Entertainment
અભિનેતા વિક્રમ ગોખલેના નિધનની અફવાનું ખંડન
Published
2 months agoon
By
ગુજરાત મિરર
ગંભીર હાલત પણ જીવિત હોવાનો પુત્રીનો દાવો
અભિનેતા વિક્રમ ગોખલે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. તેમના મૃત્યુની અફવાઓને નકારી કાઢતા, તેમની પુત્રીએ કહ્યું છે કે તેમના પિતા વિક્રમ ગોખલે હજુ પણ ગંભીર છે અને લાઇફ સપોર્ટ પર છે. તેણે કહ્યું કે હજુ તેનું નિધન થયું નથી, તેના માટે પ્રાર્થના કરતા રહો. ફિલ્મ અભિનેતા અનંત મહાદેવને કહ્યું હતું કે તે હવે નથી રહ્યા. પ્રખ્યાત અભિનેતા લાંબા સમયથી સારવાર હેઠળ છે. તેઓ છેલ્લા પંદર દિવસથી હોસ્પિટલમાં દાખલ છે.
પીઢ કલાકાર વિક્રમ ગોખલેના મૃત્યુના સમાચારને માત્ર અફવા ગણાવતા તેમના પરિવારે કહ્યું કે તેઓ હજુ પણ ગંભીર સ્થિતિમાં છે પરંતુ તેમનું નિધન થયું નથી. મીડિયા સાથે વાત કરતા અભિનેતાની પત્ની વૃષાલી ગોખલેએ કહ્યું કે તે (વિક્રમ) હજુ જીવિત છે.
વૃષાલીએ જણાવ્યું કે ગઈકાલે બપોરે તે કોમામાં સરી પડી હતી. હવે વેન્ટિલેટર પર છે. તેની પત્નીએ કહ્યું કે વધુ તપાસ કર્યા બાદ તબીબો તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપશે.
You may like
Breaking News
રાખી સાવંતની માતાનું નિધન,બ્રેઈન ટ્યુમરની બીમારીથી પીડિત હતા
Published
36 mins agoon
January 28, 2023
રાખી સાવંતની માતાનું નિધન થયું છે. તે લાંબા સમયથી બ્રેઈન ટ્યુમર અને કેન્સરથી પીડિત હતા. રાખીની માતા જયા સાવંત લાંબા સમયથી બીમાર હતા અને ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
રાખીના પતિ આદિલ દુર્રાનીએ જયાના મૃત્યુની પુષ્ટિ કરી છે. રાખીની માતાની તબિયત ઘણા સમયથી ખરાબ હતી. રાખી ઘણી વખત હોસ્પિટલની બહાર જોવા મળી છે.
Entertainment
સૌરવ ગાંગુલીની બાયોપિક બનશે, સ્ક્રિપ્ટ ફાઇનલ
Published
8 hours agoon
January 28, 2023By
ગુજરાત મિરર
250 કરોડના બજેટમાં તૈયાર થશે ફિલ્મ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને ઇઈઈઈંના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર બનનારી બાયોપિક સ્ક્રિપ્ટ તૈયાર થઇ ચૂકી છે.
લવ ફિલ્મ્સ દ્વારા નિર્માણ થનારી આ બાયોપિક ફિલ્મની સ્ક્રિપ્ટ સૌરવ ગાંગુલી ફાઇનલ કરશે. લવ ફિલ્મ્સ અને સૌરવ ગાંગુલી દ્વારા 9 સપ્ટેમ્બર, 2021ના રોજ આ બાયોપિક ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. બે વર્ષના રિસર્ચ પછી આ ફિલ્મની સ્ક્રિપ્ટ લગભગ તૈયાર થઇ ચૂકી છે. મેકર્સ આ ફિલ્મના આગળના કામને લઇને સૌરવ ગાંગુલીની પરમિશન લેવા માંગતા હતા. તેથી સૌરવ ગાંગુલી પોતાના મિત્ર સંજય દાસ સાથે ફિલ્મની સ્ક્રિપ્ટને મંજૂરી આપવા મુંબઇ આવશે. સૌરવ ગાંગુલી પહેલા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની, અઝહરુદ્દીન અને કપિલ દેવ પર પણ બાયોપિક બની ચૂકી છે. સૌરવ ગાંગુલીની બાયોપિકમાં ક્યો અભિનેતા લીડ રોલ કરશે, તે વિશે હાલ કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. આ ફિલ્મનું બજેટ લગભગ 250 કરોડ રૂૂપિયાની આસપાસ હોઇ શકે છે.
Entertainment
જેન્સ કેમેરોનની ‘અવતાર-2’ બે મિલિયન ડોલર કલબમાં સામેલ
Published
9 hours agoon
January 28, 2023By
ગુજરાત મિરર
કેમેરોનની સતત ત્રીજી ફિલ્મની બમ્પર કમાણી
અવતાર 2 સમગ્ર વિશ્વમાં ધમાલ મચાવી રહી છે. જેમ્સ કેમરોનની ગણતરી વિશ્વના સૌથી મહાન ડાયરેક્ટર્સમાં થાય છે. 13 વર્ષની મહેનત પછી જેમ્સ કેમરોને પોતાની ફિલ્મ અવતારનો બીજો પાર્ટ પઅવતાર ધ વે ઓફ વોટરથ રિલીઝ કર્યો છે. હવે, આ ફિલ્મ સમગ્ર વિશ્વમાં બોક્સ ઓફિસ પર બે મિલિયન ડોલર કમાણી કરનારી ફિલ્મ બની ચૂકી છે. આ ફિલ્મ જેમ્સ કેમરોનની ત્રીજી ફિલ્મ છે જેને બે મિલિયન ડોલર કમાણી કરી છે.
જેમ્સ કેમરોનની વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ ટાઇટેનિક અને 2009માં રિલીઝ થયેલી ફિલ્મ અવતાર પણ બે મિલિયન ડોલરની કમાણી કરી ચૂકી છે. હવે પઅવતાર 2થ એ પણ બે મિલિયન ડોલર કમાણી કરતા જેમ્સ કેમેરોનની ફિલ્મે હેટ્રિક લગાવી દીધી છે
.
આ ફિલ્મ ગયા વર્ષે 16 ડિસેમ્બરના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મે તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. દરેક લોકો ફિલ્મની સ્ટોરીથી લઈને તેના વીએફએક્સ સુધી તેની પ્રશંસા કરી રહ્યા છે. આ ફિલ્મમાં કેટ વિન્સલેટ, સેમ વર્થિંગ્ટન, ઝો સલડાના, સિગોર્ની વીવર અને સ્ટીફન લેંગ મુખ્ય ભૂમિકામાં છે. અવતાર 2 એ એવેન્જર્સ એન્ડગેમના લાઇફટાઇમના બિઝનેસને પાછળ છોડીને ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મ તરીકે ઉભરી આવી છે.
એડિટર ની ચોઈસ

ગુજરાતી સાહિત્ય જગત શોકમય, હાસ્ય લેખક મધુસૂદન પારેખ ‘પ્રિયદર્શી’નું 100 વર્ષની વયે નિધન

નવું નામકરણ : રાષ્ટ્રપતિ ભવનનું મુગલ ગાર્ડન હવે’અમૃત ઉદ્યાન’તરીકે ઓળખાશે

ભૂલકાંઓ ભગવાનનું રૂપ, ઇશ્ર્વરે મને આપ્યું તે તેમના ચરણોમાં અર્પણ કરું છું: ઉદય કાનગડ

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો
ગુજરાત

નાટ્યકાર ભરત યાજ્ઞિકને શ્રી શ્રી રવિશંકરજી દ્વારા પ્રથમ ‘કલા-સારથી’ એવોર્ડ એનાયત

5 ફેબુ્રઆરીએ સાઈક્લોફનમાં રાજકોટ બનશે સાઇક્લમય

કોઠારિયા રોડ મજુર યુવાનની ઠંડા કલેજે હત્યા કરનાર આરોપી તામિલનાડુથી ઝડપાયો

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
સ્પોર્ટસ

આરોગ્ય સેવા સાથે સંકળાયેલા કર્મયોગીઓનું રાષ્ટ્રીય પર્વ પર બહુમાન

નિંભર તંત્ર નહીં જાગે, શહેરમાં ખાડો દેખાય તો મને ફોન કરો: રાજપૂત

બેકારીથી કંટાળી બીસીએના વિદ્યાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

શહેરમાં ‘ખાડાવોર’ સામે લડત શરૂ કરશે લોક સંસદ વિચાર મંચ

ચાર મહિના પહેલા ટ્રકની ઠોકરે ઘવાયેલા બાઇકચાલક વૃદ્ધનું મોત
