Junagadh
જૂનાગઢમાં વિદ્યાર્થીઓને પર્વતારોહણ તાલીમ સાથે અનુશાસન-સાહસિકતાના પાઠ પણ ભણાવાયા
Published
2 months agoon
By
ગુજરાત મિરર
પીડીયુ પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા 8થી 13 વર્ષના બાળકો માટે 7 દિવસની એડવેન્ચર તાલીમ યોજાઇ
જૂનાગઢ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ખાતે 8 થી 13 વર્ષના બાળકો માટેની 7 દિવસ ખડક ચડાણ એડવેન્ચર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિબિરાર્થીઓને ખડક ચડાણની તાલીમ માનદ ઈન્સ્ટ્રક્ટર બચુભાઈ મકવાણા, પ્રદીપકુમાર, ઉમંગ વેકરીયા, હેતલ ઠાકોર, હિતેન્દ્રદાન નારેલા, દેવરાજ ગોહિલ, યશ મણિયાર, રામ ચન્દ્રવાડીયા, જાગૃતિ ચાવડા દ્વારા આપવામાં આવી હતી.
શિબિરાર્થીઓએ પોતાનો અભિપ્રાયમાં નિયમિતતા, અનુસાશન, સાહસિકતા, ખડકો પરથી તાલીમ, મિત્રતા, એકતાના ગુણો શિખવામાં ઉપયોગી સાબિત થયા તેવુ જણાવ્યુ હતું. જિલ્લા શિક્ષણાધિકારી બી. એચ. વાઢેરએ શિબિરાર્થી બાળકોને પ્રકૃતિનું જીવનમાં મહત્વ, સ્ત્રી પુરૂૂષના ભેદભાવ વિનાનું જીવન, શારીરિક માનસિક સંતુલન જાળવવા બાબતે સમજ આપી ભવિષ્યમાં પણ પોતાના જીવનમાં સાહસિક પ્રવૃતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ આપી હતી. શિબિરનાં સમાપન કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી બી.એચ.વાઢેરના અધ્યક્ષસ્થાને તથા મુખ્ય મહેમાન જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરેની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.
આ કાર્યક્રમમાં શાન્દિક સ્વાગત ઉપેન્દ્રસિંહ રાઠોડ ઈન્સ્ટ્રક્ટર ઈન્ચાર્જએ કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન યશ મણિયાર અને જાગૃતિ ચાવડાએ કર્યું હતું.
You may like
Junagadh
રાજભારતી બાપુને પરંપરા પ્રમાણે સમાધિ અપાઈ
Published
1 day agoon
January 28, 2023By
ગુજરાત મિરર
સોશિયલ મીડિયામાં ચાલતી અફવા તમામ આક્ષેપ પાયાવિહોણા : ઈન્દ્રભારતીબાપુ
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતીબાપુએ પોતાની જ પિસ્તોલથી જાતે ગોળી મારીને મંગળવારે આત્મહત્યા કરી હતી. જેમને અખાડાની પરંપરા પ્રમાણે સાધુ-સંતોની હાજરીમાં સમાધિ આપવામાં આવી છે. રાજ ભારતી બાપુના વાયરલ થયેલા-ઓડિયો વીડિયોને ઇન્દ્ર ભારતી બાપુ અને અન્ય સંતોએ અફવા ગણાવી છે.
ઇન્દ્ર ભારતી બાપુએ જણાવ્યું હતું કે, જે ઘટના ઘટી તે અતિ દુ:ખદ છે. આજે રાજ ભારતી બાપુને અમે અમારી પરંપરા મુજબ સમાધિ આપી છે. રાજ ભારતી બાપુને લઇને સોશિયલ મીડિયામાં ચાલતી અફવાઓ ઉપર ધ્યના ન આપો. રાજ ભારતી બાપુ પર થતાં તમામ આક્ષેપો પાયા વિહોણા છે. આધાકાર્ડ અને પાનકાર્ડ મહારાજ મુક્તાનંદજીના નામે હતું, મુક્તાનંદ બાપુએ એમ કીધું કે, આ ભારતી પરંપરાના શિષ્ય છે, કોઇ કારણોસર આધારકાર્ડ કે પાનકાર્ડ બનાવ્યું હોય તો મને ખ્યાલ નથી.
ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુએ જણાવ્યું હતું કે, બજારમાં રાજ ભારતી બાપુને લઇને જે વાતો ચાલી રહી છે, ખોટી છે. ઘટના કયા કારણોસર ઘટની કે કંઇ જાણવામાં નથી આવ્યું. મારી એસ.પી. અને કલેક્ટરને અપીલ છે કે, ઊંડાણ પૂર્વક તપાસ કરીને જે હકિકત હોય તે બહાર લાવો. રાજ ભારતી બાપુ અમારા જૂના અખાડાના ચાર મઢીના અને અખંડાનંદ ભારતીના શિષ્ય હતા. મુક્તાનંદ બાપુના શિષ્ય સદાનંદ બાપુએ જણાવ્યું હતું કે, રાજ ભારતી બાપુ અખંડાનંદ બાપુના શિષ્ય છે. એમના ગુરુ હતા વિસંભર ભારતીએ તેમને જૂના અખાડાની પરંપરાની મુજબ રાજ ભારતીને સમાધિ આપી છે.
રાજ ભારતીબાપુએ પોતાના ખડિયા ગામ સ્થિત વાડીમાં જાતે જ ગોળી મારીને જીવન ટૂંકાવ્યું હતું. પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી લમણામાં ગોળી મારતાં લોહીલુહાણ હાલતમાં તેમને સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવાર મળે એ પૂર્વે જ તેમનું મોત થયું હતું.
Junagadh
માંગરોળના લંબોરા ડેમ પાસે પક્ષીઓનો શિકાર કરતી ગેંગ ઝડપાઈ
Published
2 days agoon
January 27, 2023By
ગુજરાત મિરર
29 મૃત પક્ષીઓ સાથે 2.46 લાખનો મુદ્દામાલ કબ્જેક રતી પોલીસ: 8 શખ્સ દબોચાયા
જૂનાગઢના માંગરોળના લંબોરા ડેમ પાસે પક્ષીઓનો શિકાર કરી રહેલા આઠ શિકારીઓને 29 મૃત પક્ષીઓ સાથે પોલીેસ ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ શખ્સોને વનવિભાગને હવાલે કર્યા છે.
લંબોરા ડેમ પાસે પક્ષીઓનો શિકાર થતો હોવાની સ્થાનિક લોકોની ફરિયાદ હતી. ગામલોકોની મદદથી માંગરોળ પોલીસે લંબોરા ગામના ડેમ અને નોળી નદીની બાજુમાં શિકાર કરતા હોવાની માહિતી મળતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી શિકાર કરી રહેલા 8 શિકારીઓને ઝડપી પાડ્યા હતા. શિકારીઓ પાસેથી શિકાર કરાયેલા 29 મૃત પક્ષીઓ મળી આવ્યા હતા.
મોહમદ હુસેન ઢીમર,ઐયુબ જુમ્મા રાડીયા, ઉંમર સુલેમાન રાડીયા, ફિરોજ હુસેન ઢોકી, સલીમ મોરા ભેંસલીયા,ઇસુબ સુલેમાન ભેંસલીયા, ઇસુબ ઓસમાન લુચાણી,અસલમ સુલેમાન ઇસબાણી ને 28 મૃત સુરખાબ પક્ષી,1 પક્ષી મળી આશરે કુલ કિ.રૂૂ.58,000 મોબાઇલ નંગ-7 કુલ કિ.રૂૂ.-27,000, મોટરસાયકલ નંગ-5 કુલ કિ.રૂૂ.-1,60,000 તેમજ શિકાર ના સાધનો મળી કુલ રૂૂ.-2,46,200 નો મુદ્દામાલ પકડી પીએસઆઈ. એસ.એ.સોલંકી, તથા પો.હેડ.કોન્સ.સુરેશભાઇ દાફડા તથા પો.હેડ.કોન્સ ભગવતસિંહ ઝણકાટ તથા પો.કોન્સ.કિશોરભાઇ ગળચર તથા પો.કોન્સ. ભગતસિંહ વાળા તથા પો.કોન્સ.રવિભાઇ પરમાર તથા પો.કોન્સ. કેતનકુમાર મકવાણા તમામ આરોપીઓને વન વિભાગને સોંપી દીધેલ હતા.
મૃત પક્ષીઓ તેમજ શિકારમાં ઉપયોગમાં લેવામાં આવતા સાધનો સહિતનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી વેટરીનરી ડોક્ટર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, માંગરોળ વન વિભાગને કાયદેસરની કાર્યવાહી કરવા પકડાયેલા 8 શિકારીઓ સોંપવા માં આવ્યા હતા.
Junagadh
જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ, માજી મેયરના પુત્ર સહિત ચારની હકાલપટ્ટી
Published
4 days agoon
January 25, 2023By
ગુજરાત મિરર
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા વધુ પાંચ નેતાને સસ્પેન્ડ કરાતા ખળભળાટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ત્યારે ત્રણ નેતાઓને પક્ષે રસ્તો બતાવી દીધો છે. ત્રણ આગેવાનોને સસ્પેન્ડ કરવાથી નેતાઓમાં ચકચાર મચી ગઇ છે. જૂનાગઢ કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલ, પ્રગતિ આહીર અને રાવણ લાખા પરમારની હકાલપટ્ટી કરવામાં આવી હતી.ગુજરાત કોંગ્રેસ ચૂંટણી સંકલન સમિતિના ચેરમેન બાલુભાઈ પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી અંગત નિરીક્ષક દ્વારા સર્વે બાદ આ આગેવાનોને કોંગ્રેસ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહીર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે. આ સાબિત કરે છે કે કોંગ્રેસ કોઈને પણ છોડવાના મૂડમાં નથી. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પણ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે.
તેમણે કહ્યું હતું કે, જે રજુઆતમાં ચકાસણીની જરૂૂરિયાત છે તેવા 18 અરજદાર તેમજ તેમની સામે રજૂઆત છે તેમને રૂૂબરૂૂ બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. પાંચ અરજીઓ એવી છે જેમાં જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને સંકલિત કરીને નિર્ણય કરશે. સામાન્ય કેસોમાં 8 વ્યક્તિઓને પત્ર દ્વારા ઠપકો આપવામાં આવ્યો છે. 11 અરજીમાં કઈ તથ્ય ન જણાતા રદ કરવામાં આવી છે. અને 4 કેસમાં વધુ અભ્યાસ કરવાનો હોવાથી આગામી મીટીંગ માટે પેન્ડીંગ રાખવામાં આવી છે.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
