Breaking News
અનામત: અલ્પેશનું અલ્ટિમેટમ, નીતિન પટેલનો ‘ખો’
Published
4 years agoon
By
ગુજરાત મિરર
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની તાકીદની બેઠક મળી; અનામતનું કોકડુ મુખ્યમંત્રી ઉકેલશે; નાયબ મુખ્યમંત્રીની જાહેરાત
ઠરાવ રદ નહીં કરાય તો પદયાત્રા કાઢવા અલ્પેશ ઠાકોરનું એલાન; કાલે મહેસાણા બંધ
રાજકોટ તા,14
અનામત વિવાદનો રસ્તો કાઢવામાં રાજ્ય સરકાર દિશાહિન બની ગઈ છે. એલાન બાદ પણ વિવાદી પરીપત્ર અને અનામત અંગે કોઈ ચોખવટ નહી કરવામાં આવતા સરકાર ઘેરી કટોકટીમાં ફસાઈ ગઈ છે. વિવાદ ટાળવા આજે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની તાકિદની બેઠક મળી હતી.
બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે કહ્યું હતું કે અનામતનું કોકડુ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉકેલશે. બીજી બાજુ અલ્પેશ ઠાકરોે 48 કલાકનું અલ્ટીમેટમ આપી ઠરાવ રદ્દ કરવામાં નહી આવે તો પદયાત્રા કાઢવાનું એલાન આપ્યુ છે.
અનામતનો વિવાદ દિવસને દિવસે ઘેરો બની રહ્યો છે ત્યારે આવતીકાલે મહેસાણા બંધનું એલાન આપવામાં આવ્યુ છે. તે પૂર્વે આજે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જેટલુ શકય હશે તેટલી અનામત આપવામાં આવશે. જેની જાહેરાત મુખ્યમંત્રી રૂપાણી કરશે.
ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી અનામત વર્ગની મહિલાઓ તરફથી એલઆરડીની પરીક્ષા મામલે તા. 1-08-2018ના રોજ સરકાર તરફથી કરવામાં આવેલો ઠરાવ રદ કરવા અંગે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જે બાદમાં સરકારે આ ઠરાવ રદ કરવાની ખાતરી આપી હતી. સરકારની આવી જાહેરાત બાદ હવે બિન-અનામત વર્ગના ઉમેદવારો ધરણા પર બેઠા છે. એટલે કે હવે સરકારના ગળામાં હાડકું બરાબરની ફસાયું છે. ત્યારે ગત વર્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરે હવે સરકારને આ ઠરાવ રદ કરવા માટે સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે. 48 કલાકમાં સરકાર કોઈ પગલાં નહીં ભરે તો તેની સામે પદયાત્રા કરવાની ચીમકી અલ્પેશ તરફથી ઉચ્ચારવામાં આવી છે. એટલે કે હવે ભાજપના નેતાઓએ જ સરકાર સામે બાંયો ચઢાવી છે.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે છેલ્લા 64થી વધારે દિવસોથી ઓબીસી સમાજની દીકરીઓ આંદોલન કરી રહી છે. એક ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો છે જે ગરીબોના અધિકારો પર તરાપ મારવા સમાન અને અન્યાય કરવા સમાન છે. આ ઠરાવ સંદર્ભે રાજ્ય સરકારે ત્રણ દિવસ પહેલા તમામ આગેવાનોની બેઠક બોલાવી હતી. જેમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે આ ઠરાવ બાબતે સુધારો કરવામાં આવશે. ત્રણ દિવસ વીતી ગયા છતાં હજી આ ઠરાવ નથી કરવામાં આવ્યો. રાજ્ય સરકારને નમ્ર અપીલ કરુ છું કે 48 કલાકમાં આનો નિવેડો લાવો. સરકાર કોઈ પગલાં નહીં લે તો સોમવારે ગાંધી આશ્રમથી ગાંધીનગર સુધી પદયાત્રા કરીશ.
અલ્પેશે વધુમાં જણાવ્યું હતું કે પદયાત્રા સંવિધાનિક અધિકારોના રક્ષણ માટેની હશે. સંવિધાનિક અધિકારોના જતન માટે હશે. ગરીબોના અધિકારોના રક્ષણ માટે હશે. એ પછી પણ કોઈ નિવેડો નહીં આવે તો સોમવારે ગાંધીનગર પહોંચ્યા પછી આગામી રણનીતિ ઘડીશું. પરંતુ મને આશા છે કે રાજ્ય સરકાર ત્વરિત નિર્ણય કરશે. છેલ્લા બે દિવસથી કેટલાક લોકો ગુજરાતમાં અરાજકતા ફેલાવવાનું કામ કરે છે. આ લોકોને વિનંતી કે ગુજરાતમાં અશાંતિ ફેલાય તેમજ વર્ગ-વિગ્રહ થાય તેવું કોઈ કામ ન કરે.
સરકાર વર્ગ-વિગ્રહ કરાવે છે: કોંગ્રેસ
અલ્પેશ ઠાકોરના અલ્ટિમેટમ મામલે પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે, રાજ્યના તમામ વર્ગને અન્યાય કરવો એ ભાજપનો એજન્ડા બની ગયો છે. સરકારના ઈશારે સરકારના માણસો
આંદોલનમા જોડાઈ રહ્યા છે. સરકાર આંદોલનના નામે વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે. સરકાર ઉકેલ લાવવાનને બદલે નાટક કરે છે. પ્રવર્તમાન સળગતા મુદાઓથી ધ્યાન ભટકાવવા સરકાર હિંસા કરાવી વર્ગ વિગ્રહ કરાવવા માંગે છે. ભાજપ સરકાર પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે અનામત અને બિન-અનામત વર્ગને સામ-સામે લાવાનું કામ કર્યું છે. ભાજપ નેતાઓ આ આંદોલન પાછળ સક્રિય છે.
કોંગ્રેસ સલાહ ન આપે: નીતિન પટેલ
એલઆરડી અનામત પરિપત્રની ગૂંચ ઉકેલવા માંટે બિન અનામત વર્ગના પ્રતિનિધિઓ સાથે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની બેઠક પૂર્ણ થઇ ગયા બાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે, બિન અનામત વર્ગના પ્રતિનિધિઓએ
પોતાની સમસ્યાઓ અમારી સામે વર્ણવી છે. અમે આ બાબતો મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ રજૂ કરીશું. આ અંગે મુખ્યમંત્રી રૂપાણી અંતિમ નિર્ણય લેશે. કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા નાયબ મુખયમંત્રીએ જણાવ્યું હતું કે અનામત વિવાદ ઉકેલવા કોંગ્રેસ સલાહ ન આપે. કોંગ્રેસ જ રાજ્યમાં વર્ગ વિગ્રહ ફેલાવે છે. સરકાર કોઈ સમાજ સાથે ભેદભાવ નહીં કરે તેવું આશ્ર્વાસન આપ્યુ હતું.
You may like
Breaking News
મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દેવી છે કહી શિક્ષિકાને સાસરિયાનો ત્રાસ
Published
5 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરશહેરની વાંકાનેર સોસાયટીમાં ત્રણ માસથી માવતરે રહેતા અને બરોડા ખાતે પ્લે હાઉસ ચલાવતા શિક્ષિકા ડીમ્પલબેન જોબનપુત્રાએ વડોદરા રહેતા પતિ હર્ષિલભાઈ, સસરા પ્રદીપભાઈ વસંતભાઈ જોબનપુત્રા અને સાસુ કિરણબેન સામે મહિલા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે લગ્ન બાદ અમે ભાડે રહેવા બરોડા ગયા હતા સસરા રાજકોટ પીડીએમ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા અને રજામાં ત્યાં અવરજવર કરતા કામ બાબતે ઝઘડા કરી વધેલી રસોઈ જમાડતા, સાસુ બેડરૂૂમમાં આવીને સુઈ જતા મને પતિ રોકાવવા જવા દેતા નહિ, અને શારીરિક માનસિક ત્રાસ આપતા ઘરમાં કોઈ રસોઈ પૂછ્યા વિના બનાવવા દેતા નહિ, તારે કોઈ વસ્તુ અળવી નહિ કહી ધમકી આપતા મારી અને મારા પતિની મુંબઈ દવા ચાલતી હોય જે સર્ચ કરતા માનસિક બીમારીની દવા હોય મને માનસિક અસર થઇ ગઈ હતી સાસુ-સસરા તને મેન્ટલ હોસ્પીટલમાં દાખલ કરી દેવી છે કહી ત્રાસ આપતા પતિએ જુલાઈમાં મારકૂટ કરતા હું પહેરેલ કપડે પિયર આવી ગઈ હતી સમાધાન નહિ થતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી ફરિયાદમાં ખોડીયારનગરમાં રહેતા સબીનાબેન મગુલએ પતિ અજરુદિનભાઈ, સસરા ઉકાભાઈ અને સાસુ બેબીબેન સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા એકાદ વર્ષથી હું પતિથી અલગ રહું છું પતિ 15-20 દિવસે ઘરે આવી ઝઘડો કરતા સસરાને કહેતા તે પણ જેમ તેમ બોલતા હું દીકરીને લઈને ગયેલ તો અમને કાઢી મુક્યા હતા પતિ ઘર ચલાવવા પૈસા કે રાશન આપતા નહિ બાદમાં જમ્યા 25 તારીખે ફ્નિાઈલ પી લેતા હોસ્પીટલમાં ખસેડાઈ હતી અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
Breaking News
લાખોટા તળાવમાં અકસ્માતે પટકાઈ પડેલા યુવાનનું રેસ્ક્યૂ
Published
6 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરર
જામનગરમાં લાખોટા મિગ કોલોની તરફના તળાવના ભાગમાં એક યુવાન અકસ્માતે પાણીમાં પટકાઈ પડ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડીએ સમયસર ઘટના સ્થળે પહોંચી જઈ રેસ્ક્યુ કામગીરી સફળતાપૂર્વક પાર પાડી છે, અને યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો છે. જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાખોટા મિગકોલોની વિસ્તારમાં જંગલેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલા લાખોટા તળાવના ભાગમાં ગઈકાલે રાત્રે 7.45 વાગ્યાના અરસામાં વિકી વાણીયા નામનો એક યુવાન અકસ્માતે તળાવમાં પડી ગયો હતો, અને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી. જેથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા ની ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને સમય સૂચકતા વાપરીને પાણીમાં પડી ગયેલા યુવકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. જેને પ્રાથમિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનને લઈને તળાવની પાળ પાસે એકત્ર થયેલા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, અને ફાયર શાખા ની ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી.
Breaking News
ઝોકું આવી જતા કાર પલટી ગઈ; પતિની નજર સામે પત્નીનું મોત
Published
7 hours agoon
September 26, 2023By
ગુજરાત મિરરબોટાદ જીલ્લાના રાણપુર-પાળીયાદ રોડ ઉપર રાજપરા ગામના પાટીયા પાસે મુબંઈના કાર ચાલકને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકતાં ચાલકના પત્નિનું ઘટનાસ્થળે મોત નીપજ્યુ હતુ. જ્યારે કારચાલકને ઈજા પહોંચી હતી. ઘટનાની મળતી માહિતી મુજબ મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા કાર લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ-રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં
ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માત થતા કારમાં સવાર પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ ઘટનાની જાણ થતા રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતક વિભાબેનના મૃતદેહને પીએમ માટે રાણપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ પંડ્યા દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રીના લગ્ન સુરત કરવામા આવ્યા છે અને સાસરે છે. જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે અને કર્મકાંડનો વ્યવસાય કરે છે.ત્યારે આ દંપતીની કારનો ગમખ્વાર અકસ્માત સર્જાતા પતિની નજર સામે જ પત્નિનું કમકમાટી ભર્યુ મોત નિપજતા આ દંપતીના પરીવાર ઉપર આભ તુટી પડ્યુ હતુ.