Gujarat
ગોંડલને ‘ગુલમહોર’ના સ્વાદનું ઘેલું લગાડનાર શ્વેતા વ્યાસ
Published
2 months agoon
By
ગુજરાત મિરર
એક સમયે ગોંડલથી લોકો જમવા માટે રાજકોટ જતાં જ્યારે હવે રાજકોટના લોકો ગુલમહોર રેસ્ટોરાંની મુલાકાત લેવા ગોંડલ જાય છે
ફૂડ ક્વોલિટી સાથે રેસ્ટોરાંનો માહોલ તેમજ આવનાર લોકોને મહેમાન ગણી કરાતો આતિથ્ય સત્કાર લોકોને ગમે છે
ફૂડ ક્વોલિટી સાથે રેસ્ટોરાંનો માહોલ તેમજ આવનાર લોકોને મહેમાન ગણી કરાતો આતિથ્ય સત્કાર લોકોને ગમે છે
કોરોનાના સમયમાં અનેક લોકોના ધંધા-રોજગાર બંધ થઈ ગયા હતા.અનેક લોકોએ નોકરી ગુમાવી હતી આવા કપરા સમયમાં ગોંડલ શહેરમાં એક યુવતી પોતાનું નવું રેસ્ટોરાં ખોલે છે એટલું જ નહીં પરંતુ સફળતાપૂર્વક સ્વાદની સફર આગળ વધારે છે.આ સફર એટલી સરળ નહોતી.હજુ રેસ્ટોરાં શરૂૂ કર્યું ત્યાં બબ્બે લોકડાઉનનો સામનો કરવો પડ્યો.કામ વગર માણસોના પગાર,મેઇન્ટનન્સ,નિરાશાજનક માહોલ ચિંતા ઉપજાવે તેવો હતો પરંતુ હિંમત રાખી પાછી પાની કર્યા વગર લક્ષ્યને વળગી રહ્યા. આજે એ સમય છે કે ગોંડલવાસીઓની જીભ પર ગુલમહોર રેસ્ટોરાંનું નામ અને સ્વાદ છે.આ વાત છે ગોંડલના ગુલમહોર રેસ્ટ્રો એન્ડ લોન્જના માલિક શ્વેતા વ્યાસની.
મૂળ રાજસ્થાન ઉદયપુરના શ્વેતા પોતે મારવાડી દિગંબર જૈન પરિવારના છે.પિતાજી મહેન્દ્રકુમાર જૈન આયુર્વેદિક દવાઓ વેચતા હતા અને માતા સુમિત્રા જૈન ભરત ગૂંથણનું કામ કરતા હતા.બે બહેન અને એક ભાઈના પરિવારે શરૂૂઆતના દિવસોમાં ખૂબ સંઘર્ષ વેઠ્યો.આજે પણ પિતાજીને દવાનો વ્યવસાય છે પરંતુ શૂન્યમાંથી આજે આ વ્યવસાય ખૂબ વિકસ્યો છે. ઘરની જગ્યાએ બંગલો બન્યો છે. પિતાજીને રોલ મોડેલ માનનાર શ્વેતા વ્યાસે પૈસાની અછત શું છે તે બાળપણમાં જોયું હતું તેથી આજે પણ તેણી પૈસાની કિંમત કરી જાણે છે અને એટલે જ પોતાના રેસ્ટોરાંમાં દરેક લોકોને પોસાય તે પ્રમાણે મેનુ રાખે છે. શ્વેતાએ બી.એ. ઇકોનોમિક્સ અને ડિપ્લોમા ઇન ફેશન ડિઝાઇનિંગ કર્યા બાદ ગોંડલ રસાશ્રમ ફાર્મા પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર માહેશ્વર જીવરામ વ્યાસ(રાજવૈદ્ય પરિવાર)ના વંશજ કિશન વ્યાસ સાથે લગ્ન કર્યા.લગ્ન બાદ પુત્રી ઈશિતા અને પુત્ર શ્ર્લોકનો જન્મ થયો. બાળકો થોડા મોટા થયા એટલ કંઇક કરવાનું નક્કી કર્યું જેમાં કાકાના હોટેલ બિઝનેસ નો અનુભવ કામમાં આવ્યો અને રેસ્ટોરાં ખોલવાનું નક્કી કર્યું.છેલ્લા 11 વર્ષથી સાસુને પેરેલીસિસ છે,છતાં ઘર પરિવાર અને રેસ્ટોરાંની જવાબદારી તે બખૂબી નિભાવે છે.જેમાં સસરા સુધીરભાઈ અને પતિ કિશન વ્યાસનો ખૂબ જ સહકાર છે.ગોંડલવાસીઓને ફાઈન ડાઈન મલ્ટીક્યુઝીન રેસ્ટોરન્ટનો અનુભવ કરાવનાર શ્વેતા વ્યાસ રેસ્ટોરાંમાં આવનારને કસ્ટમર નહિ પણ મહેમાન ગણે છે અને એ જ રીતે તેમની આગતાસ્વાગતા કરે છે. એક સમયે ગોંડલના લોકોને જમવા માટે રાજકોટ કે જેતપુર સુધી લાંબુ થવું પડતું જ્યારે હવે ઊલટી ગંગા થઈ છે કે રાજકોટના લોકો ગુલમહોરની સારી પ્રતિષ્ઠા જોઈ ગોંડલ જમવા જાય છે.સામાન્ય રીતે સ્ત્રી પહેલા પિતાના નામથી અને પછી પતિના નામથી ઓળખાય છે પરંતુ આજે શ્વેતા વ્યાસને લોકો ગુલમહોરના માલિક તરીકે અલગ નામથી ઓળખે છે ત્યારે ખુશી થાય છે. પોતાની સફળતામાં ગોંડલ મહારાની સાહેબ કુમુદકુમારીજી, કુંવરાની ગૌરીરાજ્યલક્ષ્મી(હવામહેલ), એમએલએ ગીતાબા જાડેજા,રાજકોટના રાનીસાહેબા કાદંબરીદેવીજી દરેક તરફથી ખૂબ પ્રોત્સાહન મળ્યું છે. ગોંડલના લોકોએ પોતાના આ સાહસને વધાવ્યું સહકાર અને પ્રેમ આપ્યો એ બદલ ગોંડલના લોકોનો પણ તેઓ આભાર માને છે.તેઓની લાગણીથી જ ભવિષ્યમાં તે બેન્કવેટ હોલ,રૂૂમ કે જ્યાં લોકો પોતાનો પ્રસંગ સુંદર રીતે પાર પાડી શકે તથા ગુલમહોરને ગોંડલની બહાર લઈ જઈ એક ચેન બનાવવાનું પણ તેમનું સ્વપ્ન છે તેમના આ સ્વપ્ન માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..
ચેલેન્જ વગર બિઝનેસમાં મજા નહિ
હોટેલ રેસ્ટોરાં બિઝનેસ મેન માઈન્ડેડ પ્રોફેશન છે.અનેક ચેલેન્જનો સામનો કરવો પડ્યો.નાનું ગામ,લોકો સ્વીકારશે કે કેમ તેવી અવઢવ, હરીફાઈનો માહોલ એવા ઘણા પ્રશ્નો હતા છતાં કંઈક કરવું એ નિર્ધાર હતો એટલે કરીને દેખાડ્યું.
વધુ સ્ટાફ પુરુષોનો હોવાથી એક વિશ્વાસનું વાતાવરણ બનાવ્યું.ગુલમહોર રેસ્ટ્રો એન્ડ લોન્જ બનાવતા પહેલા લોકલ હોટેલ, ઢાબાની મુલાકાત લીધી,સ્વાદ અંગે માહિતી મેળવી હતી.સ્ટાફ માટે પણ વ્યવસ્થા,ટ્રેનિંગ તેમજ લોકોને ઘર જેવું વાતાવરણ મળે એ માટે પ્રયત્નો કર્યા હતા.આજે 30 જેટલા સ્ટાફ સાથે શ્વેતા લોકોને શું નવું આપી શકાય એ જ વિચારે છે.તેઓનું કહેવું છે કે ચેલેન્જ વગર બિઝનેસમાં શું મજા?
જીવન એક જ વખત મળે છે….જીવી લો
મહિલાઓને મદદ કરવા હંમેશા તત્પર શ્વેતા જણાવે છે કે સ્ત્રી ઉપર જીવનભર ઘરની જવાબદારી રહેવાની છે પરંતુ આ જવાબદારીને નિભાવતા તમારા મનમાં જે કરવાની ઈચ્છા હોય તે કરો. જીવન એક જ વખત મળે છે તેને માણી લો. કંઇક કરવાની ઈચ્છાને મારશો તો પછીની જિંદગીમાં પસ્તાવો થશે તેના બદલે એક પગલું આગળ વધશો તો બીજા પગલા માટે કુદરત જ જગ્યા બનાવશે.
ફાઈન ડાઈન મલ્ટીક્યુઝીન રેસ્ટોરાંનો અલગ અનુભવ લો
ગુલમહોરમાં ઇન્ડોર, આઉટડોર, મચાન, ગઝેબો, લોન્જ વગેરેની વ્યવસ્થા છે.અહીં ચોખ્ખાઈનું ધ્યાન રાખવામાં આવે છે. પોતાની પાસે કોઈ મોટું કોલ્ડ સ્ટોરેજ નથી જેથી વાસી વાનગી રાખવાનો અવકાશ નથી. કમર્શિયલ ફ્રીઝ છે જેમાં એક કે બે દિવસમાટે ઘરની જેમ વાનગી રાખી શકાય.જૈન ફૂડ માટે અલગ જ રસોડું રાખવામાં આવ્યું છે તેના વાસણ અને રસોયા પણ અલગ છે.અહીં પંજાબી, ચાઈનીઝથી લઈને તંદુરી પ્લેટર સહિત જ્યુસ, મોકટેલ બધું જ મળે છે.અતિથિ દેવો ભવ: ની ભાવના સાથે દરેકને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. અહીં સ્વાદ સાથે લોકોના ખિસ્સાને પણ ધ્યાનમાં રાખીને મેનુ બનાવવામાં આવ્યું છે.
- ભાવના દોશી
You may like
Breaking News
જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર લીક મામલા નું એ.પી સેન્ટર વડોદરા ATS ની ટીમે કોચિંગ સેન્ટરના સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી
Published
8 hours agoon
January 29, 2023By
ગુજરાત મિરર
વડોદરાના અટલાદરા બીલ રોડ પર આવેલ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ ને સીલ કરાઈ સ્ટેકવાઈઝ ટેકનોલોજી કોચિંગ ક્લાસ પર પોલીસનો બંદોબસ્ત મુકાયો ATS ની ટીમે અહીંયાથી આરોપીઓ પકડ્યા હોવાની પ્રાથમિક વિગત મળી રહી છે સ્ટેકવાઈઝ ટેકનોલોજી ના સંચાલકની અટકાયત કરાઈ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ છે પોલીસ તપાસમાં સીલ કરેલા કોચિંગ સેન્ટર પર અનેક પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણીકાર્ડ સાથે કોચિંગ ક્લાસના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે પોલીસ તપાસમાં કોચિંગ સેન્ટર પરથી અનેક જૂના પ્રશ્નપત્રો પણ મળી આવ્યા છે કોચિંગ સેન્ટરમાંથી ATS ની ટીમે સંચાલક સહિત 15 લોકોની અટકાયત કરી, જેમાં 12 શખ્સોની કૌભાંડમાં ભૂમિકા સામે આવી હોવાની વાત સૂત્રો તરફથી મળી રહી છે
આજે ગુજરાત ગ્રામ પંચાયત મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરાયું હતું પરંતુ છેલ્લી ઘડીએ પેપર ફૂટતા પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી પેપર ફૂટવા મામલે વડોદરાના ઓનલાઈન એક્ઝામ સેન્ટરની ભૂંડી ભૂમિકાની આશંકાએ તેની અટલાદરા સહિતની બ્રાન્ચ બંધ કરી બહાર પોલીસ ખડકી દેવામાં આવી છે ગતરાત્રે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે પોલીસે હાલ અન્ય રાજ્યોના શખ્સોની પણ સંડોવણીની દિશામાં તપાસનો દોર લંબાવવામાં આવ્યો છે તપાસ એજન્સીઓ દ્વારા વડોદરાથી 15 જેટલા શકમંદોની અટકાયત કરી ગાંધીનગર લઈ જવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે
રાજ્યભરમાં યોજાનાર જુનિયર કલાર્કની પરીક્ષા પેપર ફૂટતા છેલ્લી ઘડીએ મોકૂફ રાખી દેવામાં આવી છે આ સમગ્ર ઘટનામાં વડોદરાના અટલાદરા ખાતે આવેલ કોચિંગ સેન્ટરની ભૂંડી ભૂમિકાની શંકાએ ગતરાત્રે ગુજરાત ATS અને વડોદરા SOG દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને અટલાદરા સહિતના વિસ્તારોમાં કાર્યરત એક્ઝામ સેન્ટર બંધ કરી દેવામાં આવ્યા છે. અને બહાર પોલીસ ખડકી દેવામાં આવી છે
રાજ્યભરમાં નવી સરકારની રચના બાદ પ્રથમ વખત મોટી સંખ્યામાં આજે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માં વડોદરાના 129 કેન્દ્ર પર 36,810 ઉમેદવારો આજે આ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના હતા પરંતુ નિષ્પક્ષ પરીક્ષા કરાવવામાં સરકાર નિષ્ફળ સાબિત થતા પરીક્ષા પહેલા જ પેપર ફૂટી જતા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરવી પડી હતી
Ahmedabad
ફરી જુ.ક્લાર્કનુ પેપર ફૂટતા પરીક્ષા રદ,લાખો બેરોજગારો સાથે ક્રૂર મજાક,સરકારની આબરૂના ભડાકા
Published
8 hours agoon
January 29, 2023By
ગુજરાત મિરર
છેલ્લા લાંબા સમયથી વિદ્યાર્થીઓ, ઉમેદવારો જુનિયર ક્લાર્કની સરકારી નોકરી મેળવવા માટે પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં હતાં. 9 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓનું ભાવિ આ પરીક્ષા સાથે જોડાયેલું હતું. તેમ છતાં આજે યોજાનારી જુનિયર કર્લકની પરીક્ષાનું પેપર ફટ્યું અને જાણે લાખો ઉમેદવારોનું કિસ્મત ફૂટ્યું હોય તેમ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલાં પરીક્ષા રદ કરાઇ હોવાની જાહેરાત કરવામાં આવતા ભારે રોષ ફાટી નીકળ્યો છે અને અમુક સ્થળે માથાકૂટનાઅહેવાલો પણ મળી રહ્યા છે
આજે રાજ્યભરમાં જુનિયર ક્લર્કની પરીક્ષા યોજાવાની હતી. જોકે, પેપરલીક થતાં પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાય છે. ઉલ્લેખનીય છેકે, 9 લાખ 53 હજાર 733 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. ગીર સોમનાથ સિવાય તમામ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રોના તમામ વર્ગખંડમાં CCTV રાખવામાં આવ્યાં હતાં. પરીક્ષા માટે 42 સ્ટ્રોંગ રુમ તૈયાર કરાયા હતા. 70 હજાર કર્મચારીઓ પરીક્ષા કામગીરીમાં લાગેલાં હતાં. સુરક્ષા માટે 75 હજાર પોલીસ જવાન તૈનાત કરાયા હતાં. તેમ છતાં પેપર લીક થયું અને સરકારની આબરૂના વધુ એક વખત ભડાકા થયા છે
પેપરલીક ગુજરાત બહારની ટોળકીએ કર્યું છે અને આ મામલે
વડોદરાથી ૧૫ જેટલા શખ્સોની ધરપકડ પણ કરવામાં આવી છે. સૂત્રોએ એમ પણ જણાવી રહ્યાં છેકે, પેપરલીકમાં બિહાર કે ઓડિશાની ગેંગેનો હાથ છે. પરીક્ષા સાથે સંકળાયેલાં અધિકારીઓ સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. વારંવાર કેમ થઈ રહ્યું છે પેપરલીક એ એક મોટો સવાલ છે. સરકારી પરીક્ષાઓના પેપરલીકનો આ સિલસિલો લાંબા સમયથી ચાલ્યો આવે છે.
૨૦૧૬થી અત્યાર સુધીમાં પેપર લીક થવાની આ બારમી ઘટના છે
Breaking News
ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન
મધરાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 2022ની 14મી જુલાઈએ તેમણે 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
Published
21 hours agoon
January 28, 2023
ગુજરાતી સાહિત્યના વિદ્વાન સંશોધક અને હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન થયું છે. તેમના અવસાન બાદ ગુજરાતી સાહિત્યજગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ‘ગુજરાત સમાચાર’માં અડધી સદીથી ‘હું, શાણી અને શકરાભાઈ’ અને ‘જેની લાઠી તેની ભેંસ’ કોલમ લખતા લેખક મધુસૂદન પારેખનું 100 વર્ષની વયે નિધન થતા સાહિત્યના ક્ષેત્રે મોટી ખોટ પડી છે.મધરાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સવારે જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. 2022ની 14મી જુલાઈએ તેમણે 100માં વર્ષમાં પ્રવેશ કર્યો હતો.
મૂળ સુરતના મધુસૂદન પારેખ 1923ની 14મી જુલાઈએ જનમ્યા હતા. ગુજરાતી ભાષામાં હાસ્ય લેખક તરીકે તેઓ જાણીતા છે.સુરતમાં જન્મ્યા પછી તેઓ અમદાવાદ સ્થિર થયા હતા. ગુજરાતી સારસ્વત હિરાલાલ પારેખના તેઓ પુત્ર હતા એટલે સરસ્વતીના સંસ્કારો તેમને લોહીમાં જ મળ્યા હતા એમ કહી શકાય.
અમદાવાદની એચ.કે.આર્ટ્સ કોલેજ બહુ પ્રસિદ્ધ છે. આ કોલેજમાં તેઓ 1955થી 1983 સુધી ગુજરાતી ભાષાના પ્રાધ્યાપક રહ્યા હતા. ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી પણ રહ્યા અને કુમાર ચંદ્રકથી પણ તેમને સન્માનિત કરાયા હતા.ગુજરાતી ભાષા-સાહિત્યમાં તેમણે કરેલું સંશોધન પણ એટલું જ મહત્વનું છે.
ગુજરાતી સાહિત્ય પરિષદે તેમની ઓળખમાં તેમને હાસ્યલેખક, વિવેચક, સંપાદક, અનુવાદક ગણાવ્યા છે. પારસી રંગભૂમી પરનું તેમનું સંશોધન નોંધપાત્ર છે, તો વળી શેક્સપિયરના નાટકોનો તેમણે કરેલો અનુવાદ પણ નમુનેદાર છે.તેમના હાસ્યલેખોમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહો ‘હું’, શાણી અને શકરાભાઈ’ (1965), ‘સૂડી સોપારી’ (1967), ‘રવિવારની સવાર’ (1971), ‘હું, રાધા અને રાયજી’ (1974), ‘આપણે બધા’ (1975), ‘વિનોદાયન’ (1982), ‘પેથાભાઈ પુરાણ’ (1985) વગેરે પ્રકાશિત થયા છે.
તેમનું સૌથી નોંધપાત્ર પુસ્તક ગણવુ હોય તો એ છે કુસુમાખ્યાન. તેમના પત્ની કુસુમબહેન વિશે તેમણે આ પુસ્તક લખ્યુ હતુ. ગુજરાતી સાહિત્યની એ વિરલ ઘટના હતી. કેમ કે 19મી સદીમાં મહિપતરામ નીલકંઠે પોતાના પત્ની માટે પાર્વતીકુંવર આખ્યાન લખ્યું હતું. એ પછી કોઈ મોટા સાહિત્યકારે પત્ની પર પુસ્તક લખ્યું હોય એવી ઘટના મધુસૂદન પારેખના કિસ્સામાં બની હતી. આ પુસ્તકમાં તેમના 65 વર્ષના દાંપત્યજીવનને આવરી લેવાયું હતું.
મધુસૂદન પારેખના લગ્ન 1949માં કુસુમદેવી સાથે થયા હતા. એ વખતનો યુગ ગાંધીયુગ હતો. પોતાના સંસ્મરણોમાં મધુસૂદન પારેખે લખ્યું છે કે હું ગાંધીજીથી પ્રભાવિત હતો. એમને વાંચતો અને ખાદી પણ અપનાવી લીધી હતી. લગ્ન વખતે પણ રેશમી ખાદીનો ઝભ્ભો અને ખાદીની ટોપી જ પહેરી હતી. એ કપડાંમાં પોતે કેવા લાગી રહ્યા છે એની ચિંતા પણ મંડપમાં તેમને થઈ હતી. શતાયુ પ્રવેશ વખતે તેમનો સન્માન સમારોહ યોજાયો હતો. છેલ્લે સુધી સ્વસ્થ અને હરતાં ફરતાં રહેતા પારેખ સાહેબ શરીરથી આપણી વચ્ચે નથી પરંતુ શબ્દસ્વરુપે તો અમર રહેશે જ.
એડિટર ની ચોઈસ

રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા

IND VS NZ : લખનૌમાં આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ,જાણો સંભવિત પ્લેઇંગ-11

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત
ગુજરાત

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન
સ્પોર્ટસ

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
