Breaking News
જામનગરમાંથી બે કુટણખાના ઝડપાયા
Published
4 years agoon
By
ગુજરાત મિરર નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર કોલકાતાથી
લલના બોલાવી લોહીનો વ્યાપાર કરાવતો હતો
જામનગર તા 8
જામનગર શહેરમાં દેહવિક્રયનો વ્યવસાય વધી ગયો હોવાની અને રાજ્ય બહારથી યુવતીઓને બોલાવી માનવ તસ્કરી કરી કૂટણખાના નો વ્યવસાય કરવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળતા જામનગર શહેરના જુદા જુદા બે વિસ્તારોમાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જેમા એક રહેણાંક મકાન માંથી અને એક હોટલ માં ચાલતું કુટણખનું પોલીસે ઝડપી પડ્યું હતું.
જામનગર શહેરમાં રણજીતનગર વિસ્તારમાં રહેતા નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અશોકસિંહ પ્રવિણસિંહ ઝાલા દ્વારા રણજીત નગર પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલા પોતાના રહેણાંક મકાનમાં દેહવિક્રયનો વ્યવસાય ચલાવવામાં આવી રહ્યો છે. અને રાજ્ય બહારથી યુવતીઓને બોલાવી માનવ તસ્કરી કરી પુરુષ ગ્રાહકોને શરીર સુખ માટે ની વ્યવસ્થા કરાવી કુટણખાનું ચલાવવામાં આવે છે. તેવી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે મોડી સાંજે નવનિયુક્ત પ્રોબેશનર આઇપીએસ અધિકારી હશન સાફિન તેમજ એલસીબી ની ટીમે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન રણજીતનગર વિસ્તારમાં બ્લોક નંબર સી 9 ના રૂમ નંબર 1929 માં કુટણખાનુ મળી આવ્યું હતું. અને નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર અશોક સિંહ ઝાલા દ્રારા કલકત્તાથી બે યુવતીઓને દેહવિક્રિય માટે બોલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
જેમાં જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતો અને શાક બકાલાનો વેપાર કરતો મનોજ સુનિલભાઈ ખન્ના નામનો શખ્સ એક યુવતી સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો. આથી પોલીસે અશોક સિંહ ઝાલા તેમજ ગ્રાહક મનોજ સુનિલભાઈ ખન્નાની ધરપકડ કરી લઈ રહેણાંક મકાનમાંથી રૂપિયા 6800 ની રોકડ રકમ બે નંગ મોબાઇલ ફોન વગેરે કબજે કર્યો છે. અને અશોક સિંહ ઝાલા અને મનોજ ખન્ના સામે પોલીસ માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જે કુટણખાનામાં થી પશ્ચિમ બંગાળથી આવેલી બે યુવતીઓ મળી આવી હતી જે બન્ને યુવતીઓને પોલીસે છોડાવી આ પ્રકરણમાં સાક્ષી તરીકે રાખી છે. બન્ને યુવતીઓને પૈસાની લાલચ આપી જામનગર બોલાવવામાં આવી હતી અને પુરુષ ગ્રાહકો પાસેથી મોટી રકમ વસુલી તેમાંથી અમુક હિસ્સો યુવતીઓને અપાતો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજો દરોડો જામનગરના પંચવટી વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાં આવેલી ગોલ્ડન ક્રાઉન નામની હોટેલમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું છે અને પોલીસને એવી ચોક્કસ બાતમી મળી હતી કે હોટલના મેનેજર દ્વારા જામનગરના પુરુષ ગ્રાહકોને સંતોષવા માટે રાજ્ય બહારથી યુવતીઓને બોલાવવામાં આવે છે અને શરીર સુખ માણવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.. આ ફરિયાદ જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ તેમજ નવનિયુક્ત પ્રોફેશનલ આઈપીએસ અધિકારી હશન સાફિન ને મળતા ગઈકાલે સાંજે પોલીસ સ્ટાફ એ દરોડો પાડયો હતો. જયાં હોટલના મેનેજર દિનેશ લક્ષ્મણભાઈ સાકટ ની ધરપકડ કરી લીધી હતી.
જ્યાથી બહારના રાજ્યમાંથી આવેલી એક યુવતી મળી આવી હતી. જેને દેહવિક્રિય માટે લાવનાર રાજકોટના વતની અને હાલ જામનગરમાં સ્વામિનારાયણ નગરમાં રહેતા રાકેશ મગનલાલ ગાંગળા નામના શખ્સે વ્યવસ્થા કરી હોવાથી પોલીસે તેને આ કેશ મા તેને ફરારી જાહેર કર્યો છે.
ઉપરોક્ત હોટલમાંથી અમુક ચીજ વસ્તુ ઓ પોલીસે કબ્જે કરી હતી. અને પોલીસ મથકમાં વેશ્યાવૃત્તિ અંગેનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જામનગર શહેરમાં એક જ દિવસમાં કુટણખાના અંગે ના બે ગુનાઓ નોંધાતા ભારે ચકચાર જાગી છે.
You may like
Breaking News
મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ
Published
6 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરશહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
Breaking News
લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ
Published
8 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Breaking News
ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત
Published
8 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરબોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં
ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.