Breaking News
ગેસ વિતરણ કંપની ‘ગેઇલ’નું થશે વિભાજન
Published
4 years agoon
By
ગુજરાત મિરર
માર્કેટિંગ કારોબાર ચાલુ રાખશે ગેઇલ
નવી દિલ્હી તા.6
ઓઇલ મંત્રાલયે રાજ્ય ગેસ વિતરણ કંપની ગેઇલ (ભારત)ને બે ભાગમાં વહેંચવા માટે કેબિનેટ દરખાસ્ત તૈયાર કરી છે. હવે મંત્રાલય આ દરખાસ્ત પર મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યું છે. આ બાબતે સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે, ગેઇલના પાઇપલાઇન કારોબારને એક
અલગ એન્ટિટી બનાવીને બાદમાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ હેઠળ વેચવા ઈચ્છે છે.
ગેઇલ ઇન્ડિયા એ દેશની સૌથી મોટી કુદરતી ગેસ વિતરણ અને વેપાર કરતી કંપની છે. દેશના 16,234 કિલોમીટર પાઇપલાઇન નેટવર્કના બે તૃતીયાંશથી વધુ હિસ્સા પર ગેઇલ માલિકી ધરાવે છે. આ પાઇપલાઇનના દમ પર તેના કુદરતી ગેસ કારોબાર પર ગેઇલનું પ્રભુત્વ છે. જો કે, કુદરતી ગેસના વપરાશકારો
વારંવાર તેમના બળતણના પુરવઠા માટે ગેલની 12,160 કિલોમીટરના પાઈપલાઈન નેટવર્ક સુધી પહોંચ ન હોવા અંગે ફરિયાદ કરતા રહે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જ વિવાદને સમાપ્ત કરવા માટે ગેલને બે ભાગમાં વહેંચવામાં આવી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભાગલા બાદ ગેઇલનો મુખ્ય કારોબાર કુદરતી ગેસનું વિતરણ અને પેટ્રોકેમિકલ્સનું ઉત્પાદન હશે. વિભાજીત થયા બાદ ગેઇલ નવી પેટાકંપની પાસેથી પાઇપલાઇનને હાયર કરશે અને નિયમનકાર તરફથી સૂચિત ટેરિફ દરો ચૂકવશે. જો કે, તે અગાઉ ગેસ વેચાણ કરારને પૂરો કરવા માટે ગેસ સપ્લાય કરવાનું ચાલુ રાખશે અને આ કરારો હેઠળ ઉભી થનારી તમામ ફરિયાદો માટે જવાબદાર રહેશે.
અહેવાલમાં જણાવ્યા અનુસાર ઓઇલ મંત્રાલયે ગયા મહિને વિચારણા માટે કેન્દ્રીય કેબિનેટને કેબિનેટ નોંધ મોકલી હતી. આ કેબિનેટ નોંધ પાઇપલાઇનના 100% કારોબારને નવી પેટા કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કહેવામાં આવે છે. દરખાસ્તમાં પાઇપલાઇન કારોબારના તમામ ખાતાઓને અલગ કરવાની વાત કરવામાં આવી છે. ઉપરાંત આ કારોબાર સાથે સીધા જોડાયેલા કર્મચારીઓને પણ પાઇપલાઇન કામગીરી સંભાળનારી નવી પેટાકંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સૂત્રો કહે છે કે, કેબિનેટ ટૂંક સમયમાં આ પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે.
સૂત્રોનું કહેવું છે કે, દરખાસ્ત પર કેબિનેટની મંજૂરી બાદ નવી પેટા કંપનીમાં પાઇપલાઇન કારોબાર ટ્રાન્સફર કરવા સલાહકારની નિમણૂક કરવામાં આવશે. આ કામ પૂર્ણ કરવામાં 8થી 10 મહિનાનો સમય લાગશે. જો કે, સરકારના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ હેઠળ પાઇપલાઇન પેટા કંપનીઓનું વેચાણ 2022 પહેલાં થશે નહીં. હકીકતમાં સરકારનું માનવું છે કે, આ પહેલા દેશનું ગેસ માર્કેટ સંપૂર્ણ પરિપક્વ થશે નહીં અને નેશનલ ગેસ પાઇપલાઇન ગ્રીડ બનાવવા માટે ગેઇલને સરકારી મદદની જરૂર પડશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેઇલ પોતાનો માર્કેટિંગ બિઝનેસ અને LNG ટર્મિનલ બિઝનેસ પહેલાની જેમ ચાલુ રાખશે. અગાઉ સરકાર માર્કેટીંગના કારોબારને અલગ પેટાકંપની બનાવીને વેચવા પર વિચાર કરી રહી હતી, પરંતુ પાઇપલાઇન કારોબારને અલગ કરવા પર વિચારણા ચાલી રહી છે. 2022પછી વ્યૂહાત્મક રોકાણ હેઠળ પાઇપલાઇન કારોબારને કેનેડાની એસેટ મેનેજમેન્ટ કંપની બ્રુકફિલ્ડને વેચવામાં આવી શકે છે. બ્રુકફિલ્ડે તાજેતરમાં જ મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 1480 કિલોમીટરની પાઇપલાઇન ખરીદી છે.
You may like
Breaking News
મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ
Published
5 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરશહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
Breaking News
લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ
Published
7 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Breaking News
ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત
Published
7 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરબોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં
ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.