Breaking News
અમદાવાદમાં બહેનો માટે ‘સાડી પરબ’
Published
4 years agoon
By
ગુજરાત મિરર
માંગલીક પ્રસંગે પહેરવા માટે 2 થી 20 હજારની સાડી ફ્રી : માત્ર ડ્રાયક્લિન કરી સાડી પરત મુકી જવા અનુરોધ
પ્યોર સીલ્ક,
ડિઝાઈનર, પેચવર્કવાળી સાડીઓનું કલેકશન
રાજકોટ તા.6
હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે અને એમાં મહિલાઓ લગ્નપ્રસંગમાં શોભે તેવી એક-એકથી ચડિયાતી સાડીઓ પહેરીને તૈયાર થઈને લગ્નને માણી રહી છે ત્યારે અમદાવાદમાં એક અનોખું સાડી કલેક્શન આવેલું છે, જેમાંથી લગ્નપ્રસંગે પહેરવા માટે જરૂરિયાતમંદ બહેનોને 1 હજારથી લઈને 20 હજાર રૂપિયાની પ્યોર સિલ્ક, ડિઝાઇનર, પેચવર્કવાળી સાડીઓ બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહી છે. આ કાર્યમાંથી રાજકોટની સંસ્થાઓએ પણ પ્રેરણાલેવા જેવી છે. રાજકોટના જરૂરિયાતમંદો પણ શાહીઠાઠથી લગ્ન પ્રસંગ માણી શકે તેવું કાર્ય થવું જોઈએ.
અમદાવાદમાં આવેલી ગ્રામશ્રી સંસ્થા દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આ સંસ્થાના રુદ્ર સેન્ટરમાં સાડી માટેનું કલેક્શન આવેલું છે. આજકાલ આ સાડી કલેક્શનમાં બહેનોની ચહલપહલ વધી છે. સાડીના કલેક્શનમાં બહેનો સાડી પસંદ કરવા આવે છે. હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે ત્યારે પ્રસંગમાં પહેરવા માટે જરૂરિયાતમંદ બહેનો કલેક્શનમાંથી તેમની પસંદગીની સાડીઓનું ઍડ્વાન્સ બુકિંગ કરાવે છે. પ્રસંગ માટે પહેરવા લઈ જવામાં આવતી સાડીનો એક પણ રૂપિયો ચાર્જ કરવામાં આવતો નથી. હા, આ બહેનો જ્યારે સાડી પાછી આપે ત્યારે બીજી બહેનો એ સાડી પહેરી શકે એ માટે ડ્રાયક્લીન કરીને સાડી પાછી આપવાની હોય છે.
ગ્રામ શ્રી સંસ્થાના કો-ઑર્ડિનેટર નીતા જાદવે કહ્યું હતું કે નછેલ્લાં દસેક વર્ષથી આ સાડીઓનું કલેક્શન ચાલે છે. સમાજમાં એવી બહેનો છે કે જે મોંઘી સાડીઓ ખરીદી શકતી નથી અને બીજી તરફ એવી મહિલાઓ કે જે એક, બે કે ત્રણ વખત સાડી પહેરીને તેમના ઘરે મૂકી રાખે છે, પછી એનો ઉપયોગ કરતી નથી. અમારા ટ્રસ્ટીઓએ આ અંગે વિચાર કર્યો કે આવી સાડીઓ કબાટમાં પડી રહે છે એના કરતાં જરૂરિયાતમંદ બહેનોને એ પહેરવાના કામમાં આવે તો સારું. આ વિચાર વહેતો મૂક્યો અને એવી મહિલાઓ પાસેથી સારી કન્ડિશનની સાડીઓ ભેટ સ્વરૂપે સ્વીકારવાનું શરૂ થયું. મહિલાઓ પાસેથી એક પછી એક સાડીઓ આવતી ગઈ અને એમાંથી સાડીના કલેક્શનની શરૂઆત થઈ. વર્ષે દહાડે ઍવરેજ 80થી 100 જેટલી સાડીઓ આવે છે. અત્યાર સુધીમાં આશરે એક હજાર જેટલી સાડીઓ કલેક્શનમાં આવી હશે. અત્યારે બીજી 400 સાડીઓ આવી છે. જરૂરિયાતમંદ બહેનો તેમને ત્યાં આવતા લગ્નપ્રસંગ ઉપરાંત દિવાળી પર્વ, નવરાત્રિ, ઉત્તરાયણ, જન્માષ્ટમી, રક્ષાબંધન સહિતના પ્રસંગોમાં તેમ જ વાર- તહેવારે આ સાડીઓ પહેરવા લઈ જાય છે.થ
સાડીઓની વિવિધતા અને ઍડવાન્સ બુકિંગની વાત કરતાં નીતા જાદવે કહ્યું હતું કે ન1 હજાર રૂપિયાથી લઈને 20 હજાર રૂપિયાની સાડીઓ અમારી પાસે આવી છે અને બહેનો એને પહેરવા લઈ જાય છે. પ્યોર સિલ્કની સાડી, ભરત ભરેલી, જરીકામવાળી, પેચવર્કવાળી સાડીઓ સહિતની સાડીઓ અહીં દાનમાં આવે છે. અત્યાર સુધીમાં અંદાજે એક હજારથી વધુ બહેનોએ આ સાડીના કલેક્શનનો ઉપયોગ કર્યો છે. લગ્નપ્રસંગે અને દિવાળીના તહેવારમાં બહેનો 15 દિવસ પહેલાં તેમની પસંદગીની સાડીનું ઍડ્વાન્સ બુકિંગ કરાવે છે.થ
તેમણે વધુમાં કહ્યું હતું કે નલાઇબ્રેરીમાંથી સાડી લઈ જતી બહેનો પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. હા, સાડી લઈ જતી બહેનોનું રજિસ્ટર રાખીએ છીએ. બહેનોના નામ-સરનામા સાથેનું આઇડી પ્રૂફ આપે તે બહેનને સાડી આપવામાં આવે છે. કેવા કલરની સાડી લઈ ગયાં એ નોંધીએ છીએ. અમે મહિને-બે મહિને સાડીઓનું ચેકિંગ કરીએ છીએ. સાડી પહેરવા જેવી ન હોય તો એ સાડી બહાર કાઢી દઈએ છીએ.
You may like
Breaking News
મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ
Published
5 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરશહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
Breaking News
લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ
Published
7 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Breaking News
ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત
Published
7 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરબોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં
ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.