International
કોરોના વાઇરસ: ચીને જ પેદા કર્યો ભસ્માસુર ?
Published
4 years agoon
By
ગુજરાત મિરર
બેઇજિંગ ,તા.30
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો છે. હજી સુધી આ વાયરસ ક્યાંથી ફેલાયો છે તેનું મૂળ હાથ લાગતુ નથી. દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાવવાના કારણોની યુદ્ધના ધોરણે તપાસ કરવામાં આવી રહી છે. એક અહેવાલ પ્રમાણે ચામાચીયાનો સુપ પીવાથી અથવા તો સાપનું માસ ખાવાથી આ વાયરસ ફેલાયો છે પરંતુ ઈઝરાયેલના એક ટોચના જાસૂસે આ મામલે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે.
ઈઝરાયેલના જાસૂસના જણાવ્યા પ્રમાણે ચીનના વુહાનમાં આવેલી એક લેબોરેટરીમાં જ કોઈ ગડબડ થતા આ વાઈરસ ફેલાયો છે. ઈઝરાયેલના વાઈરોલોજિસ્ટ (વાઈરસ નિષ્ણા) જાસૂસ અને વિજ્ઞાનીએ દાવો કર્યો છે કે કોરોનાએ ચીની સરકારે પેદા કરેલું બાયોલોજિકલ (જૈવિક) હથિયાર છે. દુશ્મનનો સામુહિક ખાત્મો કરવા માટે રોગચાળો ફેલાવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. આધુનિક યુગમાં આ પરંપરા બાયોલોજિક વોરફેર તરીકે ઓળખાય છે.
સામસામે હથિયારથી દુશ્મનને મારવાને બદલે દુશ્મન વિસ્તારમાં વાઈરસ છોડી દેવામાં આવે, તો ઘણાના મોત થાય. બીજા વિશ્વયુદ્ધ વખતે પણ જાપાની સેનાએ ચીન પર આક્રમણ કર્યું ત્યારે અને જળાશયોમાં ઝેર ભેળવ્યું હતું. તેનો ઉદ્દેશ કોલેરા અને ટાઈફોડના વાઈરસ મટાડવાનો હતો, પરંતુ આવુ પાણી કોઈ અજાણાતા પીવે તો તેનું મૃત્યુ થાય. ઇતિહાસમાં આવા ઘણા પ્રસંગો નોંધાયેલા છે.
ચીનમાં ફેલાયેલા જીવલેણ અને ભયાનક વાયરસ કોરોનાને લઈને ઈઝરાયેલની મિલિટરી ઇન્ટેલિજન્સ (જાસૂસી)માં કામ કરી ચૂકેલા દાની સોહામે સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે વુહાનમાં આવેલી ધ વુહાન ઈન્સ્ટિટયૂટ ઑફ વાઈરોલોજિ એકમાત્ર લેબોરેટરી છે, જ્યાં ઘાતક વાઈરસ પર સંશોધન થઈ રહ્યું છે. વુહાનમાં આવેલી આ લેબોરેટરીમાંથી જ આ વાઈરસ લીક થયા છે.
દાનીએ સનસની દાવો કરતા કહ્યું છે કે, ચીન ભવિષ્યના યુદ્ધો માટે અહીં ઘાતક વાઈરસ તૈયાર કરતું હતું. પરંતુ પોતાનો વાઈરસ પોતાને ભારે પડે એવી સ્થિતિ ઉભી થઈ છે. કેમ કે વાઈરસ લેબોરેટરીમાંથી લીક થઈ જતાં હવે સર્વત્ર રોગચાળો ફેલાઈ રહ્યો છે.
દાવો કરનારા દાની 1970થી 1991 સુધી ઈઝરાયેલની બાયોલોજિક વેપન્સનો અભ્યાસ કરતી ટીમમાં કામ કરી ચૂક્યા છે. માટે તેમના દાવામાં ઘણા લોકોને રસ પડયો છે. કારણ કે, ચીન વાઈરસ અંગે ઘણી માહિતી છૂપાવી રહ્યું છે. બીજી તરફ વાઈરસ ક્યાંથી આવ્યો તેની ચોક્કસ રીતે હજુસુધી જાણી શકાતું નથી.
ત્રીજી તરફ ચીન કંઈ પણ કરી શકે એવો દેશ છે, માટે આવા ન કરવા જેવા પ્રયોગો કરતો હોય તેની કોઈ નવાઈ નથી. પોતાને મહાસત્તા માનતી ખુદ ચીની સરકાર પણ વાઈરસ અંગે મુંઝાયેલી છે. વૈશ્વિક સંધી પ્રમાણે તો કોઈ દેશે બાયોલોજિકલ કે કેમિકલ્સ વેપન્સ તૈયાર કરવાની છૂટ નથી. પરંતુ ઘણા દેશો ખાનગી રાહે પ્રયોગો કરતાં રહે છે.
ચીનમાં ગુપ્ત રીતે ચાલે છે સંશોધન
આ વાઈરસ ચીને તૈયાર કર્યો હોય કે ન હોય પરંતુ ચીન બાયોલોજિકલ વેપન્સ પર કામ કરે છે. ભૂતકાળમાં ચીન પર એવો પણ આક્ષેપ થઈ ચૂક્યો છે કે તેણે બાયોલોજિકલ વેપન્સની સામગ્રી ઇરાન જેવા દેશોને પુરી પાડી હતી. હાનિકારક કેમિકલ્સની હેરાફેરી માટે 3 ચીની લેબોરેટરીને પોતાના દેશમાં કામ કરવા પર અમેરિકાએ 2002માં પ્રતિબંધ પણ મુક્યો હતો
You may like
International
રશિયન નેવીના વરિષ્ઠ એડમિરલ સહિત 34 ઓફિસરોને માર્યાનો યુક્રેનનો દાવો
Published
11 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરયુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધ ભયાવહ સ્તરે પહોંચી ગયો છે. રશિયા તાબડતોબ એરસ્ટ્રાઈક કરી રહ્યું છે ત્યારે યુક્રેન પણ તેનો સજ્જડ રીતે મુકાબલો કરી રહ્યું છે. યુક્રેનના વિશેષ દળોએ દાવો કર્યો હતો કે રશિયાના સેવસ્તોપોલ બંદરે બ્લેક સીની ફ્લિટના કમાન્ડર અને રશિયાના સૌથી વરિષ્ઠ નેવી ઓફિસરમાંથી એક એડમિરલ વિક્ટર સોકોલોવને ઠાર મરાયો હતો અને ટોચના નેવી કમાન્ડર સહિત 34 અધિકારીઓને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. યુક્રેને દાવો કર્યો હતો કે ક્રીમિયામાં બ્લેક સીની ફ્લિટમાં હેડક્વાર્ટર પર મિસાઈલ હુમલામાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે રશિયાના સંરક્ષણ મંત્રાલયને આ મામલે ટિપ્પણી કરવા કહેવાયું તો તાત્કાલિક ધોરણે આ મામલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. રશિયા ન તો આ ઘટનાને સ્વીકારી રહ્યું છે અને ન તો તેને નકારી રહ્યું છે.
યુક્રેને તાજેતરના દિવસોમાં ક્રીમિયા પર એરસ્ટ્રાઈક વધારી દીધી છે. આ એક મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર અને વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ પોઈન્ટ છે. અહીંથી રશિયાએ 19 મહિના લાંબ યુદ્ધમાં યુક્રેન પર અનેક હવાઈ હુમલા કર્યા હતા. જો રશિયન નેવી કમાન્ડરના મોતની પુષ્ટી થશે તો સોકોલોવની હત્યા ક્રીમિયા પર કીવનો સૌથી ઘાતક હુમલો સાબિત થશે. ક્રીમિયાને રશિયાએ 2014માં યુક્રેનથી છીનવીને તેના પર કબજો જમાવ્યો હતો.
International
VIDEO: ‘ભારત વિરોધી સૂત્રોચ્ચાર, તિરંગાનું અપમાન’, ખાલિસ્તાન સમર્થકોએ કેનેડાના વેનકુવરમાં દૂતાવાસની બહાર શરુ કર્યું વિરોધ પ્રદર્શન
Published
12 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
કેનેડા અને ભારત વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. બંને દેશોએ એકબીજાના ટોચના રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. દરમિયાન ગઈ કાલે ડઝનબંધ ખાલિસ્તાન સમર્થકોએ વાનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભારતના તિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે એલાન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ હાંકલ કરી હતી.ગયા અઠવાડિયે દેશના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. ભારતીય પક્ષ તરફથી ટ્રુડોના આરોપોને સંપૂર્ણ પાયાવિહોણા અને વાહિયાત ગણાવ્યા હતા. આ પછી ભારત સરકારે ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી. આ કાર્યવાહીથી ખાલિસ્તાનીઓ જ નારાજ છે. આ હતાશામાં તેણે કેનેડાના મુખ્ય શહેરોમાં સ્થિત ભારતીય રાજદ્વારી મિશનની બહાર વિરોધ પ્રદર્શન કરવાની અપીલ કરી હતી. ટ્રુડોએ તાજેતરમાં જ્યારે નિજ્જરની હત્યાની તપાસ ચાલી રહી હતી ત્યારે ભારત પર આરોપ લગાવ્યો હતો.
Burning the Indian flag at consulate. Protesters demand Canada expel Indian diplomats. pic.twitter.com/oxilc9il5s
— 𝚂𝚎á𝚗 𝙾’𝚂𝚑𝚎𝚊 Global News (@ConsumerSOS) September 25, 2023
સોમવારે પ્રદર્શનનું આયોજન શીખ ફોર જસ્ટિસ (SFJ) દ્વારા કરવામાં આવ્યું હતું. કેનેડાના મુખ્ય શહેરો ટોરોન્ટો, ઓટાવા અને વાનકુવરમાં ભારતીય દૂતાવાસ અને કોન્સ્યુલેટની બહાર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો ભારતીય તિરંગાનું અપમાન કરતા અને તેને ફાડતા જોવા મળ્યા હતા.આ દરમિયાન તિરંગાનું મોટું બેનર બનાવવામાં આવ્યું હતું. જેને ખાલિસ્તાની સમર્થકો જમીન પર પાથર્યું હતું અને તેના પર ચાલતા પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવીને તેમનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ આ પ્રદર્શનોને કેનેડામાં સ્થાયી થયેલા બહુ ઓછા શીખોનું સમર્થન મળ્યું છે. જ્યારે SFJએ દાવો કર્યો હતો કે પ્રદર્શનમાં હજારો ખાલિસ્તાનીઓ એકઠા થશે. રાજધાની ઓટાવામાં માંડ 30 થી 40 ખાલિસ્તાનીઓ એકઠા થયા હતા. વાનકુવરમાં મુઠ્ઠીભર ખાલિસ્તાનીઓ પણ હાજર હતા. કહેવામાં આવી રહ્યું છે કે અહીં 50 થી 60 ખાલિસ્તાનીઓ એકઠા થયા હતા. ખાલિસ્તાનીઓએ વેનકુવરમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની બહાર ભારતીય ત્રિરંગો ફાડી નાખ્યો હતો.
Covering protest at Indian consulate—substantially more police and camera crews here vs protesters. For now. pic.twitter.com/s2Pz1psZrX
— 𝚂𝚎á𝚗 𝙾’𝚂𝚑𝚎𝚊 Global News (@ConsumerSOS) September 25, 2023
કેનેડામાં શીખ્સ ફોર જસ્ટિસના વડા જતિન્દર સિંહ ગ્રેવાલે રોઇટર્સને જણાવ્યું હતું કે તેમની સંસ્થા નિજ્જરની હત્યા અંગે “જાગૃતિ” વધારવા માંગે છે. આ દેખાવોનું આયોજન આ હેતુથી કરવામાં આવ્યું છે. ગ્રેવાલના જણાવ્યા અનુસાર, સંગઠન કેનેડામાંથી ભારતીય રાજદૂતને હાંકી કાઢવા માટે સતત અપીલ કરી રહ્યું છે. ઓટાવા અને ટોરોન્ટોમાં ભારતના રાજદ્વારી મિશન દ્વારા આ સમયે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. ટોરોન્ટો પોલીસ વિભાગે કહ્યું કે તે સોમવારના રોજ યોજાનાર વિરોધથી વાકેફ છે. ભારતે ટ્રુડોના આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા અને આરોપોને ‘વાહિયાત’ ગણાવ્યા.
ટ્રુડોના આરોપો બાદ બંને દેશો વચ્ચે તણાવ ઉભો થયો છે. કેનેડા અને ભારતે રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. આ ઉપરાંત ભારતે કેનેડાના નાગરિકોના વિઝા પણ સસ્પેન્ડ કર્યા છે. નિજ્જરની 18 જૂને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર 1990ના દાયકામાં નકલી પાસપોર્ટના આધારે કેનેડા ગયો હતો. તે અહીં પ્લમ્બર તરીકે કામ કરતો હતો. નિજ્જર છેલ્લા ઘણા સમયથી પંજાબને ભારતથી અલગ કરવાના ખાલિસ્તાની અભિયાનને આગળ ધપાવતો હતો. ભારતે જુલાઈ 2020માં નિજ્જરને ‘આતંકવાદી’ જાહેર કર્યો હતો. કેનેડામાં શીખોની વસ્તી 770000 છે. આ દેશ છેલ્લા ઘણા સમયથી આવા વિરોધનું સ્થળ છે જેના કારણે ભારતની મુશ્કેલીઓ વધી છે.
International
ન્યૂજર્સીમાં 8 ઓકટોબરે વિશ્વના બીજા મોટા મંદિરનું ઉદ્ઘાટન થશે
Published
1 day agoon
September 25, 2023By
ગુજરાત મિરર
રોબિન્સવિલેમાં બાપ્સનું અક્ષરધામ 185 એકરમાં ફેલાયેલું છે
રોબિન્સવિલે, ન્યુ જર્સીમાં, ઇઅઙજ સ્વામિનારાયણ અક્ષરધામ ઉભું છે, જે યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટા હિંદુ મંદિર તરીકેનું ગૌરવ ધરાવે છે. અહેવાલ મુજબ અંગકોરવાટ પછી આ બીજુ મોટું હિંદુ મંદિર છે.
આ ભવ્ય મહામંદિર 19મી સદીના આદરણીય હિન્દુ આધ્યાત્મિક નેતા ભગવાન સ્વામિનારાયણને સમર્પિત છે. તે તેમના 5મા આધ્યાત્મિક અનુગામી, આદરણીય સંત પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી બનાવવામાં આવ્યું હતું.આ મહામંદિરનું બાંધકામ 2015 માં શરૂૂ થયું હતું, અને તેનું સત્તાવાર ઉદ્ઘાટન 8 ઓક્ટોબર, 2023 ના રોજ સુનિશ્ચિત થયેલ છે, મહંત સ્વામી મહારાજ અને આદરણીય મહાનુભાવો આ કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.
રોબિન્સવિલેમાં ઇઅઙજ સ્વામિનારાયણ અક્ષરધામ, 185 એકરમાં ફેલાયેલું અને ઉત્તર અમેરિકાના વિવિધ ભાગોમાંથી આવેલા 12,500થી વધુ સ્વયંસેવકોની કુશળતા. સાથે મળીને, તેઓએ સામૂહિક રીતે એક અપ્રતિમ સીમાચિહ્ન બનાવ્યું છે જે એક સહસ્ત્રાબ્દીથી વધુ સમય સુધી ટકી રહેવા માટે રચાયેલ છે, અગઈં અહેવાલ આપે છે.
ભારતમાં ઇઅઙજ સ્વામીઓ અને સમર્પિત સ્વયંસેવકોના જૂથ દ્વારા ડિઝાઇન કરાયેલ, આ ધાર્મિક ઈમારત એક ઝીણવટભરી બાંધકામ પ્રક્રિયામાંથી પસાર થઈ હતી. યુરોપના વિવિધ પ્રદેશોમાંથી પત્થર મેળવવામાં આવ્યો હતો અને ભારતમાં પરિવહન કરવામાં આવ્યો હતો, જ્યાં તેની જટિલ કારીગરી કરવામાં આવી હતી.