકવાનું કામ પણ કરશે.
શાહે કહ્યું, મિત્રો બટન દબાવો એટલા ગુસ્સા સાથે દબાવો કે બટન અહીં બાબરપુરમાં દબાય અને કરંટ શાહીનબાગમાં લાગે.
બીજી તરફ સોશિયલ મીડિયામાં ભાજપના સાંસદ અને કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરનો એક વીડિયો વાઇરલ થયો, જેમાં તેઓ નારા પોકારી રહ્યા છે- દેશ કે ગદ્દારો કો… અને ત્યાં હાજર લોકો કહી રહ્યા છે- પગોળી મારો ** કો…
કેન્દ્રીય ચૂંટણી પંચે વિવાદાસ્પદ નિવેદન કરવા બદલ ઠાકુર પાસેથી ખુલાસો માગ્યો છે.
અમિત શાહના આ નિવેદન પર આમ આદમી પાર્ટીની મદદ કરી રહેલા રણનીતિકાર અને બિહારમાં ભાજપના સહયોગી જદયુના નેતા પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને કહ્યું કે પ8 ફેબ્રુઆરીએ ઇવીએમનું બટન તો પ્રેમથી જ દબાશે.
ગૃહમંત્રી અમિત શાહના આ નિવેદનથી સ્પષ્ટ છે કે શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ચાલી રહેલું પ્રદર્શન હવે ભાજપ માટે દિલ્હી ચૂંટણીનો મોટો મુદ્દો છે.
સોમવારે કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે શાહીનબાગના પ્રદર્શન પર નિશાન સાધતાં કહ્યું, નસ્ત્રશાહીનબાગ એક વિચાર બની ગયો છે, અહીં ટુકડે-ટુકડે ગેંગના લોકો છે.
પ્રસાદે કહ્યું, કેજરીવાલ અને સિસોદિયા શાહીનબાગ સાથે ઊભા છે, પરંતુ એ લાખો લોકોનો શાંત અવાજ કેજરીવાલ સુધી કેમ નથી પહોંચતો કે તેમનાં બાળકો સ્કૂલે જઈ શકતા નથી, જેઓ ઓફિસ નથી જતાં, જેમની દુકાનો બંધ છે.
તેમણે કહ્યું, શું આવી દિલ્હી જોઈએ છે, જેને કેટલાક લોકો પોતાના વોટ માટે ઠપ કરી દે છે?
રવિશંકર પ્રસાદની પત્રકારપરિષદ બાદ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભાજપ શાહીનબાગના રસ્તા ખૂલવા દેતો નથી અને 8 ફેબ્રુઆરીએ મતદાન બાદ આ રસ્તો ખૂલી જશે.
તેઓએ કહ્યું, શાહીનબાગમાં રસ્તા બંધ છે, જેને કારણે ઘણા લોકોને અગવડ પડી રહી છે, સ્કૂલનાં બાળકોને તકલીફ થઈ રહી છે, ઍમ્બુલન્સને જવામાં અડચણ થઈ રહી છે.
અડધા કલાકના રસ્તામાં લોકોને અઢી-અઢી ત્રણ-ત્રણ કલાક લાગી જાય છે. હું આ અંગે ઘણી વાર કહી ચૂક્યો છું કે આ દેશમાં બંધારણીય રીતે દરેક વ્યક્તિને વિરોધનો અધિકાર છે, પરંતુ તેને કારણે કોઈને તકલીફ ન થવી જોઈએ.
કેજરીવાલે કહ્યું, જેના હેઠળ દિલ્હીનો કાયદો-વ્યવસ્થા આવે છે એ ભાજપની કેન્દ્ર સરકાર આનું સમાધાન કેમ નથી કરતી.
હમણાં રવિશંકર પ્રસાદ પત્રકારપરિષદ સંબોધી રહ્યા હતા, તેઓએ ત્યાં શાહીનબાગ જવું જોઈએ. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા પત્રકારપરિષદથી નહીં કામ કરવાથી સુધરશે.
કેજરીવાલે કહ્યું, આજે લખી રાખો. આઠ તારીખ સુધી આ રસ્તો નહીં ખૂલે. નવ તારીખે ખૂલી જશે. ભાજપ આ રસ્તો ખોલવા માગતો નથી.
કેજરીવાલે કહ્યું, હું અપીલ કરું છું કે ગૃહમંત્રી અમિત શાહ, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલ અને તેમના મોટા નેતાઓએ શાહીનબાગ જવું જોઈએ, લોકો સાથે વાત કરવી જોઈએ અને રસ્તા ખોલાવડાવા જોઈએ.
તેઓ કહે છે કે કેજરીવાલ પાસેથી પરમિશન જોઈશે, આજે પરમિશન આપી દીધી, અત્યારે એક કલાકમાં રસ્તો ખોલાવી દો. દિલ્હીના શાહીનબાગમાં 16 ડિસેમ્બરથી પ્રદર્શન ચાલુ છે, જેના કારણે નોઇડાને દિલ્હી સાથે જોડતો કાલિંદી કુંજનો રસ્તો બંધ છે. એ પણ સવાલ ઊઠી રહ્યો છે કે દિલ્હી પોલીસે આ પ્રદર્શનોને ખતમ કરવાની કોશિશ કેમ નથી કરી.
દિલ્હીનો શાહીનબાગ નાગરિકતા સંશોધન કાયદાની સામે લડાઈનું પ્રતિક બની ગયો છે.
દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી સીએએનો વિરોધ તો કરી રહી છે, પરંતુ તેનો કોઈ મોટા નેતા હજુ સુધી શાહીનબાગ ગયા નથી. હવે ભાજપ જોરશોરથી શાહીનબાગનો મુદ્દો ઉઠાવી રહ્યો છે.
દિલ્હીમાં મુસ્લિમ વોટર અંદાજે 13 ટકા છે અને 70માંથી 10 સીટો પર મજબૂત સ્થિતિમાં છે. પાંચ સીટ એવી છે જ્યાં મુસલમાનોની વસતી 40 ટકાથી વધુ છે.
આ સીટ છે બલ્લીમારાન, મટિયામહલ, ચાંદની ચોક અને ઓખલા. આ સિવાય રિઠાલા, સીમાપુરી, બાબરપુર, શાહદરા અને મુસ્તફાબાદમાં પણ મુસલમાનોની વસતી 30થી 40 ટકા વચ્ચે છે.
ગત ચૂંટણીમાં આ સીટમાંથી માત્ર મુસ્તફાબાદમાં ભાજપ જીતી શક્યો હતો. એટલે કે કુલ 10 સીટ છે, જ્યાં મુસલમાન પરિણામ નક્કી કરી શકે છે.
સવાલ એ છે કે જો દિલ્હી ચૂંટણીમાં ધાર્મિક આધારે ધ્રુવીકરણ થયું તો તેની અસર પરિણામ પર કેટલી થઈ શકે. શું અન્ય સાઠ સીટો પણ તેનાથી પ્રભાવિત થઈ શકે?
શું ભાજપને ચૂંટણીમાં તેનો ફાયદો થશે? સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝના નિદેશક સંજય કુમારને આવું નથી લાગતું.
દિલ્હીવાસીઓને મફત
પાણીનું સત્ય શું?
સંજય કહે છે, મને નથી લાગતું કે શાહીનબાગનો મુદ્દો દિલ્હીનાં ચૂંટણીપરિણામોને પ્રભાવિત કરે. ભાજપ તેનો મોટો મુદ્દો બનાવવાની કોશિશ જરૂર કરશે, પરંતુ બીજી તરફ કેજરીવાલનો એ પ્રયાસ રહેશે કે આ ચૂંટણીના મુદ્દાઓને વિકાસકાર્યો સુધી જ સીમિત રાખે.
You may like
Dharmik
આજે ગણેશ ચતુર્થીના દિવસે રાશિ પ્રમાણે કરો આ ખાસ ઉપાય, મળશે ચમત્કારી લાભ, વિધ્ન દૂર થશે
Published
1 week agoon
September 19, 2023By
ગુજરાત મિરર
હિન્દુ કેલેન્ડર મુજબ, આ વર્ષે ગણેશ ચતુર્થીનો તહેવાર 19 સપ્ટેમ્બર 2023 એટલે કે આજથી પ્રારંભ થયો છે. આ ગણેશોત્સવ 10 દિવસ સુધી ચાલે છે અને 10 દિવસ પછી, ભક્તો તેમના ઘરે હાજર ભગવાન ગણેશને ખૂબ ધામધૂમથી વિસર્જન કરે છે. આજના દિવસે ભગવાન વિઘ્નહર્તા ગણેશની પૂજા કરવાની વિશેષ પરંપરા છે. તમને જણાવી દઈએ કે હવે આ તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે. આ દરમિયાન ભગવાન ગણેશની સ્થાપના ઘરમાં અથવા તો પંડાલોમાં કરવામાં આવે છે.
આ 10 દિવસો દરમિયાન બાપ્પાને અનેક પ્રકારની વાનગીઓ ચઢાવવામાં આવે છે. જો આ દસ દિવસ નિયમોનું પાલન કરીને ગણેશજીની પૂજા કરવામાં આવે તો જીવન પર તેની સકારાત્મક અસર પડે છે. આવી સ્થિતિમાં, જો લોકો આ દિવસોમાં તેમની રાશિ અનુસાર ઉપાય કરે છે, તો તેમને વિશેષ લાભ મળશે.
મેષ રાશિ:
આવી સ્થિતિમાં મેષ રાશિના જાતકોએ ભગવાન ગણેશની પૂજામાં ગોળ અર્પણ કરવો જોઈએ. જ્યારે વૃષભ રાશિના લોકોએ આ દિવસે બાપ્પાને સાકરની મીઠાઈ અર્પણ કરવી જોઈએ, મિથુન રાશિના લોકોએ આ દિવસે જરૂરિયાતમંદોને મગની દાળ અથવા મગના લાડુનું દાન કરવું જોઈએ, જ્યારે કર્ક રાશિના લોકોએ ગણપતિને 11 મોદક અર્પણ કરવા જોઈએ. 11 કન્યાઓને આપવાએ શાસ્ત્રમાં ખુબ જ શુભ માનવામાં આવે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોએ આ 10 દિવસો સુધી ભગવાન ગણેશને કિસમિસની ગાંઠ ખીર અર્પણ કરવી જોઈએ. આ દિવસે કન્યા રાશિના જાતકોએ ભગવાન ગણેશના બાળ સ્વરૂપની પૂજા કરતી વખતે સૂકા મેવાનો ભોગ ધરાવો જોઈએ. તુલા રાશિ માટે ભગવાન ગણેશને 5 નારિયેળ અર્પણ કરો અને ઘીનો દીવો કરો. વૃશ્ચિક રાશિના લોકોએ શ્વેતર્ક ગણેશની પૂજા કરવી જોઈએ અને તલ અર્પણ કરવા જોઈએ.
ધન રાશિ
ધન રાશિના લોકોએ આ સમય દરમિયાન ભક્તિ સાથે ‘ૐ ગં ગણપતેય નમઃ’ મંત્રનો જાપ કરવો જોઈએ. મકર રાશિના લોકોએ ભગવાન ગણેશને એલચી અને લવિંગની સાથે પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ. કુંભ રાશિના જાતકોએ મંદિરમાં દાનની સાથે ગણપતિ આરતી પણ કરવી જોઈએ. આ સાથે મીન રાશિના લોકોએ મધ અને કેસરથી હરિદ્ર ગણેશની પૂજા કરવી જોઈએ.
Dharmik
300 વર્ષ બાદ ગણેશ ચતુર્થી પર બની રહ્યો છે અતિ દુર્લભ સંયોગ, આ રાશિના લોકો પર બાપ્પા કરશે અઢળક કૃપા
Published
1 week agoon
September 18, 2023By
ગુજરાત મિરર
સનાતન ધર્મમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. હિંદુ કેલેન્ડર મુજબ, ગણેશ ચતુર્થીનો તહેવાર ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. ગણેશ ચતુર્થીના દિવસથી આગામી 10 દિવસ સુધી લોકોના ઘરોમાં બાપ્પાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે અને વિધિ મુજબ તેમની પૂજા કરવામાં આવે છે.
તે જ સમયે, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે ગણેશ ચતુર્થી પર લગભગ 300 વર્ષ પછી એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે બ્રહ્મ યોગ અને શુક્લ યોગ જેવા શુભ યોગો બની રહ્યા છે. આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના દિવસે ત્રણ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે.
300 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે
સનાતન ધર્મમાં ગણેશ ચતુર્થીના તહેવારનું ખૂબ મહત્વ છે. આ વર્ષે તેની શરૂઆત 18 સપ્ટેમ્બરથી થઈ રહી છે. 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર જ્યોતિષીય ગણતરીઓ અનુસાર ખૂબ જ શુભ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે ગણેશ ચતુર્થી પર 300 વર્ષ પછી એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે, જેમાં ઘણી રાશિના લોકો ધનવાન બની શકે છે. તેમાંથી મેષ, મિથુન અને મકર રાશિના લોકો માટે સારો દિવસ આવી શકે છે.
મેષ:
ગણેશ ચતુર્થીના દિવસે મેષ રાશિના લોકોના જીવનમાં અનેક પ્રકારની ખુશીઓ આવશે. સારા સમાચાર મળી શકે છે, પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે ખૂબ જ સાનુકૂળ સમય રહેશે, વેપારમાં વધારો થશે, અટકેલા કામ પૂરા થશે.
મિથુનઃ
મિથુન રાશિના લોકો માટે ગણેશ ચતુર્થી પણ શુભ રહેવાની છે. મિથુન રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ શકે છે. તમે અપાર સંપત્તિ કમાઈ શકો છો અને નોકરી અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. વિવાહિત જીવનમાં ખુશીઓ આવશે.
મકર:
ગણેશ ચતુર્થીનો દિવસ મકર રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ રાશિના લોકોનું સન્માન અને પ્રતિષ્ઠા વધશે. આવકના નવા સ્ત્રોત બનશે, વ્યવસાય સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે, લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે.
Editor's Choice
ઘઉંના વધુ પડતા ઉપયોગને કારણે મોટાપાથી લઈને ડાયાબિટીસ સુધી થઈ શકે છે રોગો
Published
1 month agoon
August 19, 2023By
ગુજરાત મિરરભારતમાં મોટાભાગના ઘરોમાં ઘઉંની રોટલી ખાવાનો ટ્રેન્ડ છે. ઘઉં આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, તેના વિના ઘણા લોકોનું પેટ પણ ભરતું નથી. ઘણા લોકો માને છે કે ભાત કરતા રોટલી વધુ ફાયદાકારક છે અને તેનાથી સ્થૂળતા વધતી નથી. ઘઉંની રોટલીમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે જરૂૂરી છે. આ સિવાય તે આપણી પાચનક્રિયાને સ્વસ્થ રાખે છે. પરંતુ વધુ પડતો ઘઉંના ઉપયોગથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.આપણાં પરંપરાગત ભોજનમાં દાળ, ભાત, શાક, રોટલીનો સમાવેશ થાય છે. ભારતીય તરીકે આપણે ઘઉં નો ઉપયોગ બહોળા પ્રમાણ માં કરીએ છીએ. પછી ભલે રોટલી ખાઈએ કે ભાખરી, પૂરી, પરાઠા ખાઈએ. પરંતુ શું તમને ખબર છે કે, વધારે ઘઉં ખાવાથી પણ ચરબીના થર વધી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે રોટલીમાં સુગરનું પ્રમાણ વધારે રહેલું હોય છે.
આજના સમયમાં જે ઘઉં વાવવામાં આવી રહ્યા છે તે મધ્યભાગ હાઇબ્રિડ છે. આ બીજમાં મોટી માત્રામાં ગ્લુટેન અને અન્ય પ્રોટીન હોય છે. જેને શરીર પચાવી શકતું નથી. ગ્લુટેન પ્રોટીન સાથે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સંકળાયેલી છે. ઘઉંના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય ને કારણે સેલિયાક રોગ, ગ્લુટેન, ઘઉંની એલર્જી જેવા રોગો થાય છે.ઘઉંથી બનતી રોટલી માં શરીર માટે જરૂૂરી ગણાતા મીનરલ, વિટામીન્સ, ફાયબર, કેલ્સીયમ, આર્યન, મેંગેનીઝ સહિતના સુક્ષ્મ તત્વો ઘણા ઓછા હોય છે. પરિણામે વધુ પડતી રોટલી ખાવાથી શરીરમાં સુગર વધે અને ડાબાબીટીસની સંભાવનાઓ વધી જાય છે.ઘઉંમાં માઇક્રો પોષણ ઓછા પ્રમાણમાં હોય તેથી તેની ઉણપથી ગ્લુટેન એલર્જી થાય છે. અને શરીર માં સોજા કે ખંજવાળ આવવાની શરૂૂ થઈ જાય છે.આવા સંજોગોમાં ડોક્ટર ઘઉં બંધ કરીને બાજરો ખાવાનું કહે છે.ડોક્ટર બાજરા સિવાયના અનાજ જેવા કે જુવાર, રાગી, કોદરી ,નાચણી ,મોરયો જેવા ખોરાક લેવાનું કહે છે.
ઘઉં ના રાસાયણિક વિશ્ર્લેષણ કરશો , તો એમાં એમાયલોપેકટીન નામનું તત્વ હોય છે , જેનાથી આપના લોહી માં કઉક નામના કોલેસ્ટ્રોલ નો વધારો થાય છે, જેના લીધે હૃદય ના રોગ થાય છે. જ્યારે તમે તમારા ભોજન માંથી ઘઉં નો ત્યાગ કરો છો , ત્યારે આ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ એકદમ (80-90%) ઘટી જાય છે. બીજુ ઘઉં માં (ૠહશફમશક્ષ) ગલાયડીન નામનું તત્ત્વ હોય છે ,જેથી તમને ભૂખ વધારે લાગે છે, તેથી તમારું રોજ નો 400 કેલેરી જેટલો વધારે ખોરાક ખવાઈ જાય છે. આ તત્વ તમને વધારે ખાવાની આદત પાડે છે.
લોકો વૈકલ્પિક આહાર (ઓપ્શનલ ડાયટ) પસંદ કરી રહ્યા છે, દાખલા તરીકે, એક મહિના સુધી ઘઉંનું સેવન ન કરવુંએ સામાન્ય પ્રયોગ છે. જો કે, આપણા શરીર પર તેની અસરને ધ્યાનમાં લેવી જોઈયે. ડાયટિશીયન સલાહ આપે છે ભોજન માં ફળ, શાકભાજી, ડ્રાય ફ્રૂટ ( બદામ કાજુ, અખરોટ) કઠોળ ( મગ, ચણા) દાળ ભાત અને જુવાર ,બાજરી જેવા પદાર્થો વધારે ખાવાની ટેવ પાડો. જો ઘઉં ની રોટલી, બ્રેડ પાસ્તા રોજ ખાવાનું બંધ કરી ને બાજરી, જુવાર , માં રોટલા અને દાળ ભાત , શાક શરૂૂ કરીએ તો વજન ઘટશે અને બ્લડ સુગર ઓછું થશે. ભોજન નું પ્રમાણ ઓછું થશે અને તમારું હૃદય , શરીર વધારે તંદુરસ્ત બનશે.
શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારવામાં ઘઉંનો મોટો ફાળો છે. તમારા ડાયટમાંથી ઘઉંને દૂર કરવાથી લોહીમાં શર્કરાનું સ્તર ઘટી શકે છે, જે ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી છે. તે ગ્લુટેન સેન્સિટિવિટી અને સ્થૂળતા જેવી અન્ય પરિસ્થિતિઓને રોકવામાં પણ મદદ કરી શકે છે. શુદ્ધ કાર્બોહાઇડ્રેટ્સ તમારું વજન વધારી શકે છે, જેમ કે સફેદ બ્રેડ, પિઝા, બર્ગર, પાસ્તા વગેરે. આ ખોરાક પણ સંતૃપ્તિ પ્રદાન કરતા નથી. વધુમાં, ઘઉં-મુક્ત આહાર પર તમારી કેલરીનું પ્રમાણ ઘટશે, જે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. વધારે પડતા ઘઉં ખાવાથી સેલિયાક રોગ થવાનું જોખમ રહેલું છે , એક સ્વયંપ્રતિરક્ષા ડિસઓર્ડર(ઓટો ઇમ્યુન કન્ડિશન) નું જોખમ રહે છે, જેમાં ગ્લુટેન (ઘઉંનો પ્રોટીન ઘટક) લેવાથી નાના આંતરડાને નુકસાન થાય છે. જો ડાયેટમાં ઘઉં ના બદલે બાજરી , જુવાર, રાગીનો ઉપયોગ કરવામાં આવે તો આ રોગ થતો નથી. ઘઉં શરીર ના લોહી માં સાકર નો ઝડપ થી વધારો કરે છે, માત્ર બે રોટલી ,એક મીઠાઈ ના ટુકડા થી પણ વધારે સાકર નું પ્રમાણ લોહી માં વધારે છે. ઘઉંની બનાવટની ભોજન ખાવાં નું છોડે છે ત્યારે વજન ખૂબ ઝડપ થી ઓછું થાય છે .અને પહેલા મહિના માં પેટ અને કમર ની સાઈઝ માં ઘટાડો થયો. યોગ્ય પ્રમાણમાં ઘઉંનો ઉપયોગ ઘણી બિમારીઓથી દૂર રાખે છે.