Connect with us

Breaking News

કચ્છ ભી માંગે આઝાદી; ‘શાહીનબાગ’માં ધડાકો

Published

on

નવી દિલ્હી તા.30
દિલ્લીનો શાહીનબાગ ભારત નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સીએએના વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બન્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા નિર્ણયની સામે લાખો મુસ્લિમો તાથા અન્ય વિરોધીઓ છેલ્લા કેટલાક દિવસાથી ધરણા પર બેઠા છે. ત્યારે કચ્છના ભુજમાંથી ગયેલા યુવાનોએ મોદી અને અમિતશાહને તાનાશાહ ગણાવીને નારા પોકાર્યા હતા. પકચ્છ ભી માંગે આઝાદી, ગુજરાત માંગે આઝાદી, અહેમદાબાદ માંગે આઝાદી…થ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. અલબત સૂત્રોચ્ચાર

કરનાર યુવકે સીસીએના કાયદાથી આઝાદી જોઈતી હોવાનું શરૃઆતમાં સ્પષ્ટ કર્યું હતું. હાલ સોશ્યિલ મીડીયામાં ફરતા વીડીયો મુજબ કચ્છમાંથી ભુજના કેટલાક યુવાનો દિલ્લીના શાહીનબાગ ખાતે પહોંચીને સીએએના વિરોધમાં ભાષણ આપીને પોતાનો મત પ્રદર્શિત કરી રહ્યા છે. આટલું જ નહીં સીએએના વિરોધમાં શાહીનબાગ જ નહી કચ્છ- ભુજ પણ જોડાયેલું હોવાનું સમાર્થન જારી કરે છે. ઉપરાંત સીએએથી તાથા કેન્દ્ર સરકારની તાનાશાહીથી માત્ર શાહીનબાગને નહીં પરંતુ કચ્છને આઝાદી જોઈએ છે તેવું જાહેરમાં બયાન આપી રહ્યા છે. આ સાથે જ યુવાનો કચ્છ માંગે આઝાદીના નારા પોકારીને ભારે સુત્રોચ્ચાર કરતા પણ જણાઈ રહ્યા છે. ખુદને ભુજાથી આવેલા હોવાનું કહેતા આ યુવાનોનો શાહીનબાગ ખાતેનો વીડીયો કચ્છમાં વાયરલ બનતા જ કચ્છમાં કોમવાદની ચર્ચા ઉઠી છે. સીએએાથી ભારતના કોઈપણ નાગરીકને કંઈ જ નુકશાન કે સમસ્યા નાથી થવાની તેવી સરકારની અનેક સ્પષ્ટતા છતાં નાગરીકતા સુાધારા કાયદાના વિરુદ્ધમાં દેશમાં દેખાવો થઈ રહ્યા છે. જેની આગ હવે કચ્છમાં પણ લાગે તેવું શાહીનબાગમાં કચ્છ વિષયે થયેલા ભાષણ પરાથી જણાઈ આવે.

‘જામિયા’ની કૂચ પહેલાં ગોળીબાર; 1 યુવક ઘવાયો

રાજકોટ: નાગરિક સંશોધન કાનૂન (સિટિજન એમેન્ટમેન્ટ એકટ-સીએએ) વિરુધ્ધ દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી આસપાસ ચાલી રહેલા પ્રદર્શન દરમિયાન એક યુવકે ખુલ્લેઆમ ફાયરિંગ કરતા સનસનાટી મચી જવા પામી હતી. જામિયા યુનિવર્સિટીથી મહાત્મા ગાંધીજીની સમાધિ (રાજઘાટ) સુધીની કૂચ દરમિયાન યુવકે કરેલા ફાયરિંગમાં એક શખ્સ ઘવાયો હતો. જેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘાયલ થયેલો યુવક પણ વિદ્યાર્થી હોવાનું જાણવા મળે છે. નોંધનીય છે કે યુવકે એવા સમયે ખુલ્લેઆમ ફાયરીંગ કર્યું હતું જ્યારે રેલીની સાથોસાથ મોટાપાયે

Advertisement

દિલ્હી પોલીસ અને પત્રકારોની પણ મોટાપાયે મૌજુદગી હતી. પોલીસે જોકે અફડાતફડી બાદ ફાયરિંગ કરનારા યુવકને ઝડપી લીધો હતો. જોકે ફાયરિંગ કરનારની ઓળખ છૂપી રાખવામાં આવી છે. આ સંજોગોમાં પણ બાકીના પ્રદર્શનકારીઓએ રાજઘાટ તરફથી કૂચ જારી રાખવાનો નિર્ણય કરતા મોટી બબાલ થવાનો એંધાણ વર્તાય રહ્યા છે.

2 ફેબ્રુઆરીએ શાહીનબાગ ખાલી કરાવીશું: હિન્દુસેના

દિલ્હીના શાહીન બાગથી વિરોધીઓને હટાવવા માટે રાજકારણ ચાલી રહ્યું છે. આ મુદ્દે ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા પ્રહારો અને વળતો પ્રહારો કરવામાં આવી રહ્યા છે. બંને પક્ષો વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે, હિન્દુ સેનાએ કહ્યું કે, તે શાહીન બાગનો માર્ગ ખોલશે. હિન્દુ આર્મીના જણાવ્યા અનુસાર, તે 2 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે શાહીન બાગ જવાનો રસ્તો ખોલશે. તેમણે વિરોધ કરનારાઓને જેહાદી તરીકે પણ ગણાવ્યા છે. હિન્દુ સૈન્યએ એક અખબારી યાદીમાં લખ્યું છે કે, પ સીએએના બહાના હેઠળ શાહીન બાગ માર્ગને શરમાવીને લાખો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, શાહીન બાગ દેશના વિરોધીઓનો અડ્ડો બની ગયું છે. પીએફઆઈની ઓફિસ હેઠળ નીચે આ તરકટ ચાલી રહ્યું છે અને દેશમાં હિંસા ફેલાવવામાં પીએફઆઈનું નામ બહાર પણ આવ્યું છે. આ સંગઠન આતંકવાદી સંગઠન સિમીનું બીજું એક સ્વરૂપ છે. હિન્દુ સેનાએ એક અખબારી યાદીમાં કહ્યું, શાહીન બાગમાં જોડાનારા લોકો પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે. ભારત તોડવાની વાત અને હિન્દુઓ વિરુદ્ધ ઝેરી ભાષણો આપવામાં આવી રહ્યા છે. હિન્દુ સેનાએ તમામ રાષ્ટ્રવાદી સંગઠનો અને આસપાસના ગ્રામજનોને 2 ફેબ્રુઆરી, 2020 ના રોજ સવારે 11 વાગ્યે શાહીન બાગ, રેડ લાઇટ સરિતા વિહાર સુધી પહોંચવા અપીલ કરી છે કે જેહાદીઓને હટવી આ રસ્તો સાફ કરવામાં આવે.

Advertisement

ઇમામને છોડો, નહીં તો ‘કલ્પનાતિત’ થશે: AMU

એએમયુ કેમ્પસમાં ભડકાઉ ભાષણ દેવાના દેશદ્રોહના આરોપસર બિહારથી ધરપકડ કરાયેલા જેએનયૂના છાત્ર શરઝીલ ઇમામ સામે પોલીસની કાર્યવાહીથી મંગળવારે સાંજે એએમયૂમાં છાત્રોમાં જોરદાર આક્રોશ પડઘાયો હતો. કેમ્પસમાં મોડી સાંજે શરઝીલની ધરપકડના વિરોધમાં એક રેલી યોજાઈ હતી. જેમાં શરઝીલને છોડી દેવાની માગ કરાઈ હતી. આ રેલીમાં જાહેરાત થઈ હતી કે શરઝીલને જેલમાંથી નહીં છોડાય તો એવું થશે કે મોદી સરકાર તેનો અંદાજો પણ નહીં લગાવી શકે. એએમયૂ પ્રશાસને આ રેલીની નિંદા કરી છે અને આ છાત્રોને ઓળખીને કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું છે. 16 જાન્યુઆરીના રોજ જેએનયૂના છાત્ર શરઝીલ ઈમામે એએમયૂમાં જ ભડકાઊ ભાષણો કર્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્રમાં જોરદાર પડઘા પડ્યા હતા. પીએમના આદેશ બાદ આ કેસમાં શરઝીલ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો છે. શરઝીલ સામે દિલ્હી સહિત પાંચથી 6 શહેરોમાં ફરિયાદ નોંધાઈ છે. દિલ્હીના કેસમાં પોલીસે શરઝીલ ઈમામની બિહારથી ધરપકડ કરી છે. આ જાણકારી બાદ છાત્રોએ લાઈબ્રેરીના પાછળના ભાગે એકઠા થઈ રેલી કાઢવાનો નિર્ણય લીધો છે. આ રેલીમાં મોદી, યોગી, ભાજપ, અમિત શાહ મુર્દાબાદ અને આ લોકોની કબ્ર ખોદાશે તેવા નારાઓ લાગ્યા. આ લોકોએ આઝાદીની પણ આ રેલીમાં માગ શરૂ કરી. પ્રદર્શનકારીઓ શરઝીલને છોડવાની માગ કરી રહ્યાં હતા. આ ઘટના બાદ એએમયૂ પ્રશાસને આ રેલીમાં સામેલ છાત્રો સામે કાર્યવાહી કરવાના આદેશો કર્યા છે. જોકે, આ ઘટના અતિ ગંભીર છે. સરકારને આ રેલીમાં ધમકી અપાઈ છે કે શરઝીલને નહીં છોડાય તો અતિ ગંભીર પરિણામો આવશે જેનો સરકારે અંદાજ પણ નહીં લગાવ્યો હોય. હવે આ બાબતે પોલીસ પણ કાર્યવાહી કરી શકે છે.

Advertisement
Continue Reading
Advertisement

Breaking News

મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ

Published

on

શહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

Continue Reading

Breaking News

લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ

Published

on

જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Continue Reading

Breaking News

ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત

Published

on

બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં

ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!