Connect with us

National

કાશ્મીર ભૂલી જાઓ, ભારત સાથે દોસ્તી કરો, કંગાળ પાક.ને સાઉદી-યુએઇનો ઝટકો

Published

on

મુસ્લિમ દેશોએ પણ પાકિસ્તાનથી મોં ફેરવ્યું, ભારતની વ્યૂહાત્મક જીત

ગુજરાત મિરર, નવીદિલ્હી, તા.28
દુનિયાભરમાં કટોરો લઈને ભીખ માંગતા ગરીબ પાકિસ્તાનને તેના નજીકના મુસ્લિમ મિત્ર દેશો સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે. આ બંને દેશોએ પાકિસ્તાન સરકારને સ્પષ્ટ કહ્યું છે કે કાશ્મીરને ભૂલીને ભારત સાથે મિત્રતા કરીને વિવાદનો અંત લાવો. આટલું જ નહીં સાઉદી અરેબિયા અને ઞઅઊએ શાહબાઝ સરકારને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે પાકિસ્તાન દ્વારા જે હોબાળો મચાવી રહ્યો છે અને તેના પર ચૂપ રહેવા કહ્યું છે. ઞઅઊ પાકિસ્તાનના વાંધાઓને બાયપાસ કરીને કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહ્યું છે.
પાકિસ્તાનના અખબારના અહેવાલ મુજબ, પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરને લઈને ઈસ્લામિક દેશોના સંગઠન ઘઈંઈમાં હોબાળો મચાવી રહ્યું છે. સાઉદી અરેબિયા ઘઈંઅઈમાં સૌથી પ્રભાવશાળી દેશ છે અને તેનું નેતૃત્વ કરે છે. ઘઈંઈ સાઉદી અરેબિયાના ઈશારે ચાલે છે. હવે સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કહ્યું છે કે ઘઈંઈ કાશ્મીરને લઈને પાકિસ્તાનને સમર્થન નહીં આપે. પાકિસ્તાન અત્યાર સુધી વિશ્વના દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. જો કે, હવે સાઉદી અરેબિયા અને ઞઅઊના સ્પષ્ટ સંદેશાને કારણે પાકિસ્તાન હવે એવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે કે કાં તો તેણે અર્થવ્યવસ્થાને બચાવવી જોઈએ અથવા કાશ્મીર પર હાવી કરવી જોઈએ.
સાઉદી અરેબિયા અને યુએઈએ પણ કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે જનરલ બાજવા અને ઈમરાન ખાનના સમયમાં ઞઅઊએ ભારત સાથે બેક ચેનલ વાટાઘાટોની વ્યવસ્થા કરી હતી. એવું કહેવાય છે કે જનરલ બાજવા કાશ્મીરને લઈને ભારત સાથે સમજૂતી માટે સંમત થયા હતા પરંતુ ઈમરાન ખાને અચાનક પીછેહઠ કરી હતી.
પાકિસ્તાની પત્રકાર કામરાને કહ્યું કે જ્યારે પાકિસ્તાને તેનો વિરોધ કર્યો તો ઞઅઊ અને સાઉદી બંનેએ સ્પષ્ટ કહ્યું કે અમે હવે કાશ્મીર પર જાહેરમાં તમારું સમર્થન નહીં કરી શકીએ. ઞઅઊ અને સાઉદી અરેબિયાએ કહ્યું કે અમે ભારત સાથેના સંબંધોને મહત્વ આપીએ છીએ. તેમણે એવો પ્રસ્તાવ પણ મૂક્યો કે અમે ભારત સાથે તમારો વિવાદ ઉકેલી શકીએ છીએ. સાઉદી અને યુએઈએ તેમને કાશ્મીર ભૂલી જવા અને તેમના ઘરને સુધારવા કહ્યું. ઞઅઊએ પાકિસ્તાનને 3 બિલિયન ડોલરની મદદ કરી છે. સાઉદી અબજો ડોલરની લોન પણ આપી રહ્યું છે. આ કારણે પાકિસ્તાને ચૂપચાપ તેનું પાલન કરવું પડશે.

Advertisement
Continue Reading
Advertisement

Breaking News

દ.આફ્રિકાના ચિત્તાઓની ટીમને મુકન્દ્રા અથવા ગાંધીસાગર અભયારણ્યમાં ખસેડાશે

Published

on

દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 12 ચિત્તાઓના એક ટીમને રાજસ્થાનના મુકન્દ્રા હિલ્સ ટાઈગર રિઝર્વ અથવા મંદસૌર જિલ્લાના ગાંધીસાગર અભયારણ્યમાં ખસેડવામાં આવશે. જો આમ થશે તો કુનો નેશનલ પાર્ક બાદ બીજા અભયારણ્યમાં પણ ચિત્તાઓનો વસવાટ થશે.

શુક્રવારે ચિતા ટાસ્કફોર્સની ઓનલાઈન બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જો કે, ચિત્તાઓને અન્ય અભ્યારણ્યમાં ખસેડવા માટે સરકારની મંજૂરી મળ્યા બાદ જ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

કુનો પાસે હાલમાં 19 ચિત્તા અને ચાર બચ્ચા છે. જેમાંથી એક માદા અને ત્રણ નર ચિત્તા કુનોના જંગલમાં છોડવામાં આવી છે. ચિતા ટાસ્ક ફોર્સે દક્ષિણ આફ્રિકાથી ચિત્તા લાવવા પહેલા મંદસૌરના ગાંધી સાગર અભયારણ્યમાં ચાલી રહેલી પ્રારંભિક તૈયારીઓ જોઈ છે.

Advertisement

મંદસૌર અભયારણ્યને તૈયાર કરવા માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. સૂચિત અભ્યારણોમાં મોકલવામાં આવેલી ટીમમાં કેટલા દીપડાઓનો સમાવેશ કરવામાં આવશે, તે હાલ નક્કી નથી.

કુનો નેશનલ પાર્કમાં માદા ચિત્તા સિયાએ ચાર બચ્ચાને જન્મ આપ્યા બાદ અહીં ચિત્તાઓનો પરિવાર વધી ગયો છે. હાલમાં ભારતમાં માત્ર કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છે. હવે ચિત્તાઓને અન્ય અભયારણ્યમાં વસાવવાનો વિચાર ચાલી રહ્યો છે.

ચિત્તા ટાસ્કફોર્સની બેઠકમાં નિષ્ણાતોએ જણાવ્યું કે ગાંધી સાગર અભયારણ્ય અને મુકન્દ્રા હિલ્સ ટાઈગર રિઝર્વને ચિત્તાના નિવાસસ્થાન માટે તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ અભયારણ્યો ચિત્તાઓ માટે પણ યોગ્ય છે. તેથી, આ ચિત્તાઓના જૂથને આ અભયારણ્યમાં ખસેડી શકાય છે.

ડાયરેક્ટર હેલ્થ ઓફ એનિમલના રિપોર્ટ બાદ મોટા બંદોબસ્તમાં બહાર પાડવામાં આવશે
ચિતા ટાસ્ક ફોર્સની બેઠકમાં માદા ચિત્તા તિબિલિસીને ખુલ્લા જંગલમાં છોડવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો, પરંતુ એક મહિનાથી વધુ સમયથી ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં રહેતા આફ્રિકન ચિત્તાઓને મોટા એન્ક્લોઝરમાં મુક્ત કરવાનો મુદ્દો ચર્ચાયો હતો, જેમાં તે નિર્ણય લેવાયો હતો કે ડાયરેક્ટર હેલ્થ ઓફ એનિમલનો રિપોર્ટ આપ્યા બાદ આ ચિત્તાઓને મોટા ઘેરામાં છોડવામાં આવશે. પરંતુ રિપોર્ટ ક્યારે આવશે તે હજુ નક્કી નથી.

Advertisement

ચિતા ટાસ્કફોર્સની બેઠકમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 12 ચિત્તાઓમાંથી કેટલાકને ગાંધીસાગર અભયારણ્ય અથવા મુકન્દ્રા ટાઈગર રિઝર્વમાં છોડવા અંગે ચર્ચા થઈ છે. ગાંધીસાગર સેન્ચ્યુરીમાં પણ ચિતાઓને વસાવવાની તૈયારીઓ ચાલી રહી છે. અત્યાર સુધી, ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં રહેતા દક્ષિણ આફ્રિકાના ચિત્તાઓને મોટા બિડાણમાં મુક્ત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

Continue Reading

Business

અદાણી પોટર્સ મુંદ્રાનો વૈશ્ર્વિક બજારમાં ડંકો, 2 લાખ કાર નિકાસની નવી સિધ્ધિ

Published

on

By

ગુજરાત મિરર, મુંબઈ,તા.31
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન(APSEZ) મુંદ્રાએ જણાવતા આનંદ થાય છે કે નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન, અદાણી પોર્ટસ મુંદ્રા ના રો-રો ટર્મિનલ પરથી 2,00,000 કારની નિકાસનાસીમાચિન્હ ને સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યું છે. આ પ્રભાવશાળી માઈલસ્ટોન અદાણી પોર્ટસના ગયા વર્ષના 1,86,652 કાર એક્સપોર્ટના પોતાના જ રેકોર્ડને વટાવી જાય છે. આ માઈલસ્ટોન ઉત્તમ પોર્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રકચર, ઓટોમોબાઈલ સેક્ટરની સ્થિતિસ્થાપકતા અને સફળ સપ્લાય ચેઈનનો પુરાવો છે. અદાણી પોર્ટસની વિશિષ્ઠ RO-RO (રોલ ઇન રોલ આઉટ) ફેસીલીટી થકી ભારતમાં ઉત્પાદિત કાર સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલીયા, બેલ્જિયમ, ફ્રાંસ, ઈજિપ્ત, ઈન્ડોનેશિયા, જાપાન, મોરેશિયસ તથા ગલ્ફના સહિત અનેક દેશોમાં નિકાસ થઈ રહી છે, જે ભારત માટે ગર્વની વાત છે.
અદાણી પોર્ટસ મુન્દ્રા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા તેની મહત્તમ નિકાસ કરવામાં ખૂબ જ ગર્વ અનુભવે છે. ઓટોમોબાઈલ ક્ષેત્ર વૈશ્વિક બજારમાં ભારતનું યોગદાન નોંધપાત્ર રહેનાર છે. ઉત્તરો ઉત્તર વધતી નિકાસ એઅદાણી પોર્ટસ મુન્દ્રા ઓટોમોબાઈલ નિકાસ માટે મુખ્ય હબ તરીકે ઊભરી આવ્યું છે.

Continue Reading

Business

નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરનો શુભારંભ

Published

on

ગુજરાત મિરર, મુંબઈ તા. 31
ભારતમાં તેના જેવું સૌપ્રથમ વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક સ્થળ એટલે કે ધ નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર શુક્રવારે 31 માર્ચ 2023ના રોજ ખુલ્લુ મૂકવામાં આઆવ્યું હતું. ભારત અને વિશ્વના પ્રેક્ષકો સમક્ષ સમગ્ર ભારતના શ્રેષ્ઠ સંગીત, નાટ્ય, લલીત કળા અને હસ્તકળાને પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ સેન્ટર ભારતના સાંસ્કૃતિક માળખાને મજબૂત કરવા અને કળાના ક્ષેત્રમાં ભારત અને વિશ્વની શ્રેષ્ઠતમ કળા-સંસ્કૃતિને એક મંચ પર લાવવા માટેનું વધુ એક નિશ્ચિત પગલું ચિહ્નિત કરશે. આ ઉદ્દઘાટન કાર્યક્રમમાં સ્વદેશ નામનું ખાસ ક્યુરેટેડ આર્ટ અને ક્રાફ્ટ એક્સપોઝિશન છે, તેની સાથે ત્રણ બ્લોકબસ્ટર – ધ ગ્રેટ ઈન્ડિયન મ્યુઝિકલ: સિવિલાઈઝેશન ટુ નેશન નામના મ્યુઝિકલ થિયેટર; ઇન્ડિયા ઇન ફેશન નામના કોસ્ચ્યુમ આર્ટ એક્ઝિબિશન અને નસંગમ/કોન્ફ્લુઅન્સથ નામના વિઝ્યુઅલ આર્ટ શોનો સમાવેશ થાય છે. એકસાથે કાર્યક્રમની રૂૂપરેખા એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ભારતની સાંસ્કૃતિક પરંપરાઓની વિવિધતા અને વિશ્વ પર તેમની અસરોને ઉજાગર કરે, જ્યારે કલ્ચરલ સેન્ટરના વૈવિધ્યનું પણ પ્રદર્શન કરે.
આ પ્રસંગે બોલતા શ્રીમતી નીતા અંબાણીએ કહ્યું કે, આ કલ્ચરલ સેન્ટરને સાકાર કરવું એ એક પવિત્ર યાત્રા રહી છે. સિનેમા અને સંગીતમાં, નૃત્ય અને નાટકમાં, સાહિત્ય અને લોકકથામાં, કળા અને હસ્તકળા તથા વિજ્ઞાન અને આધ્યાત્મિકતામાં અમારા કળાત્મક અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા અને તેની ઉજવણી કરવા માટે એક સ્થળ તૈયાર કરવા માટે અમે ઉત્સુક હતા. એક એવી જગ્યા જ્યાં અમે વિશ્વ સમક્ષ શ્રેષ્ઠ ભારતનું પ્રદર્શન કરીએ છીએ અને વિશ્વના શ્રેષ્ઠનું ભારતમાં સ્વાગત કરીએ છીએ. જેમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન આપનાર ને પુરસ્કાર તથા પ્રોત્સાહન આપવામા આવશે.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ