Breaking News
દિલ્હીમાં ભારે મતદાન: મંગળવારે પરિણામ
Published
4 years agoon
By
ગુજરાત મિરર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, અરવિંદ કેજરીવાલ અને મનોજ તિવારીએ પ્રભાતના પહોરમાં કર્યું મતદાન
પરફોર્મન્સના આધારે પુન: સરકાર રચવા કેજરીવાલનો અને
50 બેઠકો જીતવાનો ભાજપનો દાવો
રાજકોટ તા.8
કેવળ દિલ્હી જ નહીં બલ્કે દેશભર માટે અત્યંત ઉત્કંઠાનું ‘કેન્દ્ર’ બનેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું આજે ધીમી ગતિએ મતદાન શરૂ થઇ ચૂકયું હતું. મળતા અહેવાલો મુજબ સવારનાં 9 કલાક સુધીમાં 4.33 ટકા મતદાન જ નોંધાયું હતું. જે બપોરના 1 વાગ્યા સુધીમાં 32 ટકા સુધી પહોંચી ગયું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધીએ મતદાન કર્યું.
સોનિયા ગાંધીએ નિર્માણ ભવન બૂથમાં મતદાન કર્યું. જ્યારે પ્રિયંકા ગાંધીએ લોધી સ્ટેટમાં મતદાન કર્યું. પતિ રોબોટ વાડ્રા અને તેમનો પુત્ર પણ તેમની સાથે હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું પોતાના અધિકારો સ્પષ્ટ કરો અને મતદાન કરો.
દિલ્હીમાં 10 વાગ્યા સુધીમાં 4.33 ટકા લોકોએ મતદાન કર્યું છે, દિલ્હીમાં અલગ અલગ વિસ્તારોમાં બનેલા વોટિંગ બુથ પર લાંબી લાઈનો જોવા મળી છે પરીણામે બપોરનાં 1 વાગ્યા સુધીમાં મતોની ટકાવારી 32 એ પહોંચી હતી.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર મનોજ તિવારીએ વહેલી સવારે જ મતદાન કરી પોત-પોતાની જીતના વિશ્ર્વાસ વ્યક્ત કર્યો બાદ મતદાન કરી પત્રકારોને જણાવ્યું હતું કે દિલ્હીનાં મતદાતા આમ આદમી પાર્ટીના પરફોર્મન્સનાં આધારે મત આપી પુન: તેમને સરકાર બનાવશે જયારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીપદના દાવેદાર ગણતા મનોજ તિવારીએ 50 થી વધુ બેઠકો જીતવાનો આત્મવિશ્ર્વાસ વ્યકત કર્યો હતો. દરમિયાન એક બનાવમાં ઉત્તર-પૂર્વી દિલ્હીના બાબરપુરના પોલિંગ બુથમાં ચુંટણી અધિકારીનું મૃત્યુ નીપજતાં થોડો સમય મતદાન પ્રક્રિયા ખોરંભાઇ હતી.
મુખ્યમંત્રી કેજરીવાલે તેમના પરિવાર સાથે સિવિલ લાઈન્સના એક મતદાન કેન્દ્ર પર મતદાન કર્યું. આ વખતે પણ સીએમ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા સીટથી મેદાનમાં છે. તેમના વિરુદ્ધ બીજેપીના સુનીલ યાદવ અને કોંગ્રેસના રોમેશ સબ્બરવાલ ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાંથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબાએ ટૈગોર ગાર્ડન એક્સટેન્શનમાં મતદાન કર્યું. અલકા લાંબા અઅઙના પ્રહલાદ સિંહ સૈની અને બીજેપીની સુમન ગુપ્તા વિરુદ્ધ ચૂંટણી લડી છે.
મુખ્યમંત્રી કેજરીવાલની માતાએ તેમને તિલક કર્યું ત્યારપછી સીએમ પરિવાર સાથે મતદાન કરવા નીકળ્યા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ આર ભાનુમતિ, કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધન, ચાંદની ચોકથી ઉમેદવાર અલકા લાંબાએ વોટિંગ કર્યું. વિદેશ મંત્રી એસ જયશંકર અને દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે મતદાન કર્યું. વડાપ્રધાન મોદીએ ટવીટ કરી જનતાને વોટિંગ કરવાની અપીલ કરી હતી.

અલ્કા લાંબાએ ‘આપ’ના કાર્યકર્તાને મારી થપ્પડ
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે મતદાન થઈ રહ્યું છે. કુલ 70 સીટ માટે 672 ઉમેદવાર મેદાનમાં છે. આ દરમિયાન ચાંદની ચોકથી કોંગ્રેસ ઉમેદવાર અલકા લાંબા મજનૂંના ટીલા વિસ્તારમાં પોલિંગ બૂથની વ્યવસ્થા જોવા પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર આમ આદમી પાર્ટીના ઉમેદવારે અભદ્ર ટીપ્પણી કરી હતી. આથી ગુસ્સે થયેલા અલકા લાંબાએ તે ઉમેદવારને થપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો હતો. અલકા લાંબાએ ઉમેદવારને પોલીસમાં ફરિયાદ નોંધાવાની ધમકી પણ આપી હતી.
કુમાર વિશ્ર્વાસે કહ્યું,
‘કલંક’ ધોવાનો સમય
દિલ્હીમાં મતદાન વચ્ચે કવિ અને પૂર્વ આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે આમ આદમી પાર્ટી પર ટકાક્ષ કર્યો છે. તેમણે લોકોને સીધી રીતે તો નહીં પરંતુ કેજરીવાલ સરકાર વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, આ કલંક ધોવાનો સમય છે. મહત્વનું છે કે ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસ ભાજપમાં સામેલ થશે તેવા પણ સમાચાર આવ્યા હતા, પરંતુ પછી તેમણે તેનું ખંડન કર્યું હતું. હવે કુમાર વિશ્વાસે લખ્યું, પિછલે 5 સાલ કે કલંક ધોને કા
સમય હે દિલ્લીવાલો. વોટની ચોટ સે સમાજ, દેશ, આશાઓ, સેના, મિત્રતા વ ભરોસે કી હત્યા કરનેવાલે રાજનીતિક એડ્સ આત્મમુગ્ધ બૌનોં કે નિકૃષ્ટ મંસૂબે ધ્વસ્ત કરને કા સમય હૈ નિકલો ઘરો સે, બતાઓ કિ બના સકતે હો તો અહંકારી શિશુપાલોં કો મિટા ભી સકતે હો.
You may like
Breaking News
મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ
Published
6 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરશહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
Breaking News
લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ
Published
7 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Breaking News
ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત
Published
8 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરબોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં
ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.