Connect with us

Breaking News

ઇ-મેમો 60 દી’માં ભરવો જ પડશે

Published

on

નવો કડક કાયદો આવે છે: દંડ નહીં ભરનારાનું લાઇસન્સ કે વ્હિકલ રજિસ્ટ્રેશનનું કોઇ કામ નહીં થાય

અગાઉના દંડ ભરવાના બાકી હોય અને નિયમભંગમાં પકડાય તો દંડની રકમ પણ વધી જશે

નવી દિલ્હી તા.12
ઘરે આવેલા ઈ-મેમોને ઘણા લોકો ગણકારતા નથી હોતા. કેટલાક કિસ્સામાં તો લોકો વર્ષો સુધી તેનો દંડ નથી ભરતા. જોકે, ટ્રાફિકના નિયમનો ભંગ કરવા બદલ દંડની રકમમાં થયેલા ધરખમ બાદ હવે સરકાર વધુ એક કડક કાયદો લાવી રહી છે. પરિવહન મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફ્ટ અનુસાર હવે આરટીઓ કે પોલીસ દ્વારા ઈશ્યૂ કરવામાં આવેલાલ મેમોને 60 દિવસમાં ભરી દેવો પડશે. જો આ મુદ્દતમાં દંડ નહીં ભરાય તો આરટીઓમાં તે વ્યક્તિના લાઈસન્સ કે વ્હીકલ રજિસ્ટ્રેશનને લગતું કોઈ કામ નહીં થાય.
એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, હવે બધી સિસ્ટમ ઓનલાઈન થઈ રહી છે, ત્યારે કોઈપણ વાહનચાલકને 60 દિવસની અંદર દંડ ભરી દેવો પડશે. ઘણા કિસ્સામાં લોકો મહિનાઓ કે વર્ષો સુધી દંડની રકમ નહોતા ભરતા, અને તેમનો કોઈ રેકોર્ડ પણ ઉપલબ્ધ નહોતો. આવા કિસ્સામાં હવે જો 60 દિવસમાં દંડની રકમ ન ભરાઈ તો તે વ્યક્તિના લાઈસન્સ કે આરસીને લગતું કોઈ કામ નહીં થઈ શકે.
જો કોઈ વ્યક્તિને દંડ ભરવાનો બાકી હોય અને તે ફરી ટ્રાફિકના નિયમ તોડતો પકડાય તો તેના માટે દંડની રકમ વધી જશે. આ નિયમ સ્થળ પર દંડ ભરીને માંડવાળ કરવાના ગુનામાં કે ઓનલાઈન દંડ ભરવામાં પણ લાગુ પડશે.

કાયદાકીય નિષ્ણાંતોનું માનીએ તો જો મેમો પેન્ડિંગ હોય અને તેના લીધે આરટીઓનું કામ ન થાય તો તે વ્યક્તિએ કોર્ટમાં જવું પડશે.
સૂત્રોનું માનીએ તો, નવા નિયમો ઈ-મેમો પર આધારિત છે, અને તેમાં ઓનલાઈન દંડ ભરી શકાશે. આરટીઓ તેમજ પોલીસે દંડ ભરનારાનો રેકોર્ડ રાખવાનો રહેશે. આ પ્રસ્તાવિત નિયમમાં એવી પણ જોગવાઈ છે કે ટ્રાફિકના નિયમનો છ વાર ભંગ કરતા પકડાયેલા વ્યક્તિના દસ્તાવેજ જપ્ત કરવામાં આવશે. જેમાં અકસ્માત કરી મિલકત કે વ્યક્તિને નુક્સાન કે ઈજા પહોંચાડવા, સુરક્ષા નિયમોનો ભંગ કરી વાહન ચલાવવું, વાહનનું પીયુસી ન હોવું, વીમા વગરનું વાહન ચલાવવા જેવા ગુના પણ સામેલ છે.
આ સિવાય આ નિયમોમાં રસ્તા બનાવનારી એજન્સીઓએ ઈન્ડિયન રોડ કોંગ્રેસ દ્વારા નિર્ધારિત કરાયેલા સ્ટાન્ડર્ડને અનુસરી રસ્તા બનાવવા પડશે તેમજ તેનું મેઈન્ટેનન્સ કરવું પડશે તેવી પણ જોગવાઈ છે. આ નિયમ કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર તેમાં પોતાની રીતે સુધારા-વધારા કરીને તેનો અમલ કરી શકે છે.

Advertisement

Continue Reading
Advertisement

Breaking News

મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ

Published

on

શહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.

Continue Reading

Breaking News

લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ

Published

on

જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Continue Reading

Breaking News

ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત

Published

on

બોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં

ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.

Continue Reading

એડિટર ની ચોઈસ

ગુજરાત

સ્પોર્ટસ

error: Content is protected !!